એમકે સ્ટાલિનના દીકરા ઉદયનિધિએ ડેન્ગ્યુ-મલેરિયા સાથે કરી સનાતન ધર્મની તુલના

તામિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિનના દીકરા ઉદયનિધિ સ્ટાલિને શનિવારે સનાતન ધર્મની તુલના ડેન્ગ્યૂ અને મલેરિયા સાથે કરીને વિવાદ ઊભો કરી દીધો છે. ઉદયનિધિએ કહ્યું કે, તેનો માત્ર વિરોધ જ ન કરવો જોઈએ, પરંતુ સફાયો કરવો જોઇએ. સનાતન ઉન્મૂલન સંમેલનમાં બોલતા ઉદયનિધિ સ્ટાલિને કહ્યું કે, સનાતન ધર્મ સામાજિક ન્યાય અને સમાનતા વિરુદ્ધ છે. કેટલીક વસ્તુનો વિરોધ નહીં કરી શકાય. તેને જ ખતમ કરી દેવી જોઈએ. આપણે ડેન્ગ્યૂ, મચ્છર, મલેરિયા કે કોરોનાના વિરોધ નહીં કરી શકીએ. આપણે તેને ખતમ કરવા હશે. આ પ્રકારે આપણે સનાતન ધર્મને સમાપ્ત કરવો પડશે.

તામિલનાડુના સત્તાધારી DMK સરકારમાં યુવા કલ્યાણ અને સ્પોર્ટ્સ મિનિસ્ટર ઉદયનિધિ સ્ટાલિને કહ્યું કે, સનાતનનો વિરોધ કરવાની જગ્યાએ તેનો નાશ કરવો જોઈએ. સનાતન નામ સંસ્કૃતથી છે. તે સામાજિક ન્યાય અને સમાનતા વિરુદ્ધ છે. ત્યારબાદ ભારતીય જનતા પાર્ટી (BJP) IT સેલના પ્રમુખ અમિત માલવીયએ સનાતન ધર્મ પર ટિપ્પણી માટે ઉદયનિધિ સ્ટાલિન પર પ્રહાર કર્યો. અમિત માલવીયએ X (પહેલા ટ્વીટર) પર લખ્યું કે, ‘તામિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિનના પુત્ર અને DMK સરકારમાં મંત્રી ઉદયનિધિ સ્ટાલિને સનાતન ધર્મને મલેરિયા અને ડેન્ગ્યૂ સાથે જોડ્યો છે.

તેમનું માનવું છે કે તેને ખતમ કરવો જોઈએ અને માત્ર તેનો વિરોધ ન કરવો જોઈએ. સંક્ષેપમાં તે સનાતન ધર્મનું પાલન કરનારી ભારતની 80 ટકા વસ્તીના નરસંહાર માટે આહ્વાન કરી રહ્યા છે. દ્રુમક વિપક્ષી ગ્રુપના એક પ્રમુખ સભ્ય અને કોંગ્રેસના લાંબા સમયથી સહયોગી છે. શું મુંબઈ બેઠકમાં તેના પર સહમતી બની હતી?’ ભાજપ નેતા અમિત માલવીયને જવાબ આપતા ઉદયનિધિ સ્ટાલિને કહ્યું કે, ‘તેમણે ક્યારેય સનાતન ધર્મના અનુયાયીઓના નરસંહારનું આહ્વાન કર્યું નથી.

તેઓ પોતાના શબ્દો પર કાયમ છે અને તેમણે ભાર આપીને કહ્યું કે, તેઓ હાશિયા પર પડેલા સમુદાયો તરફથી બોલી રહ્યા છે જે સનાતન ધર્મના કારણે પીડિત છે. દ્રુમક નેતાએ કહ્યું કે, તે પોતાની ટિપ્પણીના સંબંધમાં કોઈ પણ કાયદાકીય પડકારનો સામનો કરવા માટે તૈયાર રહેશે. તેમણે કહ્યું કે, DMK સરકાર એમકે સ્ટાલિનના નેતૃત્વમાં સામાજિક ન્યાયને બનાવી રાખવા અને સમતાવાદી સમાજની સ્થાપના માટે સંઘર્ષ કરશે.

ઉદયનિધિ સ્ટાલિને કહ્યું કે, ‘હું કોઈ પણ કાયદાકીય પડકારનો સામનો કરવા માટે તૈયાર છું. અમે આ પ્રકારની સામાન્ય ભગવા ધમકીઓથી નહીં ડરીએ. અમે પેરિયાર, અન્ના અને કલેન્ગારના અનુયાયી પોતાના મુખ્યમંત્રી એમકે સ્ટાલિનના માર્ગદર્શનમાં સામાજિક ન્યાયને બનાવી રાખવા અને એક સમતાવાદી સમાજની સ્થાપના માટે હંમેશાં લડતા રહીશું. હું તેને આજે, કાલે અને હંમેશાં કહીશ- દ્રવિડ ભૂમિથી સનાતન ધર્મને રોકવાનો અમારો સંકલ્પ રતીભાર પણ ઓછો નહીં થાય.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.