‘સામના’માં PM મોદી વિશે એવું શું લખ્યું કે સંજય રાઉત પર રાજદ્રોહનો કેસ થઈ ગયો?

On

શિવસેના (UBT)ના પ્રવક્તા સંજય રાઉતની મુશ્કેલી વધી શકે છે. મુખપત્ર ‘સામના’માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાબતે આપત્તિજનક લેખ લખવાના આરોપમાં તેમની વિરુદ્ધ કેસ કરવામાં આવ્યો છે. સાંસદ સંજય રાઉત વિરુદ્ધ રાજદ્રોહ અને અન્ય આરોપોમાં ફરિયાદ નોંધવામાં આવી છે. અધિકારીએ જણાવ્યું કે, ભાજપના યવતમાલ જિલ્લા સમન્વયક નીતિન ભૂટાડાએ રાજ્યસભાના સભ્ય સંજય રાઉત વિરુદ્ધ કરેલી ફરિયાદના આધાર પર કેસ નોંધવામાં આવ્યો છે.

સામનાના કાર્યકારી સંપાદક સંજય રાઉતે પલટવાર કરતા ભાજપ પર સેન્સરશીપનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે, ભાજપને એમ કહેવાનો કોઈ અધિકાર નથી કે તે ઇમરજન્સી વિરુદ્ધ ઊભી થઈ હતી કેમ કે લડાઇ કોઈ પ્રકારની સેન્સરશીપ વિરુદ્ધ હતી. સામનામાં નિંદા રાજનીતિક છે. ફરિયાદમાં નીતિન ભૂટાડાએ દાવો કર્યો કે, સંજય રાઉતે 10 ડિસેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ આપત્તિજનક લેખ લખ્યો હતો.

અધિકારીએ જણાવ્યું કે, સોમવારે અહી ઉમરખેડ પોલીસ સ્ટેશનમાં સંજય રાઉત વિરુદ્ધ ઇન્ડિયન પિનલ કોડ (IPC)ની કલમ 124(A) (રાજદ્રોહ), 153(A) (ધર્મ, જાતિ, જન્મસ્થળ, નિવાસ, ભાષા વગેરેના આધાર પર વિભિન્ન સમુદાયો વચ્ચે દુશ્મનીને પ્રોત્સાહન આપવું) અને 505 (2) (સમુદાયો વચ્ચે શત્રુતા, ધૃણા કે દ્વેષ ઉત્પન્ન કરવા કે પ્રોત્સાહન આપનારું નિવેદન) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

પોલીસે કહ્યું કે, અમે ફરિયાદના આધાર પર કેસ નોંધી લીધો છે અને તેની તપાસ કરીશું. રાજદ્રોહ સંબંધિત કાયદો સરકાર પ્રત્યે અસંતોષ ઉત્પન્ન કરવાના કેસમાં 124(A) હેઠળ મહત્તમ આજીવન કેદની સજાનું પ્રાવધાન છે.  ભૂટાડાએ આરોપ લગાવ્યો કે આ લેખમાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ આપત્તિજનક શબ્દોનો ઉપયોગ કર્યો. સંજય રાઉતે કોંગ્રેસને ચેતવણી આપતા કહ્યું કે, જો ગાંધી પરિવારના નજીકના લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અનુકૂળ રાજનીતિ કરતા રહેશે તો દેશની સૌથી જૂની પાર્ટીને વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીમાં હજુ મુશ્કેલીનો સામનો કરવો પડશે.

પાર્ટી મુખપત્ર ‘સામના’માં પ્રકાષ્ટ સાપ્તાહિક સ્તંભ ‘રોખઠોક’માં રાઉતે EVM સંબંધિત શંકાઓને ઉઠાવવાનું આહ્વાન કર્યું. તેમણે દાવો કર્યો કે, મધ્ય પ્રદેશમાં જ્યારે પોસ્ટલ બેલેટની ગણતરી થઈ રહી હતી ત્યારે કોંગ્રેસ 199 સીટ પર આગળ ચાલી રહી હતી, પરંતુ EVMની ગણતરી શરૂ થવા સાથે જ પરિસ્થિતિ બદલાઈ ગઈ. ભાજપે હાલમાં મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીમાં જીત હાંસલ કરી છે, જ્યારે કોંગ્રેસ તેલંગાણામાં જીતી છે. આ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામ 3 ડિસેમ્બરે જાહેર થયા હતા.

Related Posts

Top News

ગુજરાતના લોકોને અમેરિકામાં ગેરકાયદે ઘુસાડનાર ‘બાબુજી’ને કેનેડા પોલીસ શોધી રહી છે

ગુજરાતના લોકોને ગેરકાયદે અમેરિકામા ઘુસાડવાના નેટવર્કના માસ્ટર માઇન્ડ ગણાતા ‘બાબુજી’ને કેનેડાની પોલીસ શોધી રહી છે. કેનડામાં આ...
National 
ગુજરાતના લોકોને અમેરિકામાં ગેરકાયદે ઘુસાડનાર ‘બાબુજી’ને કેનેડા પોલીસ શોધી રહી છે

શું ગુજરાત ચૂંટણીમાં AAP કોંગ્રેસ સાથે ગઠબંધન કરશે? જાણો આતિશીએ શું આપ્યું નિવેદન

દિલ્હી વિધાનસભા ચૂંટણી પછી આમ આદમી પાર્ટીએ ગોવા અને ગુજરાત વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ સંદર્ભમાં, ...
Gujarat 
શું ગુજરાત ચૂંટણીમાં AAP કોંગ્રેસ સાથે ગઠબંધન કરશે? જાણો આતિશીએ શું આપ્યું નિવેદન

સુરતના યુવાનોનું પ્રિય કેફે એટલે ડુમસમાં આવેલું નોમેડ્સ! પ્રકૃતિ અને સ્વાદનો અદભૂત સંગમ!

સુરત શહેરની ઓળખ એટલે સ્વાદિષ્ટ ખાણીપીણી અને જીવંત સંસ્કૃતિ. કહેવત છે “સુરતનું જમણ ને કાશીનું મરણ,” અને આ કહેવત સુરતની...
Gujarat 
સુરતના યુવાનોનું પ્રિય કેફે એટલે ડુમસમાં આવેલું નોમેડ્સ! પ્રકૃતિ અને સ્વાદનો અદભૂત સંગમ!

મુરલીધરનને જમ્મુ-કાશ્મીરમાં જમીન ફાળવાઈ, વિધાનસભામાં ઉઠ્યો સવાલ, જાણો મંત્રીએ શું આપ્યો જવાબ

જમ્મુ અને કાશ્મીર વિધાનસભામાં શનિવારે શ્રીલંકાના પૂર્વ ક્રિકેટર મુથૈયા મુરલીધરનને કઠુઆ જિલ્લામાં જમીન ફાળવવાનો મુદ્દો ઉઠ્યો હતો. કેટલાક ધારાસભ્યોએ સરકારના...
National  Politics 
મુરલીધરનને જમ્મુ-કાશ્મીરમાં જમીન ફાળવાઈ, વિધાનસભામાં ઉઠ્યો સવાલ, જાણો મંત્રીએ શું આપ્યો જવાબ

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.
Khabarchhe Gujarati