વોટ BJPને ન ટ્રાન્સફર કરી દે માયાવતી, સત્યપાલ મલિકે વિપક્ષને આપી આ સલાહ

PC: khabarchhe.com

ગુરુવારે પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકે ફરી એક વખત ભારતીય જનતા પાર્ટી (BJP) પર પ્રહાર કર્યો. સાથે જ વિપક્ષને આગામી લોકસભાની ચૂંટણી માટે પૂર્વ વડાપ્રધાન વિશ્વનાથ પ્રતાપ સિંહ (VP સિંહ)ના ફૉર્મ્યૂલાને અપનાવવાની સલાહ આપી છે. સત્યપાલ મલિકે હિમાચલ પ્રદેશ અને ગુજરાત વિધાનસભાની ચૂંટણી પર પણ ટિપ્પણી કરી. તેમણે હિમાચલ પ્રદેશની ચૂંટણીના પરિણામો અને બિહારમાં JDU-RJDના એક સાથે આવવાનું સ્વાગત કર્યું, જ્યારે ગુજરાતના પરિણામો પર કહ્યું કે, ગુજરાત ભાજપનું જ છે, તો તેમાં હાર શું જીત શું.

તેમણે કહ્યું કે, આગામી દિવસ ભાજપે જેવા વિચાર્યા છે, એ પ્રકારના રહેવાના નથી. બહુજન સમાજ પાર્ટી (BSP) સુપ્રીમો માયાવતી પર કટાક્ષ કરતા સત્યપાલ મલિકે કહ્યું કે, તેઓ પોતાના બધા વોટ રૂલિંગ પાર્ટી (ભાજપ)ને ન ટ્રાન્સફર કરાવી દે, બસ આ જ જોવું પડશે. લોકસભાની ચૂંટણી માટે સત્યપાલ મલિકે વિપક્ષ અને વી.પી. સિંહનો ફોર્મ્યૂલા બતાવ્યો. તેમણે કહ્યું કે, જો વિપક્ષમાં એકતા આવી રહી નથી તો વી.પી. સિંહના ફોર્મ્યૂલા અપનાવે અને એક ઉમેદવાર સામે વિપક્ષ એક જ ઉમાદવાર ઉતારે.

તેમણે કહ્યું કે, જો એમ થાય છે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે ખૂબ મુશ્કેલ થઇ જશે. એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા સત્યપાલ મલિકે કહ્યું કે, વિપક્ષ ક્યારેય એક નહીં થઇ શકે કેમ કે, તેમ બધા વડાપ્રધાન પદના ઉમેદવાર છે. તેનું સોલ્યૂશન વી.પી. સિંહવાળું છે. બધી પાર્ટીઓ એ નક્કી કરી લે કે કઇ સીટ પર કોણ સારું લડી શકે છે. ત્યાં એક જ ઉમેદવાર ઉતારો અને પછી જ્યારે ચૂંટાય તો નેતા બાબતે નક્કી કરે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાને લઇને તેમણે કહ્યું કે, રાહુલ ગાંધીએ દક્ષિણ ભારતથી ભાજપને બહાર કરી દીધું છે. ત્યાં ભાજપ ડિસ્કશનમાં પણ નથી.

જો ઉત્તર ભારતમાં વન-ટૂ-વન થઇ જાય તો ભાજપ માટે ખૂબ મુશ્કેલ થઇ જશે. તેમણે દાવો કર્યો કે, કોંગ્રેસ સાથે મોરચો બનાવવાના ઘણા ફાયદા છે કેમ કે તેના વિના નહીં થાય. જો કોંગ્રેસ એ ગઠબંધન સાથે રહેશે તો લઘુમતી વોટ પૂરા મળી જશે, નહીં તો વહેચાઇ જશે. ઉત્તર પ્રદેશમાં વિપક્ષની એકજૂથતા સત્યપાલ મલિકે કહ્યું કે અખિલેશે અતિ પછાત જાતિઓને જોડી લીધા છે. હાઇ કોર્ટના અનામતવાળા નિર્ણય બાદ જાટ, મુસ્લિમ, તેમની સાથે પૂરી રીતે થઇ હશે. માત્ર માયાવતીને જ ટેકલ કરવાના છે. માયાવતી પોતાના વોટ રૂલિંગ પાર્ટી (ભાજપ)ને ટ્રાન્સફર કરવી દે તેને રોકવાના છે.

તેમણે આગળ કહ્યું કે જ્યાં પર પણ હું રહ્યો, ખૂબ સારી રીતે કામ કર્યું. મારા દુશ્મન પણ મારા પર કોઇ બેઇમાનીના આરોપ ન લગાવી શક્યા. મેં લોકોના પક્ષવાળા મુદ્દાઓને આગળ વધાર્યા. કેરળ સહિત વિપક્ષી રાજ્યોમાં રાજ્ય સરકાર અને રાજ્યપાલ વચ્ચે જોવા મળતા ટકરાવને લઇને પણ સત્યપાલ મલિકે ટિપ્પણી કરી. તેમણે કહ્યું કે, ઇન્દિરા ગાંધીના સમયથી જ કેન્દ્રના પક્ષમાં જ કામ કરતા રહ્યા છે, પરંતુ મને ક્યારેય ન કહેવામાં આવ્યું અને મેં પૂરા વિવેકથી કામ કર્યું. કાશ્મીરમાં કેટલાક લોકો કહેતા હતા કે આપણને દિલ્હીનો સપોર્ટ છે, પરંતુ ત્યારબાદ પણ મેં જે યોગ્ય નિર્ણય હતો એ જ લીધો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp