સ્મૃતિ ઈરાની કહે છે- મિસિસ વાડ્રાને નમાજ વાંચતા જોયા છે, શું તેઓ મંદિર...

કર્ણાટકના કોંગ્રેસ અધ્યક્ષ ડી.કે. શિવકુમારના આ વાયદાના એક દિવસ બાદ કોંગ્રેસ સત્તામાં આવી તો ભગવાન હનુમાનના મંદિરોનું નિર્માણ કરવામાં આવશે. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની તેમના પર પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું કે, શિવકુમારે પહેલા પોતાની પાર્ટી સાથે પોતાના આ વાયદા પર વિચાર કરવો જોઈએ. મેં વર્ષ 2019ની લોકસભાની ચૂંટણી દરમિયાન શ્રીમતી વાડ્રાને અમેઠીમાં નમાજ વાંચતા જોયા છે. કોંગ્રેસ નેતાએ રાજ્યમાં આ પ્રકારના વાયદા ન કરવા જોઈએ કેમ કે પાર્ટી 10 મેના રોજ થનારી વિધાનસભાની ચૂંટણી જીતી રહી નથી.

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, ‘હું ડી.કે. શિવકુમારને વિનમ્રતાપૂર્વક બતાવવા માગું છું કે તેઓ મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા નથી, એટલે સારું હશે કે તેઓ મંદિરનો ખોટો વાયદો ન કરે. ભગવાન હનુમાનના મંદિરોના નિર્માણના શિવકુમારના વાયદા તરફ ઈશારો કરતા કહ્યું કે, ‘એ કહેવા પહેલા શું તેમણે (ડી.કે. શિવકુમારે) શ્રીમતી વાડ્રા સાથે ચર્ચા કરી? હું એટલે એમ કહી રહી છું કેમ કે અમેઠીમાં વર્ષ 2019ની લોકસભાની ચૂંટણી દરમિયાન મેં શ્રીમતી વાડ્રાને રસ્તા પર નમાજ વાંચતા જોયા હતા.

સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, ‘અમે પણ જાણીએ છીએ કે, જે ઇસ્લામમાં વિશ્વાસ કરે છે, તેઓ મૂર્તિ પૂજા નહીં કરી શકે કે મંદિર નહીં બનાવી શકે. એટલે જો તેમના નેતા મૂર્તિ પૂજા અને મંદિર વિરુદ્ધ છે તો શું ડી.કે. શિવકુમાર એવો વાયદો કરી શકે છે? ડી.કે. શિવકુમારે ગુરુવારે મૈસુરના પ્રવાસ દરમિયાન વાયદો કર્યો હતો કે, જો કોંગ્રેસની સરકાર બની તો આખા રાજ્યમાં હજુ વધારે ભગવાન હનુમાન મંદિરનું નિર્માણ કરીશું કે હાલના મંદિરોનો જીર્ણોદ્વાર કરીશું.

કોંગ્રેસના આ ચૂંટણી વાયદાને ઘોષણાપત્રમાં બજરંગદળ પર પ્રતિબંધની વાત કરવાથી થયેલા નુકસાનના ડેમેજ કંટ્રોલની જેમ જોઈ શકાય છે. કોંગ્રેસે પોતાના ઘોષણપત્રમાં પ્રતિબંધિત પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) અને બજરંગ દળને એક જેવુ સંગઠન માન્યુ છે અને કહ્યું કે, સત્તામાં આવ્યા બાદ તેઓ તેના પર પ્રતિબંધ લગાવશે. કોંગ્રેસ નેતા ડી.કે. શિવકુમારે ગુરુવારે (4 મેના રોજ) મૈસુદની દેવી ચામુંડેશ્વરીના દર્શન બાદ કહ્યું હતું કે, ‘કોંગ્રેસની સરકાર બન્યા બાદ હનુમાન મંદિરનું નિર્માણ કરીશું. રામ દૂત આંજનેય (હનુમાન)ના મંદિર દરેક જગ્યાએ છે.

અમે પણ તેમના ભક્ત છીએ. વિશેષ રૂપે આપણાં કન્નડવાસીઓમાં તેમના પ્રત્યે ગાઢ આસ્થા છે, જ્યાં આ વાતના પાક પ્રમાણ છે કે આંજનેયનો જન્મ આ જ રાજ્યમાં થયો હતો. કોંગ્રેસે પોતાના ઘોષણપત્રમાં કહ્યું હતું કે, અમારું માનવું છે કાયદો અને સંવિધાન પવિત્ર છે. બજરંગ દળ, PFI નફરત અને શત્રુતા ફેલાવનાર સંગઠન, ભલે તે લઘુમતીઓ વચ્ચેના હોય કે બહુમતીઓ વચ્ચેના. તેઓ કાયદા અને સંવિધાનનું ઉલ્લંઘન નહીં કરી શકે. અમે એવા સંગઠનો પર કાયદા હેઠળ પ્રતિબંધ લગાવવા સહિત નિર્ણાયક કાર્યવાહી કરીશું.

About The Author

Related Posts

Top News

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.