અધ્યક્ષ પદ સંભાળતાની સાથે શક્તિસિંહે કહ્યું-BJPમાં ગયેલા કોંગ્રેસીઓને પાછા લવાશે

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નવા અધ્યક્ષ અને રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલે પોતાનો કાર્યભાર સંભાળી લીધો છે. પાર્ટીએ તેમની 9 જૂને કોંગ્રેસ અધ્યક્ષ તરીકે જાહેરાત કરી હતી. ગોહિલ સૌરાષ્ટ્રના ભાવનગરના છે અને તેઓ આ પહેલા વિપક્ષ નેતા પણ રહી ચૂક્યા છે. તેમણે પોતાનો કાર્યભાર સંભાળ્યા પછી પત્રકાર પરિષદને સંબોધી હતી.

ગુજરાત કોંગ્રેસના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે પોતાનો કાર્યભાર સંભાળતાની સાથે તેમના તેવર સ્પષ્ટ કરી દીધા છે. સાબરમતી આશ્રમમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને નમન કર્યા પછી શક્તિસિંહ પદયાત્રા કરીને પાલડીમાં આવેલા પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય પહોંચ્યા હતા અને અધ્યક્ષ પદ ગ્રહણ કર્યું હતું. એ પછી તેમણે પાર્ટી કાર્યાલય રાજીવ ભવનમાં પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું.

ગુજરાત પ્રદેશ અધ્યક્ષ બન્યા પછી પહેલી પ્રેસ કોન્ફરન્સને સંબોધતા તેમણે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે જે કોંગ્રેસ નેતાઓ પાર્ટી છોડીને ભાજપમાં ગયા હતા તેમની ફરીથી ઘર વાપસી કરવામાં આવશે. બધાને સાથે જોડીને વૈમન્સ રહિત ગુજરાત બનાવીશું.

ગોહિલે આરોપ લગાવ્યો કે ભાજપ દબાણ બનાવીને નેતાઓને તોડવાનું કામ કરે છે. તેમણે કહ્યું કે કોંગ્રેસમાં આવવા ઇચ્છુક કેટલાંક નેતાઓ સાથે વાતચીત ચાલી રહી છે. તેમણે કહ્યું કે ગુજરાતમાં અમે એક પોઝિટિવ એજન્ડા લઇને ચાલીશું. તેમણે કહ્યુ કે કોંગ્રેસ નીચલી કક્ષાની રાજનીતિ નહીં કરે. ગોહિલે કહ્યું કે, એ સાચું છે કે ગુજરાતમાં કોંગ્રેસ વારંવાર હારી રહી છે, પરંતુ અમે સિધ્ધાંતોની સાથે સમાધાન નહીં કરીએ.

શક્તિસિંહ ગોહિલે મહાભારતનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે પાંડવોને પણ વારંવાર હારનો સામનો કરવો પડતો હતો, પરંતુ અંતે તેમની જીત થઇ હતી. ગોહિલે કહ્યું અંતમા જીત સત્યની જ થશે.

ગોહિલે એક સવાલના જવાબમાં કહ્યું કે કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે બજરંગ બલીનો મુદ્દો ઉઠાવ્યો હતો. પરંતુ પરિણામ પરથી સ્પષ્ટ થઇ ગયું છે કે બજરંગ બલી અને અલી બંને કોંગ્રેસની સાથે છે. તેમણે કહ્યું કે, અત્યારે ગુજરાતની સ્થિતિ ખરાબ છે. કોંગ્રેસ સત્તામાં આવશે તો બોલવા પર, લખવા પર અને ટીકા કરવા પર કેસ નહીં કરશે. વૈચારિક વિરોધની છૂટ આપવામાં આવશે.

પ્રદેશ પ્રમુખે કહ્યું કે, આજની સ્થિતિ ભયાનક છે, જે સરકારથી અલગ વિચાર રજૂ કરે તેમને પરેશાન કરવામાં આવે છે.ગોહિલે આરોપ લગાવતા કહ્યું હતું કે, ગુજરાતમાં પરિવર્તન નહીં થવાને કારણે ભયમૂક્ત ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે.

About The Author

Related Posts

Top News

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

મધ્ય પ્રદેશ હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે એક મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરતા કહ્યું કે, જો કોઈ મહિલા પુખ્ત હોય, તો તે...
National 
પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

પુત્રવધૂ સરપંચની ચૂંટણી 1 મતથી જીત્યા, સસરા સ્પેશિયલ અમેરિકાથી 1 વોટ નાખવા આવેલા

તેલંગાણાના નિર્મલ જિલ્લાના આ ચૂંટણીના સમાચાર સાબિત કરે છે કે, દરેક લોકોએ મત આપવો કેટલો મહત્વપૂર્ણ હોય છે. અહીં...
National 
પુત્રવધૂ સરપંચની ચૂંટણી 1 મતથી જીત્યા, સસરા સ્પેશિયલ અમેરિકાથી 1 વોટ નાખવા આવેલા

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.