મોદી સરકારે બોલાવ્યું સંસદનું વિશેષ સત્ર, લાવી શકે છે આ બિલ

કેન્દ્રની મોદી સરકારે સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું છે. આ સત્ર 18-22 સપ્ટેમ્બર સુધી ચાલશે. કહેવામાં આવી રહ્યું છે કે તેમાં 5 બેઠકો થશે. આ 17મી લોકસભાનું 13મું સત્ર અને રાજ્યસભાનું 261મુ સત્ર હશે. અમૃતકાળ વચ્ચે સંસદના વિશેષ સત્રમાં સાર્થક ચર્ચાઓ અને બહેસની આશા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ સત્રમાં 5 બેઠકો હશે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, સંસદના આ વિશેષ સત્રમાં મોદી સરકાર ‘એક દેશ એક ચૂંટણી’ પર બિલ લાવી શકે છે. દેશમાં ‘વન નેશન વન ઇલેક્શન’ને લઈને બહેસ ઘણા સમયથી ચાલી રહી છે. આ વર્ષે જાન્યુઆરીમાં લૉ કમિશને તેને લઈને રાજનૈતિક પાર્ટીઓ પાસેથી 6 સવાલોના જવાબ માગ્યા હતા. સરકાર તેને લાગૂ કરવા માગે છે તો ઘણી રાજનૈતિક પાર્ટી તેના વિરોધમાં છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યસભામાં ચર્ચા દરમિયાન કહ્યું હતું કે સીધા કહી દેજો કે અમે તેના પક્ષધર નથી. તમે તેના પર ચર્ચા કરો ભાઈ, તમારા વિચાર હશે. આપણે વસ્તુઓને સ્થગિત કેમ કરીએ છીએ. હું માનું છું કે જેટલા પણ મોટા-મોટા નેતા છે, તેમણે કહ્યું કે યાર આ બીમારીથી મુક્ત થવું જોઈએ. 5 વર્ષમાં એક વખત ચૂંટણી થાય, મહિના બે મહિનાનો ઉત્સવ ચાલે, ત્યારબાદ ફરી કામમાં લાગી જાય, આ વાત બધાએ કહી છે. સાર્વજનિક રૂપે સ્ટેન્ડ લેવામાં પરેશાની થતી હશે.

તેમણે કહ્યું કે, શું આ સમયની માગ નથી કે આપણાં દેશમાં ઓછામાં ઓછા વોટરોની લિસ્ટ તો એક હોય. આજે દેશનું દુર્ભાગ્ય છે કે જેટલી વખત મતદાન થાય છે એટલી જ વોટર લિસ્ટ આવે છે. 22માં લૉ કમિશને સાર્વજનિક નોટિસ જાહેર કરીને રાજનીતિક પાર્ટીઓ, ચૂંટણી પંચ અને ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા બધા સંગઠનોને લઈને તેમના વિચાર માગ્યા હતા. લૉ કમિશને પૂછ્યું હતું કે શું એક સાથે ચૂંટણી કરાવવું કોઈ પણ પ્રકારે લોકતંત્ર, સંવિધાનના મૂળ ઢાંચા કે દેશના સંઘીય ઢાંચા સાથે ખેલવાડ છે?

કમિશને પણ પૂછ્યું હતું કે હંગ એસેમ્બલી કે સામાન્ય ચૂંટણીમાં ત્રિશંકુ જનાદેશની સ્થિતિમાં જ્યારે કોઈ પણ પાર્ટી પાસે સરકાર બનાવવા માટે બહુમત ન હોય, ચૂંટણી સંસદ કે વિધાનસભાના સ્પીકર તરફથી વડાપ્રધાન કે મુખ્યમંત્રીની નિમણૂક કરી શકાય છે? સંવિધાનના અનુચ્છેદ 85 હેઠળ સંસદનું સત્ર બોલાવવાનું પ્રવધાન છે. એ હેઠળ સરકારને સંસદનું સત્ર બોલાવવાનો અધિકાર છે. સંસદીય બાબતોની કેબિનેટ સમિતિ નિર્ણય લે છે જેને રાષ્ટ્રપતિ દ્વારા ઔપચારિક રૂપ આપવામાં આવે છે, જેના માધ્યમથી સાંસદો (સંસદ સભ્યો)ને એક સત્રમાં બોલાવવામાં આવે છે.

આ સંશોધનની કેમ જરૂર?

આઝાદી બાદ વર્ષ 1952, 1957, 1962 અને 1967માં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે જ થતી હતી. ત્યારબાદ વર્ષ 1968 અને વર્ષ 1969માં ઘણી વિધાનસભાઓ સમય અગાઉ જ ભંગ કરી દેવામાં આવી. ત્યારબાદ વર્ષ 1970માં લોકસભા પણ ભંગ કરી દેવામાં આવી. તેનાથી એક સાથે ચૂંટણીની પરંપરા તૂટી ગઈ. ઑગસ્ટ 2018માં ‘વન નેશન વન ઇલેક્શન’ પર લૉ કમિશનનો રિપોર્ટ આવ્યો હતો.

આ રિપોર્ટમાં સૂચન આપવામાં આવ્યું હતું કે દેશમાં બે ચરણમાં ચૂંટણી કરાવી શકાય છે. પહેલા ફેઝમાં લોકસભા સાથે જ કેટલાક રાજ્યોની વિધાનસભાની ચૂંટણી અને બીજા ફેઝમાં બાકી રાજ્યોની વિધાનસભાની ચૂંટણી, પરંતુ તેના માટે કેટલીક વિધાનસભાઓનો કાર્યકાળ વધારવો પડશે તો કેટલીકનો સમય અગાઉ ભંગ કરવો પડશે અને આ બધુ સંવિધાન સંશોધન વિના સંભવ નથી.

About The Author

Related Posts

Top News

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

મધ્ય પ્રદેશ હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે એક મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરતા કહ્યું કે, જો કોઈ મહિલા પુખ્ત હોય, તો તે...
National 
પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.