મોદી સરનેમ કેસમાં આ તારીખે થશે સુનાવણી, SCની ગુજ. સરકાર અને પૂર્ણેશ મોદીને નોટિસ

મોદી સરનેમ કેસમાં રાહુલ ગાંધી દ્વારા ગુજરાત હાઇ કોર્ટના નિર્ણય વિરુદ્ધ અરજી દાખલ કરીને સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે આજે ગુજરાત સરકાર અને કેસના ફરિયાદકર્તા પૂર્ણેશ મોદીને નોટિસ મોકલી છે. રાહુલ ગાંધીનો પક્ષ રાખનારા વરિષ્ઠ એડવોકેટ અભિષેક મનુ સિંધવીએ સુપ્રીમ કોર્ટને અનુરોધ કર્યો કે સજાના નિર્ણય પર અથવા તો રોક લગાવવામાં આવે કે પછી જલદી સુનાવણી થાય. તો સુપ્રીમ કોર્ટે કહ્યું કે, સજા સંભળાવ્યા વિના નિર્ણય પર રોક નહીં લગાવી શકાય.

ત્યારબાદ સુપ્રીમ કોર્ટ તરફથી આ નોટિસ જાહેર કરવામાં આવી. કોર્ટે 10 દિવસમાં જવાબ આપવા પણ કહ્યું છે. સુપ્રીમ કોર્ટે 4 ઑગસ્ટના રોજ આગામી સુનાવણીની તારીખ આપી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ સ્તર પર સીમિત પ્રશ્ન એ છે કે શું દોષસિદ્ધિ રદ્દ કરવા યોગ્ય છે? તો સુનાવણી પૂર્વે કેસની સુનાવણી કરનારા બે ન્યાયાધીશોમાંથી જસ્ટિસ બી.આર. ગવઈએ પોતાને કેસથી અલગ કરી લીધા હતા. તેમણે આ નિર્ણય પર સ્પષ્ટીકરણ આપતા કહ્યું કે, ‘મને પરેશાની છે, મારા પિતા 40 વર્ષ કરતા વધુ સમય સુધી કોંગ્રેસ સાથે જોડાઈ રહ્યા છે. મારા ભાઈ અત્યારે પણ રાજનીતિમાં છે.’

રાહુલ ગાંધી તરફથી ઉપસ્થિત રહેલા વરિષ્ઠ વકીલ અભિષેક સિંધવીએ 18 જુલાઇએ કેસનો ઉલ્લેખ કર્યો હતો અને અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાનો અનુરોધ કર્યો હતો. ત્યારબાદ મુખ્ય ન્યાયાધીશ ડી.વાઇ. ચંદ્રચૂડની આગેવાનીવાળી પીઠ અરજી પર સુનાવણી માટે સહમત થઈ ગઈ હતી. અભિષેક મનુ સિંધવીએ સુપ્રીમ કોર્ટને 21 કે 24 જુલાઇના રોજ સૂચિબદ્ધ કરનાનો અનુરોધ કર્યો હતો. રાહુલ ગાંધીએ ગુજરાત હાઇકોર્ટના 7 જુલાઇના એ નિર્ણયને પડકાર આપ્યો છે, જેમાં કોર્ટે દોષસિદ્ધિ (2 વર્ષની સજા) પર રોક લગાવવાના અનુરોધ કરનારી અરજી ફગાવી દીધી હતી. ત્યારબાદ તેમણે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે.

રાહુલ ગાંધીએ પોતાની અરજીમાં કહ્યું કે, જો હાઇ કોર્ટના નિર્ણય પર રોક ન લગાવવામાં આવી તો તે લોકતાંત્રિક સંસ્થાઓને વ્યવસ્થિત રીતે, વારંવાર નબળી કરશે અને તેના પરિણામસ્વરૂપ લોકતંત્રનો શ્વાસ રૂંધાઈ જશે, જે ભારતના રાજનીતિક માહોલ અને ભવિષ્ય માટે ગંભીર રૂપે હાનિકારક હશે. અત્યંત સન્માનપૂર્વક એ દલીલ આપવામાં આવે છે કે જો વિવાદિત નિર્ણય પર રોક ન લગાવવામાં આવી તો તેનાથી સ્વતંત્ર ભાષણ, સ્વતંત્ર અભિવ્યક્તિ, સ્વતંત્ર વિચાર અને સ્વતંત્ર નિવેદનનો શ્વાસ રૂંધાઈ જશે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.