રામભદ્રાચાર્ય કહે છે- જાતિ પર વોટ નહીં મળે, રામ-કૃષ્ણની વાત કરશે એ જ રાજ કરશે

ચિત્રકૂટના તુલસી પીઠાધીશ્વર સ્વામી રામભદ્રાચાર્યે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર અને ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવના જાતિ ગણતરીના નિર્ણયનો વિરોધ કર્યો છે. તેમણે બંને નેતાઓને સલાહ આપતા કહ્યું કે, જાતિના આધારે વોટ મળવાના નથી. જે રામ અને કૃષ્ણની વાત કરશે એજ રાજ કરશે. તેમણે નીતીશ કુમાર અને તેજસ્વી યાદવ પર હિંદુઓને વહેંચવાનો આરોપ પણ લગાવ્યો છે. ચંપારણમાં રામકથા દરમિયાન તેમણે આ વાત કહી.

રામનગરના અર્જુન વિક્રમ શાહ સ્ટેડિયમમાં તેમણે રામકથાની શરૂઆત મંગળવારે કરી. રિપોર્ટ અનુસાર તેમણે પોતાના પ્રવચનમાં જાતિ ગણનાને લઇ બિહાર સરકાર પર નિશાનો સાધ્યો. તેમણે કહ્યું કે, મુખ્યમંત્રી નીતીશ કુમાર અને તેજસ્વી યાદવની જાતિગણના નીતતિ હિંદુઓમાં ત્રિરાડ પાડવાની છે. આ લોકોને કોણ સમજાવે કે હિંદુઓને જાતિના આધારે વહેંચી શકાય નહીં.

તેમણે કહ્યું કે, દેશને જાતિના આધારે વહેંચવાની નીતિ ક્યારે પણ સફળ થશે નહીં. જાતિના આધારે વોટ મળશે નહીં. હવે તો કામ કરનારાઓને જ વોટ મળશે. સ્વામી રામભદ્રાચાર્યે કહ્યું કે, જે રામ-કૃષ્ણની વાત કરશે તે જ ભારત પર રાજ કરશે. ચૂંટણીના માહોલમાં સ્વામીનું આ નિવેદન હવે રાજકીય ગલિયારામાં ચર્ચાનો વિષય બન્યો છે.

રામભદ્રાચાર્યે પોતાના પ્રવચનમાં કહ્યું કે, ભગવાન શ્રીકૃષ્ણ આપણા આદર્શ છે. હજારો વર્ષો પહેલા તેમણે સમાજમાં જે આદર્શ સ્થાપિત કર્યા તે આજે પણ લોકો માટે પ્રેરણાદાયી છે. જ્યારે પણ ધર્મ પર સંકટ આવે છે તો ભગવાન અવતાર લે છે. તેમણે રામચરિત માનસ અને વેદોનો ઉલ્લેખ કરતા કહ્યું કે, વેદ કશે અને ક્યારેય પણ સનાતન હિંદુ ધર્મને ભેદ કરતા નથી. તેમાં બધાં એકસમાન છે.

તેમના આ નિવેદન પછી બિહારનું રાજકારણ ગરમાયું છે. એકબાજુ ભાજપાએ તેમના આ નિવેદનનું સમર્થન કર્યું તો બીજી બાજુ મહાગઠબંધન નેતાએ તેમના નિવેદન બહાને એ સલાહ આપતા દેખાયા કે, સંતનું કામ પૂજાપાઠ કરવાનું છે, રાજકારણ કરવાનું નથી. તો RJD ધારાસભ્ય વિરેન્દ્ર કહે છે કે, કોઇપણ ધર્મ પ્રચારક કે સાધુ મહાત્માએ આ બધી વાતોથી દૂર રહેવું જોઇએ અને આ પ્રકારના રાજકારણમાં ભાગ લેવો જોઇએ નહીં. રામ હોય કે કૃષ્ણ કે ખુદા...કોઇપણ જાતિના કે ધર્મના હોય કોઇ એક માટે નથી. આ બધા માટે છે. આ રીતના નિવેદનથી સાધુ મહાત્માએ દૂર રહેવું જોઇએ.

About The Author

Related Posts

Top News

વડાપ્રધાન મોદીના ઉત્તરાધિકારી કોણ? ફડણવીસે આપ્યો સ્પષ્ટ જવાબ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ઉતરાધિકારી કોણ? એ બાબતે ઘણા સમયથી ચર્ચા શરૂ થઇ છે. તાજેતરમાં રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘની વડા...
National 
વડાપ્રધાન મોદીના ઉત્તરાધિકારી કોણ? ફડણવીસે આપ્યો સ્પષ્ટ જવાબ

ચાલુ વિમાનની અંદર અમેરિકન મહિલા શ્વાસ ઘૂંટાવાથી બેભાન થઇ ત્યારે કોંગ્રેસ નેતાએ બચાવ્યો તેનો જીવોમ

શનિવારે બપોરે ગોવાથી નવી દિલ્હી જતી ઇન્ડિગો ફ્લાઇટમાં એક અમેરિકન મુસાફર અચાનક બીમાર પડી ગઈ ત્યારે અંધાધૂંધી ફેલાઈ ગઈ. કેલિફોર્નિયાની...
National 
ચાલુ વિમાનની અંદર અમેરિકન મહિલા શ્વાસ ઘૂંટાવાથી બેભાન થઇ ત્યારે કોંગ્રેસ નેતાએ બચાવ્યો તેનો જીવોમ

ઇથેનોલ ફેક્ટરી સામે વિરોધ પ્રદર્શન ઉગ્ર થયું, પંજાબ, UP અને હરિયાણાથી ખેડૂતો પહોંચ્યા, કારણ છે જમીનનું નુકસાન

રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લાના ટિબ્બી શહેરમાં આ અઠવાડિયે થયેલી હિંસક અથડામણે સમગ્ર વિસ્તારને ચર્ચામાં લાવી દીધો. સેંકડો લોકો સામે FIR દાખલ...
National 
ઇથેનોલ ફેક્ટરી સામે વિરોધ પ્રદર્શન ઉગ્ર થયું, પંજાબ, UP અને હરિયાણાથી ખેડૂતો પહોંચ્યા, કારણ છે જમીનનું નુકસાન

કોણ છે નીતિન નબીન જેમને ભાજપે બનાવ્યા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ

ભારતીય જનતા પાર્ટીએ ફરીએકવાર બધાને ચોંકાવતા નીતિન નબીનને ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ તરીકે પસંદ કર્યા છે. નીતિન નબીન વિશે ભાગ્યે...
National 
કોણ છે નીતિન નબીન જેમને ભાજપે બનાવ્યા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ
Copyright (c) Khabarchhe All Rights Reserved.