રાજ્યપાલ બોલ્યા-ગર્ભવતી મહિલાઓ કરે સુંદરકાંડનો પાઠ, વાંચે રામાયણ

તેલંગાણાના રાજ્યપાલ તિમિલિસાઈ સૌંદરરાજને રવિવારે (11 જૂનના રોજ) કહ્યું કે, ‘ગર્ભવતી મહિલાઓ માનસિક અને શારીરિક રૂપે સ્વાસ્થ્ય બાળકોને જન્મ આપવા માટે સુંદરકાંડનો પાઠ કરે અને તેમણે રામાયણ જેવા મહાકાવ્યો પણ વાંચવા પડશે. તિમિલિસાઈ સૌંદરરાજને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) સાથે જોડાયેલા એક સંગઠનના ‘ગર્ભ સંસ્કાર’ કાર્યક્રમની શરૂઆત કરતા આ ટિપ્પણી કરી હતી. તિમિલિસાઈ સૌંદરરાજન પોતે પણ એક સ્ત્રી રોગ નિષ્ણાંત અને ભ્રૂણ ચિકિત્સક છે.

સંવર્ધિની ન્યાસ તરફથી તૈયાર કરવામાં આવેલા ‘ગર્ભ સંસ્કાર’ કાર્યક્રમ હેઠળ સંગઠન સાથે જોડાયેલા ડૉક્ટર ગર્ભવતી માતાઓને વૈજ્ઞાનિક અને પારંપારિક ઉપાયો બાબતે બતાવશે, જેથી તેઓ સંસ્કારી અને દેશભક્ત બાળકોને જન્મ આપી શકે. ઓનલાઇન માધ્યમથી જાહેર કરવામાં આવેલા ‘ગર્ભ સંસ્કાર’ મોડ્યુલ અનુસાર આ ઉપાયોમાં ભગવદ ગીતા જેવા ધાર્મિક ગ્રંથોના પાઠ કરવા, સંસ્કૃત મંત્રોનો જાપ કરવા અને યોગાભ્યાસ સામેલ હશે. આ પ્રક્રિયા ગર્ભધાનથી પહેલા પ્રસાવના ચરણ સુધી શરૂ થશે અને ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી સંતાન 2 વર્ષનું ન થઈ જાય.

આ કાર્યક્રમ દરમિયાન ગર્ભવતી મહિલાઓના પરિવારના સભ્યોનું પણ માર્ગદર્શન કરવામાં આવશે. સંવર્ધિની ન્યાસ, રાષ્ટ્ર સેવિકા સમિતિની એક શાખા છે. કાર્યક્રમને સંબોધિત કરતા તિમિલિસાઈ સૌંદરરાજને ગર્ભ સંસ્કાર’ કાર્યક્રમ મોડ્યુલ વિકસિત કરવામાં સંવર્ધિની ન્યાસના પ્રયાસોના વખાણ કર્યા અને કહ્યું કે, ગર્ભાવસ્થા પ્રત્યે આ વૈજ્ઞાનિક અને સમગ્ર દૃષ્ટિકોણના કાર્યાન્વયથી નિશ્ચિત રૂપે સકારાત્મક પરિણામ મળશે. ગામોમાં આપણે ગર્ભવતી મહિલાઓને રામાયણ, મહાભારત અને અન્ય મહાકાવ્યો સાથે સાથે સારી કહાનીઓ વાંચતા જોઈ છે.

ખાસ કરીને તામિલનાડુમાં એવી માન્યતા છે કે ગર્ભવતી મહિલાઓએ કમ્બ રામાયણના સુંદરકાંડનો પાઠ કરવો જોઈએ. ગર્ભાવસ્થા દરમિયાન સુંદરકાંડનો પાઠ કરવો બાળકો માટે ખૂબ સારો હશે. સુંદરકાંડ, રામાયણનો એક અધ્યાય છે. સંગઠનના એક વરિષ્ઠ પદાધિકારી મુજબ, ગર્ભ સંસ્કાર કાર્યક્રમને આખા દેશમાં સંવર્ધિની ન્યાસ સાથે જોડાયેલા ડૉક્ટરો દ્વારા લાગૂ કરવામાં આવશે. સંવર્ધિની ન્યાયાસના એક પદાધિકારીએ કહ્યું કે, આ ઉદ્દેશ્ય માટે અમે દેશને 5 ક્ષેત્રોમાં વચ્ચે છે અને દરેક ક્ષેત્રમાં 10 ડૉક્ટરોની ટીમ હશે જે આ કાર્યક્રમને લાગૂ કરશે.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.