PM મોદીએ કર્ણાટકમાં કહ્યું, કોંગ્રેસ મારી કબર ખોદવામાં વ્યસ્ત છે અને હું...

PC: news18.com

આગમી મહિનામાં કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે ત્યારે કર્ણાટક પહોંચેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બેંગલુરુ- મૈસૂર એક્સ્પ્રેસ વે રાષ્ટ્રને સમર્પિત કર્યો હતો.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે કર્ણાટકને ઘણી યોજનાઓ ભેટ આપી હતી અને બેંગલુરુ-મૈસુર એક્સપ્રેસવે રાષ્ટ્રને સમર્પિત કર્યો હતો. આ પછી તેમણે જનસભાને પણ સંબોધિત કરી અને કોંગ્રેસ પર જોરદાર નિશાન સાધ્યું હતું.PM મોદીએ કહ્યું, કોંગ્રેસ અને તેના સાથી પક્ષો મોદીની કબર ખોદવાનું સપનું જોઈ રહ્યા છે અને મોદી બેંગલુરુ એક્સપ્રેસવે બનાવવામાં વ્યસ્ત છે. કોંગ્રેસ મોદીની કબર ખોદવામાં વ્યસ્ત છે અને મોદી ગરીબોનું જીવન સરળ બનાવવામાં વ્યસ્ત છે. મોદીની કબર ખોદવાના સપના જોઈ રહેલી કોંગ્રેસને ખબર નથી કે દેશની કરોડો માતા-બહેનોના આશીર્વાદ મોદીની સૌથી મોટી સુરક્ષા કવચ છે.

કોંગ્રેસ પર નિશાન સાધતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, 2014 પહેલા કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી, તે દરમિયાન તેઓએ ગરીબને બરબાદ કરવામાં કોઈ કસર છોડી ન હતી. કોંગ્રેસ સરકારે ગરીબોના વિકાસ માટે હજારો કરોડ રૂપિયા લૂંટી લીધા હતા. કોંગ્રેસને ગરીબોની પીડા અને વેદનામાં ક્યારેય ફરક પડ્યો નથી. ખેડૂતોની નાની-નાની સમસ્યાઓ દૂર કર્યા બાદ પણ ભાજપ તેમની સમસ્યાઓનું નિરાકરણ લાવી રહી છે. માંડ્યાના પણ 2.5 લાખથી વધુ ખેડૂતોના ખાતામાં પૈસા મોકલવામાં આવ્યા છે.

PM મોદીએ પોતાની સરકારની ઉપલબ્ધિઓનો ઉલ્લેખ કરતા કહ્યું કે, છેલ્લા 9 વર્ષમાં ભાજપ સરકારની યોજનાઓથી કરોડો ગરીબોનું જીવન સરળ બન્યું છે. કોંગ્રેસના શાસનમાં ગરીબોને સુવિધાઓ માટે સરકારના ચક્કર કાપવા પડતા હતા. આપણા દેશમાં દાયકાઓથી પેન્ડિંગ સિંચાઈ યોજનાઓ પણ ઝડપથી પૂર્ણ થઈ રહી છે.આ વર્ષના બજેટમાં કેન્દ્ર સરકારે અપર ભદ્રા પ્રોજેક્ટ માટે 5,300 કરોડ રૂપિયાની જાહેરાત કરી છે. આનાથી કર્ણાટકના મોટા ભાગમાં સિંચાઈને લગતી સમસ્યાઓનું નિરાકરણ થવા જઈ રહ્યું છે.અમે નક્કી કર્યું છે કે અમે શેરડીમાંથી બનેલા ઈથેનોલનું ઉત્પાદન વધારીશું.એટલે કે, જો વધુ ઉત્પાદન થશે તો શેરડીમાંથી ઈથેનોલ બનાવવામાં આવશે.  ઇથેનોલથી  ખેડુતની આવક સુનિશ્ચિત કરવામાં આવશે.

આ પહેલાં નરેન્દ્ર મોદી જ્યારે માંડ્યા પહોંચ્યા ત્યારે કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઇએ તેમનું સ્વાગત કર્યુ હતું. માંડ્યામાં એક વિશાળ રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. કર્ણાટકમાં પણ રસ્તાઓ પર લોકોની ભારે ભીડ જોવા મળી હતી અને લોકોએ પ્રધાનમંત્રી પર પુષ્પોની વર્ષો કરી હતી.

પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે આજે મૈસૂર- કુશલનગર 4 લેન હાઇવેનો પણ શિલાન્યાસ થયો, આ બધા પ્રોજેક્ટ વિકાસના રસ્તાને એક નવી દિશા આપશે. તેમણે કહ્યું કે, ડબલ એન્જિન સરકારનો પ્રયાસ છે કે અમે તમારા પ્રેમને વ્યાજ સહિત પરત કરીએ અને ઝડપથી વિકાસ કરીને ચૂકતે કરીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp