પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો એક વીડિયો પાકિસ્તાનમાં વાયરલ થઇ રહ્યો છે, PMએ કહેલુ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો એક વીડિયો ભારતમાં તો વાયરલ થયો જ છે, પરંતુ પાકિસ્તાનમાં પણ જબરદસ્ત વાયરલ થઇ રહ્યો છે.   આ વીડિયોને પાકિસ્તાનના પૂર્વ મંત્રીથી માંડીને પત્રકારો પણ શેર કરી રહ્યા છે.

એક ન્યૂઝ ચેનલના રિપોર્ટ મજુબ PM મોદીનો આ વીડિયો વર્ષ 2019નો જણાવવામાં આવી રહ્યો છે. જેમાં તેઓ કહી રહ્યા છે કે અમે પાકિસ્તાનની હેકડી કાંઢી નાંખી છે મતલબ કે પાકિસ્તાનનો ઘમંડ દૂર કરી દીધો છે. તેને કટોરો લઇને દુનિયાભરમાં ફરવા માટે મજબૂર કરી દીધું છે. PM મોદીનો આ વીડિયો પાકિસ્તાનની પીટીઆઈ પાર્ટીના નેતા આઝમ ખાન સ્વાતિ સહિત ઘણા પૂર્વ મંત્રીઓએ શેર કર્યો છે.

આઝમ ખાન સ્વાતિએ પાકિસ્તાનની તત્કાલિન સરકાર પર નિશાન સાધ્યું અને લખ્યું  કે, પાકિસ્તાનની સત્તાધારી સરકારને એવું કહેતા શરમ આવવી જોઇએ કે તેઓ બદલાવ લાવી રહ્યા છે. લોકોએ હવે પાકિસ્તાનમાં સત્તા પરિવર્તન માટે વિચારવું જોઇએ. આ દેશને માત્ર ઇમરાન ખાન જ બચાવી શકે તેમ છે.

પાકિસ્તાનની વર્તમાન આર્થિક સ્થિતિ ખૂબ જ કંગાળ છે. હાલત એવી છે કે લોકો લોટ અને રોટી માટે રસ્તાઓ પર સંઘર્ષ કરતા જોવા મળે છે. પાકિસ્તાન દુનિયાના મોટા દેશો પાસેથી આર્થિક મદદની વિનંતી કરી રહ્યું છે.

તાજેતરમાં પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાને શાહબાજ શરીફની સરકાર પર નિશાન સાધીને કહ્યું હતું કે, શહબાઝ શરીફના નેતૃત્વમાં બદમાશોએ દેશની અર્થવ્યવસ્થા નષ્ટ કરી નાંખી છે. હવે પાકિસ્તાન સરકાર દુનિયાભરમાં ભીખ માંગી રહી છે.

ઇમરાન ખાને કહ્યુ હતું કે,જો આપણે આઈટી સેક્ટરનું ઉદાહરણ લઈએ તો વર્ષ 2000માં ભારતની આઈટી નિકાસ 8 હજાર કરોડ રૂપિયાની આસપાસ હતી જે આજે એક લાખ કરોડને આંબી ગઈ છે. અને જુઓ પાકિસ્તાન આજે ક્યાં ઊભું છે. શરીફ અને ઝરદારી નામના બે પરિવારો 35 વર્ષ સુધી સત્તામાં રહ્યા પરંતુ આ લોકોએ ક્યારેય તેની નિકાસ પર ધ્યાન આપ્યું નહીં.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આ વાયરલ વીડિયો શેર કરીને પાકિસ્તાન પત્રકાર નાયલા ઇનાયતે લખ્યું કે, મજાની વાત એ છે કે PTI નેતા આ વીડિયો શેર કરીને શાહબાઝ સરકારને એ કહેવા માંગે છે કે PM મોદી તેમની સરકાર વિશે શું કહી રહ્યા છે? આ વીડિયો 2019નો છે અને તે વખતે પાકિસ્તાનમાં ઇમરાન ખાનની સરકાર હતી.

તાજેતરમાં જ પાકિસ્તાનના PM શાહબાઝ શરીફે અલ અરેબિયા ટીવીને આપેલા ઈન્ટરવ્યુમાં ભારતને આર્થિક મદદ માટે વિનંતી કરી હતી. તેમણે કહ્યું કે તે બંને દેશો પર નિર્ભર કરે છે કે આપણે શાંતિથી રહીએ, પ્રગતિ કરીએ અથવા એકબીજા સાથે ઝઘડો કરીને આપણો સમય અને સંશાધન વેડફી નાંખીએ. પાકિસ્તાને ભારત સાથે ત્રણ યુદ્ધો કર્યા છે, જેના કારણે દેશમાં ગરીબી અને બેરોજગારી આવી છે. અમે આમાંથી બોધપાઠ શીખ્યા છે. અમે હવે શાંતિથી જીવવા માંગીએ છીએ અને અમારી તમામ સમસ્યાઓ ઉકેલવા માંગીએ છીએ.

શાહબાઝે એમ પણ કહ્યું કે અમે પાકિસ્તાનમાં ગરીબી ખતમ કરવા અને સમૃદ્ધિ લાવવા માંગીએ છીએ. અમે અમારા લોકોને વધુ સારી શિક્ષણ અને આરોગ્ય સુવિધાઓ અને રોજગારની તકો આપવા માંગીએ છીએ. અમે અમારા સંશાધનો બોમ્બ અને દારૂગોળો પર વેડફવા માંગતા નથી. શાહબાઝે કહ્યું કે હું આ સંદેશ PM મોદીને આપવા માંગુ છું

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.