રામ મંદિર નિર્માણની તારીખ માગનારાઓને ઘરનો રસ્તો દેખાડી દેવામાં આવ્યો: CM શિંદે

PC: indiatoday.in

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ નામ લીધા વિના ઉદ્ધવ ઠાકરે પર હિન્દુત્વની વિચારધારથી સાઇડ થવા માટે પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું કે, રામ મંદિરના નિર્માણ પર શંકા વ્યક્ત કરનારાઓને ઘરનો રસ્તો દેખાડી દેવામાં આવ્યો છે. એકનાથ શિંદેએ અયોધ્યામાં રામલલાના દર્શન કરવા અને મંદિર નિર્માણ કાર્યને જોયા બાદ મીડિયા સાથે વાત કરી હતી. એકનાથ શિંદે ગયા વર્ષે જૂનમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બન્યા બાદ અયોધ્યાના પોતાના પહેલા પ્રવાસ પર હતા.

તેમની સાથે અયોધ્યામાં હજારો શિવસૈનિક પણ હતા, જેમણે શિવસેનાના ચૂંટણી ચિહ્નવાળા ભગવા ઝંડા માટે જોવામાં આવ્યા હતા. વિપક્ષના વારંવાર નારા લગાવવા પર ટિપ્પણી કરતા કહ્યું કે, ‘દરેક કહેતું હતું મંદિર ત્યાં જ બનાવીશું, પરંતુ તારીખ નહીં બતાવીએ, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કામ શરૂ કરાવી દીધું છે અને કરોડો રામ ભક્તોનું સપનું પૂરું થઈ રહ્યું છે. હવે તારીખ માગનારાઓને પણ ઘરનો રસ્તો દેખાડી દેવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, લખનૌથી અયોધ્યા સુધીનો આખો માહોલ રામમય થઈ ગયો હતો અને તેમને ખુશી છે કે તેઓ તીર અને કામઠા (શિવસેનાનું ચૂંટણી ચિહ્ન) સાથે પવિત્ર શહેર આવ્યા છે.

તેમણે એવી પણ જાહેરાત કરી કે, અયોધ્યાથી માટીને અમરાવતી લઈ જવામાં આવશે, જ્યાં ભગવાન હનુમાનની 111 ફૂટ ઊંચી પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે. ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી મહા વિકાસ આઘાડી (MVA) સરકારને પાડવાના પોતાના નિર્ણયને યોગ્ય ઠેરવતા એકનાથ શિંદેએ કહ્યું કે, જનાદેશ (ઓક્ટોબર 2019ની વિધાનસભાની ચૂંટણી) શિવસેના અને ભારતીય જનતા પાર્ટી (BJP) માટે હતો, પરંતુ તેઓ (ઉદ્ધવ ઠાકરે અને અન્ય) એ લોકો સાથે સરકાર બનાવવાનું પસંદ કરતા હતા, જેમને બાળાસાહેબ ઠાકરે ક્યારેય પસંદ કરતા નહોતા.

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે દ્વારા તેમની સરકારને ‘રાવણ રાજ’ કહેવા બાબતે એકનાથ શિંદેએ કહ્યું કે, જે લોકો તેને રાવણ રાજ કહેતા હતા તેમને બતાવી દો કે આ સરકાર ભગવાન રામના આશીર્વાદથી બની છે. ભગવાન રામના આશીર્વાદથી તેમને  ‘તીર અને કામઠા’નું ચૂંટણી ચિહ્ન મળ્યું છે. નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ લખનૌ પહોંચવા પર અયોધ્યાના પ્રવાસને લઈને ખુશી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે, હું ખૂબ ખુશ છું કે હું ભગવાન રામ પાસે આશીર્વાદ લેવા અયોધ્યા જઈ રહ્યો છું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp