ઉદ્ધવને સુપ્રીમ કોર્ટમાંથી રાહત ન મળી, શિંદે ગ્રુપ પાસે જ રહેશે શિવસેના

ઉદ્ધવ ગ્રુપને સુપ્રીમ કોર્ટમાંથી હજુ સુધી રાહત મળી નથી. કોર્ટે ચૂંટણી પંચના નિર્ણયને યથાવત રાખ્યો છે. એટલે કે શિવસેના અને ધનુષ બાણ બંને શિંદે ગ્રુપની પાસે જ રહેશે.એવું પણ કહેવામાં આવ્યું છે કે ચૂંટણી પંચ દ્વારા ઉદ્ધવ જૂથને આપવામાં આવેલ મશાલ ટોર્ચનું ચૂંટણી ચિહ્ન ભવિષ્યમાં પણ ચાલુ રહી શકે છે.

સુપ્રીમ કોર્ટમાંથી પણ ઉદ્ધવ ઠાકરેને હજુ સુધી રાહત મળી નથી. કોર્ટે ચૂંટણી પંચના નિર્ણયને યથાવત રાખ્યો છે. એટલે કે શિવસેના અને ધનુષ બાણ શિંદે ગ્રુપ પાસે રહેશે. આ સિવાય કોર્ટે ઉદ્ધવ અને શિંદે બંને પક્ષોને નોટિસ પણ પાઠવી છે.

થોડા દિવસો પહેલા ચૂંટણી પંચે ઉદ્ધવ ગ્રુપને મોટો ઝટકો આપ્યો હતો. ચૂંટણી પંચે શિંદે ગ્રુપને વાસ્તવિક શિવસેના માન્યું હતું અને ધનુષ અને તીરનું પ્રતીક પણ તેમની પાસે ગયું હતું. તે નિર્ણયને ઉદ્ધવ ગ્રુપ દ્વારા સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો, પરંતુ હવે ત્યાંથી પણ કોઈ રાહત નથી. ચૂંટણી પંચના નિર્ણયને યથાવત રાખવામાં આવ્યો છે.

બુધવારે સુનાવણી દરમિયાન વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે ઉદ્ધવ ગ્રુપ વતી દલીલ કરી હતી.તેમણે એમ પણ કહ્યું હતું કે 21 જૂન પહેલા પક્ષની અંદર કોઈ અસંમતિ કે મતભેદ નહોતા. મતભેદનો મુદ્દો ત્યારે જાણી શકાયો જ્યારે શિંદે ગ્રુપના લોકોએ આસામ જઇને નિવેદન આપવાનું શરૂ કર્યુ હતું. સિબ્બલે સવાલ કર્યો કે બળવાખોરો પાર્ટીની ટિકિટ પર ચૂંટણી લડે છે, બહુમતી ભોગવે છે. અને પછી  પાર્ટી બદલી નાંખે છે. સદસ્યતા એ કોઈની ખાનગી મિલકત નથી, જેનો તેઓ  વેપાર કરવા મંડી પડે.

સુનાવણી દરમિયાન કપિલ સિબ્બલે એ પણ દલીલ કરી  હતી કે ચુંટણી પંચના નિર્ણયનો આધાર તો એ હતો કે વિધાનસભાફ્લોર ટેસ્ટ થઈ શકે. તેમને આ ટ્રેન્ડ પર પણ અનેક સવાલો છે. હવે આ સમયે ઉદ્ધવ ગ્રુપ સામે અનેક પડકારો ઉભા છે. તેમણે નવેસરથી રાજનીતિ શરૂ કરવી પડશે, તે પણ શિવસેના વિના. સૌથી મોટી કસોટી BMC ચૂંટણીના રૂપમાં આવવાની છે જ્યાં લાંબા સમયથી શિવસેનાનો દબદબો છે. પરંતુ આ વખતે શિવસેના એકનાથ શિંદે પાસે ગઈ હોવાથી ઉદ્ધવે પોતાનું રાજકીય પાસા નવેસરથી ગોઠવવા પડશે.

આ રાજકીય આંચકા પર ઉદ્ધવ ઠાકરેએ તેમના તરફથી પ્રતિક્રિયા આપી દીધી હતી. તેમણે ભારપૂર્વક કહ્યું હતું  કે તેમની શિવસેનાની ચોરી થઈ ગઈ છે અને તેઓ આ જ વાતનો જનતામાં પ્રચાર કરવા જઈ રહ્યા છે. મીડિયા સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે શિવસેનાનો જન્મ ભારતીય જનતા પાર્ટીના પગ ચાટવા માટે થયો નથી. ઉદ્ધવ ઠાકરેએ વધુમાં કહ્યું કે, 'સોપારી' આપીને શિવસેનાને ખતમ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે.

ઉદ્ધવ ઠાકરેએ કહ્યુ હતું કે,અત્યારે આપણા માટે આ સૌથી મુશ્કેલ સમય છે. આજે આપણે ફરી એ તબક્કે આવ્યા છીએ, જ્યારે શિવસેના પ્રમુખ બાળાસાહેબ આપણને છોડીને ચાલ્યા ગયા હતા. બાળાસાહેબના નિધન બાદ કહેવામાં આવ્યું હતું કે હવે શિવસેના ચાલી શકશે નહીં. પરંતુ અમે આ વાત ખોટી સાબિત કરી. અમે શિવસેનાને ચલાવીને બતાવ્યું. કેન્દ્રની મોદી સરકાર પર નિશાન સાધતા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે કે જો આપણે અત્યારે નહીં જાગીએ તો 2024 પછી આપણે સરમુખત્યારશાહીને આધીન થઇ જઇશું.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.