નથી માની રહ્યા DMK નેતા ઉદયનિધિ સ્ટાલિન, હવે સનાતન ધર્મને લઈને કહી દીધી આ વાત

તામિલનાડુના મંત્રી ઉદયનિધિ સ્ટાલિને ફરી એક વખત વિવાદ ઊભો કરતા સોમવારે પોતાના વિચારોનું સમર્થન કર્યું કે સનાતન ધર્મનો હંમેશાં વિરોધ કરવો જોઈએ. INDIA ગઠબંધનના ઘટક દળ DMK નેતા ઉદયનિધિ સ્ટાલિનના ગત નિવેદનો પર અગાઉ પણ ભારે વિવાદ થઈ ચૂક્યો છે, એવામાં તેમનું આ નવું નિવેદન વિપક્ષી પાર્ટીઓ માટે મુશ્કેલ બની શકે છે. ઉદયનિધિ સ્ટાલિને સનાતન ધર્મની તુલના ડેન્ગ્યૂ અને મલેરિયા સાથે કરી હતી. ત્યારબાદ ખૂબ વિવાદ થયો હતો અને INDIA ગઠબંધનના નેતા અસહજ સ્થિતિમાં પહોંચી ગયા હતા.

મુખ્યમંત્રી એમકે સ્ટાલિનના પુત્ર અને રાજ્યના યુવા કલ્યાણ તેમજ સ્પોર્ટ્સ મિનિસ્ટર ઉદયનિધિ સ્ટાલિન દ્વારા સનાતન ધર્મ વિરુદ્ધ આપવામાં આવેલા નિવેદનો પર નિષ્ક્રિયતાને લઈને મદ્રાસ હાઇકોર્ટે તામિલનાડુ પોલીસને જોરદાર ફટકાર લગાવી હતી. ત્યારબાદ જાહેર કરેલા હાલના નિવેદનમાં ઉદયનિધિ સ્ટાલિને ફરી એક વખત સનાતન ધર્મનો વિરોધ કરવાની વાત કહી. તામિલનાડુ પોલીસને ફટકાર લગાવતા મદ્રાસ હાઇકોર્ટે કહ્યું હતું કે, કોઈ પણ વ્યક્તિને વિભાજનકારી વિચારોને પ્રોત્સાહન આપવા કે કોઈ વિચારધારાને ખતમ કરવાનો અધિકાર નથી.

પોતાના હાલના નિવેદનમાં ઉદયનિધિ સ્ટાલિને કહ્યું કે, આપણે ઘણા વર્ષોથી સનાતન બાબતે વાત કરી રહ્યા છીએ. રાષ્ટ્રીય પાત્રતા સહ પ્રવેશ પરીક્ષા (NEET) એક હાલનો મુદ્દો છે. સનાતન ધર્મનો મુદ્દો સેકડો વર્ષ જૂનો છે. અમે તેનો હંમેશાં વિરોધ કરીશું. ઉદયનિધિ સ્ટાલિને કહ્યું કે, તેમણે કંઇ પણ ખોટું કહ્યું નથી. મેં જે કહ્યું એ સાચું હતું અને હું કાયદાકીય પરિણામ ભોગવવા તૈયાર છું. હું પોતાનું નિવેદન નહીં બદલું. ઉદયનિધિનું માનવું છે કે, સનાતન ધર્મનો વિરોધ કરવાની જગ્યાએ તેને સમાપ્ત કરી દેવો જોઈએ.

DMK નેતાએ આ અગાઉ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, સનાતન નામ સંસ્કૃતમાંથી લેવામાં આવ્યું છે. જે સામાજિક ન્યાય અને સમાનતા વિરુદ્ધ છે. આપણે કોરોના, ડેન્ગ્યૂ અને મચ્છરોનો વિરોધ નહીં કરી શકીએ. આપણે તેને સમાપ્ત કરવા પડશે અને એ જ પ્રકારે સનાતનને સમાપ્ત કરવો પડશે. હવે ઉદયનિધિ સ્ટાલિનના નિવેદનની રાજકારણ પર શું અસર થાય છે અને સામાન્ય જનતા તેને કેવી રીતે લે છે તે તો આગામી દિવસોમાં ખબર પડી જ જશે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.