સાચા વિશ્વગુરુ માટે યુક્રેનનું સમર્થન જ એકમાત્ર યોગ્ય વિકલ્પ: યુક્રેની મંત્રી

4 દિવસીય યાત્રા પર ભારત આવેલા યુક્રેનના ઉપવિદેશ મંત્રી એમીન ઝારપોવાએ ભારત-રશિયાના સંબંધો પર ટિપ્પણી કરતા કહ્યું છે કે, યુક્રેન ભારતને નિર્દેશ આપવાની સ્થિતિમાં નથી, પરંતુ ભારતે ઉર્જા સાથે સાથે સૈન્ય સંસાધનોને લઈને વ્યાવહારિક થવાની જરૂરિયાત છે. માત્ર રશિયા પર નિર્ભર રહેવું ભારતને ભારે પડી શકે છે કેમ કે રશિયા તેને બ્લેકમેઇલિંગના ઉપકરણની જેમ ઉપયોગ કરે છે. ઝારપોવાએ ભારતીય વિદેશ સચિવ (પશ્ચિમ) સંજય વર્મા સાથે મુલાકાત બાદ મીડિયા સાથે વાત કરી જ્યાં તેમને ભારતના રશિયા પાસેથી તેલ ખરીદવાને લઈને સવાલ કરવામાં આવ્યો હતો.

જવાબમાં તેમણે કહ્યું કે, અમે બીજા દેશો સાથે આર્થિક સંબંધોને લઈને ભારતને નિર્દેશ આપવાની સ્થિતિમાં નથી. અમારું માનવું છે કે, ઉર્જા સાથે સાથે સૈન્ય સંસાધનોમાં પણ વિવિધતા લાવવાની જરૂરિયાત છે. અમે જોયું છે કે જો તમે રશિયા પર નિર્ભર થઈ ગયા તો તે બ્લેકમેઇલ ઇન્સ્ટ્રુમેન્ટની જેમ ઉપયોગ કરશે. ઝારપોવાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કરતા કહ્યું કે, મોદીનું લોકતંત્ર, સંવાદ અને વિવિધતાની નીતિ અને આ યુદ્ધનો યુગ નથી. તેને રણનૈતિક રૂપે અમલમાં લાવવું ખૂબ મહત્ત્વપૂર્ણ છે.

તેમણે યુક્રેન પર રશિયાના આક્રમણનો ઉલ્લેખ કરતા કહ્યું કે, તેમનો દેશ પોતાના પાડોશી રશિયા તરફથી કોઈ કારણ વિના કરવામાં આવેલા યુદ્ધનો શિકાર છે. ભારત આવ્યા બાદ ઝાપરોવાએ પોતાની એક ટ્વીટમાં લખ્યું કે, સંતો અને ગુરુઓને જન્મ આપનારી ભૂમિની યાત્રા કરીને ખુશી થઈ. આજે ભારત વિશ્વગુરુ, વૈશ્વિક શિક્ષક અને મધ્યસ્થ બનવા માગે છે. અમારા મામલે નિર્દોષ પીડિતો વિરુદ્ધ એક હુમલાવરની ખૂબ સ્પષ્ટ તસવીર છે. સાચા વિશ્વગુરુ માટે યુક્રેનનું સમર્થન જ એકમાત્ર યોગ્ય વિકલ્પ છે.

યુક્રેની મંત્રીએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાત કરીને તેમને પોતાના દેશ બોલાવવા માગે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અગાઉ પણ ઝેલેન્સ્કી સાથે ફોન પર વાત કરી ચૂક્યા છે. ગયા વર્ષે ઓક્ટોબરની શરૂઆતમાં બંને નેતાઓ વચ્ચે ફોન પર વાતચીત થઈ હતી, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, સમસ્યાનું સૈન્ય સમાધાન નહીં હોય શકે અને ભારત શાંતિ માટે કોઈ પણ પ્રયાસમાં યોગદાન આપવા માટે તૈયાર છે.

About The Author

Related Posts

Top News

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

મધ્ય પ્રદેશ હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે એક મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરતા કહ્યું કે, જો કોઈ મહિલા પુખ્ત હોય, તો તે...
National 
પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.