વર્લ્ડ કપની ફાઇનલમાં કપિલ દેવને આમંત્રણ ન મળવા પર ગુસ્સે થયા કોંગ્રેસ નેતા

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રવિવારે ફાઇનલ રમાઈ હતી. મેચ દરમિયાન અત્યાર સુધીના બધા વર્લ્ડ કપ વિજેતા કેપ્ટનો સામેલ થયા હતા, પરંતુ તેમાં કપિલ દેવ નહોતા. તેને લઈને કોંગ્રેસ નેતા જયરામ રમેશ કહ્યું કે, એ પૂરી રીતે અસ્વીકાર્ય છે કે કપિલ દેવને અમદાવાદમાં વર્લ્ડ કપ ફાઇનલ માટે BCCIએ આમંત્રિત ન કર્યા. બેદીની જેમ કપિલ દેવ પણ પોતાની વાત કહેવા માટે જાણીતા છે અને તેઓ થોડા મહિના અગાઉ આંદોલનકારી મહિલા પહેલવાનોના સમર્થનમાં ખૂલીને સામે આવ્યા હતા.

BCCI તરફથી જાહેર કરવામાં આવેલા પ્લાન મુજબ રવિવારે મેચ દરમિયાન વિશ્વ વિજેતા ટીમોના કેપ્ટનોને સન્માન કરવાનું હતું, જેના માટે કપિલ દેવને આમંત્રિત કરવામાં આવ્યા નહોતા. તો કપિલ દેવે દાવો કર્યો કે, તેમને વર્લ્ડ કપમાં ફાઇનલ માટે આમંત્રિત કરવામાં આવ્યા નહોતા. વર્ષ 1983માં ભારતને પહેલી વન-ડે ટ્રોફી અપાવનારા કપિલ દેવે કહ્યું કે, હું પોતાના બાકી સાથીઓ સાથે યાત્રા કરવા માગતો હતો, પરંતુ મને ત્યાં આમંત્રિત કરવામાં આવ્યો નહોતો. મને તેમણે ન બોલાવ્યો એટલે હું ન ગયો.

તેમણે આગળ કહ્યું કે, હું ઈચ્છતો હતો કે ત્યાં મારી સાથે આખી 1983ની ટીમ રહે, પરંતુ મને લાગે છે કે આ આટલું મોટું આયોજન છે અને લોકો જવાબદારી સંભળવામાં એટલા વ્યસ્ત છે કે ક્યારેક ક્યારેક તેઓ ભૂલી જાય છે. રવિવાર બપોરથી જ સોશિયલ મીડિયા પર વીડિયો શેર થઈ રહ્યો હતો. આ મામલો વેગ પકડી શકે છે કેમ કે કપિલ દેવાની લિડરશીપમાં જ ભારતને પહેલી વખત વર્લ્ડ કપની ટ્રોફી મળી હતી. ત્યારે 60 ઓવરની મેચ રહેતી હતી અને ભારત સામે વેસ્ટ ઇન્ડીઝની શાનદાર ટીમ ફાઇનલમાં હતી.

જો વર્લ્ડ કપ 2023ની ફાઇનલ મેચની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતીય ટીમે પહેલા બેટિંગ કરતા શરૂઆત પણ શાનદાર કરી, પરંતુ ત્યારબાદ સતત વિકેટ પડતી રહી. ભારતે પહેલા બેટિંગ કરતા સીમિત 50 ઓવરમાં 10 વિકેટ ગુમાવીને 240 રન જ બનાવ્યા હતા. ભારત તરફથી સૌથી વધુ 66 રન કેએલ રાહુલે કર્યા, જ્યારે કોહલીએ 54 રનની ઇનિંગ રમી. 241 રનના લક્ષ્યનો પીછો કરતા ઓસ્ટ્રેલિયન ટીમે 43 ઓવરમાં જ 4 વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું અને ટ્રોફી પણ પોતાના નામે કરી લીધી હતી.

About The Author

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.