.. તો 15 રૂપિયા લીટર મળશે પેટ્રોલ, નીતિન ગડકરીએ જણાવ્યું કેવી રીતે થશે સંભવ

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ હવે એવું નિવેદન આપ્યું છે જેના પર લોકો હેરાન પણ થયા અને ખુશ પણ. રાજસ્થાનના પ્રતાપગઢમાં એક કાર્યક્રમને સંબોધિત કરતા તેમણે કહ્યું કે, “જો 60 ટકા ઇથેનોલ અને 40 ટકા વીજળીનો ઉપયોગ કરવામાં આવે છે તો પેટ્રોલ 15 રૂપિયા પ્રતિ લીટર ઉપલબ્ધ થઈ શકે છે. તેનાથી પ્રદૂષણ પણ સમાપ્ત થશે. સાથે જ ફ્યૂલ ઇમ્પોર્ટને પણ ઓછું કરી શકાશે. નીતિન ગડકરીએ જણાવ્યું કે, ખેડૂત હવે અન્નદાતા નહીં, ઉર્જાદાતા પણ બનશે.

તેમણે કહ્યું કે, ઑગસ્ટ મહિનામાં ટોયોટા કંપનીની ગાડીઓને લોન્ચ કરી રહ્યો છું. આ બધી ગાડીઓ ખેડૂતી તરફથી તૈયાર કરેલા ઇથેનોલ પર ચાલશે. 60 ટકા ઇથેનોલ અને 40 ટકા વીજળી, તેનું એવરેજ પકડવામાં આવશે તો 15 રૂપિયા પ્રતિ લીટર પેટ્રોલનો ભાવ હશે. જ્યારે ઇથેનોલથી ગાડીઓ ચાલશે તો ઓછા ખર્ચના કારણે જનતાનું પણ ભલું થશે, ખેડૂતોનું પણ ભલું થશે. સાથે જ દેશની જનતાનું પણ ભલું થશે. હાલના સમયમાં ફ્યૂલ ઇમ્પોર્ટ 16 લાખ કરોડ રૂપિયાનું છે.

ઇથેનોલના ઉપયોગથી તેને ઓછું કરી શકાશે, તો આ પૈસા બહાર મોકલવાની જગ્યાએ ખેડૂતોના ઘરે જશે. ખેડૂત પણ ખુશાલ રહેશે. ઉલ્લેખનીય છે કે, આગામી મહિને નીતિન ગડકરી ટોયોટા કંપનીની કાર લોન્ચ કરવાના છે, જેમાં 100 ટકા ફ્લેક્સ ફ્યૂલ એન્જિન હશે અને તે 100 ટકા ઇથેનોલથી ચાલશે. ઇથેનોલનું ઉત્પાદન શેરડીમાંથી થાય છે અને ભારતના લાખો ખેડૂત શેરડીની રોપણી કરે છે, જેમની રોજી રોટીનું મધ્યમ આ જ છે.

કેન્દ્રીય મંત્રીનું કહેવું માનીએ તો દેશમમાં ટૂ-વ્હીલરથી લઈને બધા પ્રકારની ગાડીઓ આગામી દિવસોમાં ઇથેનોલથી ચાલશે. નીતિન ગડકરીએ રાજસ્થાનના પ્રત્યપગઢમાં 5,600 કરોડ રૂપિયાના 11 નેશનલ હાઇવે પ્રોજેક્ટનું ઉદ્વઘાટન અને નિર્માણ કાર્ય શરૂ કરતા ઘણી મોટી જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું કે, દેશમાં વાહન ઉદ્યોગનો બિઝનેસ લગભગ 7.55 લાખ કરોડ રૂપિયાનો છે. નીતિન ગડકરીનું કહેવું છે કે, સરકારે આગામી દિવસોમાં પેટ્રોલ-ડીઝલ પર નિર્ભરતા ઓછી કરવા માટે પ્લાન તૈયાર કરી લીધો છે.

તેઓ ઘણી વખત કહી ચૂક્યા છે કે તેમણે 5 વર્ષમાં પેટ્રોલના ઉપયોગને સમાપ્ત કરવાનો બેડો ઉપાડ્યો છે, જેના પર તેજીથી કામ ચાલી રહ્યું છે એટલે ફલેક્સી એન્જિન પર ભાર આપવામાં આવી રહ્યો છે. સાથે જ ઇલેક્ટ્રિક કારો માટે ઇન્ફ્રાસ્ટ્રકચર વિકસિત કરવામાં આવી રહ્યું છે. આ અનુસંધાને નીતિન ગડકરીએ ફ્લેક્સ ફ્યૂલ કમ્પેબિલિટી એન્જિન બનાવવા માટે ઑટોમોબાઇલ કંપનીઓને નિર્દેશ આપ્યા છે અને બધી બરાબર રહ્યું તો આગામી થોડા વર્ષોમાં ભારતીય માર્ગો પર પેટ્રોલ અને ફ્યૂલના મિશ્રણવાળા ફ્યૂલથી ચાલતી ગાડીઓ દોડવા લાગશે.

About The Author

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.