‘POK પોતાની જાતે જ ભારતમાં મળી જશે, થોડી રાહ જુવોઃ મોદી સરકારના મંત્રી

કેન્દ્રીય રાજ્ય મંત્રી જનરલ (સેવાનિવૃત્ત) વી.કે. સિંહે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK)ને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, પાકિસ્તાનના કબજાવાળું કાશ્મીર થોડા સમય બાદ પોતાની જાતે જ ભારતમાં મળી જશે. રાજસ્થાનના દૌસામાં વી.કે. સિંહે POKના શિયા મુસ્લિમોની ભારત માટે રસ્તા ખોલવાની માગ બાબતે પૂછવામાં આવતા તેમણે જવાબ આપ્યો કે, ‘થોડો સમય રાહ જુવો, POK પોતાની જાતે જ ભારતમાં વિલય થઈ જશે.’

દૌસામાં ભાજપની પરિવર્તન સંકલ્પ યાત્રા દરમિયાન મીડિયાને સંબોધિત કરતા વી.કે. સિંહે હિન્દુત્વના મુદ્દા પર રાહુલ ગાંધી તરફથી હાલમાં આપવામાં આવેલા નિવેદનને લઈને કહ્યું કે, ‘જે વ્યક્તિ ભારતમાં પેન્ટ, ટી-શર્ટ અને વિદેશમાં જઈને કુરતો પાઈજામો પહેરે, તેના માટે શું કહી શકાય છે. રાહુલ ગાંધીએ જનોઈ પહેરી, મંદિર જઈને ઘંટી વગાડી. કૈલાશ માનસરોવરની યાત્રા જવા અગાઉ નોનવેજ ખાઈને ગયા. એવામાં જેમને ખબર નથી કે ધર્મ શું હોય છે, તેમના માટે કંઇ નહીં બોલી શકાય.

કેન્દ્રીય મંત્રી વી.કે. સિંહે પ્રિયંકા ગાંધી પર પણ પ્રહાર કર્યો હતો. પ્રિયંકા ગાંધીએ ટોંકમાં નિવાઈમાં G20ના આયોજન સ્થળ ભારત મંડપમમાં વરસાદનું પાણી ભરવાને લઈને નિવેદન આપ્યું હતું. તેના પર વી.કે. સિંહે કહ્યું કે, કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીનું સ્ટેસ્ટમેન્ટ વાંચીને મને લાગ્યું કે તેઓ અત્યારે બાલિશ વધારે છે. કોઈ પણ વ્યક્તિ મનમાં પોતાના દેશ માટે સારો ભાવ રાખતી નથી તો પછી તેના માટે શું કહી શકાય છે? G20ના સફળ આયોજન પર વી.કે. સિંહે કહ્યું કે, G20 શિખર સંમેલન સફળ રહ્યું. એવું સંગઠિત આયોજન અગાઉ ક્યારેય થયું નથી.

દેશના 60 શહેરોમાં લગભગ 200 બેઠકો આયોજિત કરવામાં આવી. તેમણે કહ્યું કે એટલા સફળ આયોજન માટે અન્ય દેશોએ પણ ભારતના વખાણ કર્યા. સામૂહિક ઘોષણાપત્રમાં ભારતને મોટી જીત મળી છે. દુનિયા યુક્રેન સહિત ઘણા મુદ્દાઓ પર વહેચાઈ હતી, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બુદ્ધિમત્તાથી આપણાં બધાએ એવો માર્ગ કાઢ્યો, જેના પર કોઈ દેશને કોઈ આપત્તિ નહોતી. બાયોફ્યૂલ અલાયન્સ અને ભારતથી યુરોપ સુધી કોરિડોર બનવાથી ભારતની આર્થિક પ્રગતિનો માર્ગ પ્રશસ્થ થશે.

તેમણે કહ્યું કે, કોંગ્રેસ નેતા શશી થરૂરે પણ સંયુક્ત ઘોષણાપત્રનું સ્વાગત કર્યું છે. રાજસ્થાનમાં મુખ્યમંત્રીના ચહેરાના સવાલ પર કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, જ્યાં પણ ચૂંટણી થાય છે, ભાજપ મુખ્યમંત્રીનો ચહેરો જાહેર કરતી નથી, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચમત્કાર પર ચૂંટણી લડે છે. દરેકે એ માનિની ચાલવું જોઈએ કે પાર્ટી એવા નેતાઓને અવસર આપશે, જે પ્રતિભાશાળી હોય, ઉપયોગી હોય અને જેના પર જનતાનો ભરોસો હોય.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.