ભારત જોડોની પૂર્ણાહુતીમાં રાહુલ ગાંધીએ ભગવાન શિવ અને ઇસ્લામની કરી દીધી તુલના

PC: indianexpress.com

કોંગ્રેસની ‘ભારત જોડો યાત્રા’ પૂર્ણાહુતિ તરફ છે. જમ્મુ-કાશ્મીરમાં આયોજિત સમારોહમાં પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી સંબોધન કરી રહ્યા હતા. સોમવારે ભારે બરફવર્ષા વચ્ચે તેમણે યાત્રાનો અનુભવ શેર કર્યો. તેમણે કહ્યું કે, કન્યાકુમારીથી શ્રીનગર સુધી ચાલવા દરમિયાન ઘણી પરેશાનીઓ સામનો કરવો પડ્યો. રાહુલ ગાંધીની આગેવાનીમાં પદયાત્રીઓએ લગભગ 4 હજાર કિલોમીટરની યાત્રા નક્કી કરી. કોંગ્રેસ નેતાએ જણાવ્યું કે, યાત્રા તેમના માટે સરળ રહી નથી.

તેમણે કહ્યું કે, હું તમને કહું તો ઘણા દર્દ સહન કરવા પડ્યા, પરંતુ સહી લીધા. રસ્તામાં એક દિવસ માટે દુઃખાવો થઇ રહ્યો હતો કે આજે મુશ્કેલ છે. આ દરમિયાન એક નાનકડી છોકરીના પત્રએ તાકત આપી. સંબોધન દરમિયાન રાહુલ ગાંધીએ ભારતમાં મહિલા સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો. તેમણે કહ્યું યાત્રા દરમિયાન ઘણી મહિલાઓ મળી, જે બળાત્કારનો શિકાર થઇ હતી. એ મહિલાઓ પોલીસ સામે ફરિયાદ કરતા ડરી રહી હતી. સોમવારે ભારે બરફવર્ષા વચ્ચે રાહુલ ગાંધીએ કાશ્મીરને પોતાનું ઘર બતાવ્યું.

તેમણે કહ્યું કે, તમે કાશ્મીર કહો છો, તેને હું પોતાનું ઘર માનું છું. શું હવે આ કાશ્મીરિયત છે? એ જો એક તરફ શિવજીના વિચાર છે અને થોડા ઊંડાણમાં જઇશું તો મિત્રોની શૂન્યતા કહી શકાય છે. પોતાની જાત પર, પોતાના અહંકાર પર, વિચારો પર આક્રમણ કરવાનું. બીજી તરફ ઇસ્લામમાં જેને શૂન્યતા કહેવામાં આવે છે, ફના ત્યાં કહેવામાં આવે છે. વિચાર એ જ છે. તેમણે કહ્યું કે, 'ઇસ્લામમાં ફનાનો અર્થ પોતાના ઉપર આક્રમણ, પોતાના વિચાર ઉપર આક્રમણ છે.

જો આપણે પોતાનો કિલ્લો બનાવી લઇએ છીએ કે હું તે છું, મારી પાસે તે છે, મારી પાસે એ જ્ઞાન છે, મારી પાસે આ ઘર છે, એ જ કિલ્લા પર આક્રમણ કરવું, એ જ શૂન્યતા, એ જ ફના છે. તેમણે કહ્યું કે, આ ધરતી પર આ બે વિચારધારાઓ છે. તેમનો એક ખૂબ ગાઢ સબંધ છે અને એ વર્ષોથી સંબંધ છે. જેને આપણે કાશ્મીરિયત કરીએ છીએ. જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા પર રાહુલ ગાંધીએ કહ્યું કે, કદાચ ડરાવવા માટે કહેવામાં આવ્યું કે તમારા ઉપર ગ્રેનેડ ફેકવામાં આવશે. મેં વિચાર્યું એમ કરે છે, હું પોતાના ઘરે જઇ રહ્યો છું.

4 દિવસ પગપાળા ચાલીશ, પોતાના ઘરના જે લોકો છે, તેમની વચ્ચે ચાલીશ અને મેં વિચાર્યું કે જે મને નફરત કરે છે, તેમને કેમ નહીં હું એક ચાંસ આપું કે મારી સફેદ શર્ટનો રંગ બદલી દે. લાલ કરી દે. તેમણે કહ્યું કે, હું હિંસાને સમજુ છું. મેં હિંસા જોઇ છે, સારું છે. જેણે હિંસા નથી જોઇ, તેને એ વાત સમજ નહીં આવે, જેમ મોદીજી છે, અમિત શાહજી છે, RSSના લોકો છે. તેમણે હિંસા જોઇ નથી. ડરે છે અહીં 4 દિવસ પગપાળા ચાલો. હું તમને ગેરંટી આપીને કહું છું કે ભાજપના કોઇ નેતા એમ નહીં ચાલી શકે. એટલે નહીં કે જમ્મુ-કશ્મીરના લોકો તેમને ચાલવા નહીં દે, એટલે કે તેઓ ડરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp