ભાજપના જામનગરના ધારાસભ્ય રિવાબા જાડેજાએ RSS વિશે જાણો શું કહ્યું

ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં પરિવારના વિરોધ વચ્ચે જામનગર ઉત્તરની બેઠક પરથી ચૂંટણી જીતનારા રિવાબા જાડેજાનો રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ (RSS) વિશે બોલતા હોય તેવો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. પત્રકાર પરિષદમાં તેમને પુછવામાં આવ્યું હતું કે,  RSS વિશે તમે શું જાણો છો?

ટીમ ઇન્ડિયાના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજાને ભાજપે આ વખતે જામનગર ઉત્તર બેઠક પરથી ટિકિટ આપી હતી. તેમની સામે ચૂંટણી જંગમાં રવિન્દ્ર જાડેજાના બહેન અને રિવાબાના નણંદ નયનાબા જાડેજાને કોંગ્રેસે મેદાનમાં ઉતાર્યા હતા. આ ચૂંટણીમાં રિવાબાએ 50,000થી વધારે લીડથી જીત મેળવી હતી.

બુધવારે એક પત્રકાર પરિષદામાં રિવાબાને સવાલ પુછવામાં આવ્યો હતો કે તમે RSS વિશે શું જાણો છો? તો તેમણે પોતાના આગવા અંદાજમાં કહ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીનું ઉદગમ સ્થાન એટલે રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ.વિશ્વની સૌથી મોટી સ્વંય સંચાલિત સંસ્થા એટલે રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ. રિવાબાએ આગળ કહ્યું કે, રાષ્ટ્રીયતા, રાષ્ટ્રપ્રેમ, રાષ્ટ્રપ્રેમ, સંગઠન, એકતા ત્યાગ, બલિદાન આ બધાનો સરવાળો કરો એટલે રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ.

રિવાબાએ આપેલા જવાબને ઉપસ્થિત મેદનીએ તાળીઓના ગડગડાટથી વધાવી હતી.

તો ટીમ ઇન્ડિયાના ક્રિક્રેટર અને રિવાબાના પતિ રવિન્દ્ર જાડેજાએ પણ ટ્વીટ કરીને રિવાબાની પ્રસંશા કરી છે.જાડેજાએ ટ્વીટમાં લખ્યું કે, RSS વિશે તમારું જ્ઞાન જોઈને ખૂબ સારું લાગ્યું. એક સંસ્થા જે ભારતીય સંસ્કૃતિ અને આપણા સમાજના મૂલ્યોને જાળવી રાખવાના આદર્શોને પ્રોત્સાહન આપે છે. તમારું જ્ઞાન અને મહેનત તમને અલગ બનાવે છે. Keep It Up.

હવે રવિન્દ્ર જાડેજાના ટવિટ પર રાજકારણ શરૂ થઇ ગયું છે. એક યૂઝરે લખ્યું કે શું BCCI અને ભાજપે RSS સામે ઘૂંટણ ટેકવી દીધા છે? તો કોંગ્રેસ નેતા રાશિદ અલ્વીએ એક ન્યૂઝ ચેનલની ડિબેટમાં રવિન્દ્ર જાડેજાની ટીકા કરી હતી. અલ્વીએ કહ્યું કે, ED અને ઇન્કમટેક્સથી બધા ડરે છે, ભલે પછી તે ખેલાડી હોય કે રાજનેતા. બધા ભાજપને ખુશ કરવાની કોશિશ કરી રહ્યા છે.

ભાજપના પ્રવક્તા શહજાદ પૂનાવાલાએ રવિન્દ્ર જાડેજાનો બચાવ કરતા કહ્યું છે કે, જાડેજાની માત્ર એક જ ભૂલ હતી કે તેણે પોતાની પત્નીનું સમર્થન કર્યું અને વખાણ કર્યા. જાડેજાએ સત્યના વખાણ કર્યા છે. પૂનાવાલાએ કહ્યું કે શું RSS  વિશે બોલવું ગુનો છે?

About The Author

Top News

શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારને મોટી રાહત મળી છે. દિલ્હીની એક કોર્ટે ગાંધી પરિવાર વિરુદ્ધ EDની ફરિયાદ પર ધ્યાનમાં...
Politics 
શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

SIRએ દેશભરમાં નોંધપાત્ર ચર્ચા જગાવી છે. પશ્ચિમ બંગાળમાં પણ આ અંગેના ઘણા મુદ્દાઓ સામે આવતા રહ્યા છે. આવતા વર્ષે...
National 
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

સેવન્થ-ડે સ્કૂલને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, સરકાર પોતે સ્કૂલનો વહીવટ સંભાળશે

તપાસ સમિતિએ અમદાવાદની ક્રિશ્ચિયન ટ્રસ્ટ સંચાલિત જાણીતી 'સેવન્થ-ડે સ્કૂલ'નો વિસ્તૃત અહેવાલ રાજ્ય સરકારને સુપરત કર્યો છે. જેમાં...
Gujarat 
સેવન્થ-ડે સ્કૂલને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, સરકાર પોતે સ્કૂલનો વહીવટ સંભાળશે

'3 વર્ષથી રાહુલ ગાંધી...' કોંગ્રેસના ભૂતપૂર્વ MLAએ નેતૃત્વ પરિવર્તનની માંગ કરી, પાર્ટીએ તેમને જ કાઢી મૂક્યા!

કોંગ્રેસે ભૂતપૂર્વ ધારાસભ્ય મોહમ્મદ મોકીમને પક્ષમાંથી હાંકી કાઢ્યા છે. તેમણે તાજેતરમાં પક્ષના નેતૃત્વમાં પરિવર્તનની માંગ કરી હતી અને કહ્યું હતું...
National 
'3 વર્ષથી રાહુલ ગાંધી...' કોંગ્રેસના ભૂતપૂર્વ MLAએ નેતૃત્વ પરિવર્તનની માંગ કરી, પાર્ટીએ તેમને જ કાઢી મૂક્યા!
Copyright (c) Khabarchhe All Rights Reserved.