પસમાંદા મુસલમાનો સાથે આ તે કેવો પ્રેમ, એક પણ મંત્રી નહીં? ઔવેસીનો સવાલ

સંસદમાં વિપક્ષ તરફથી મોદી સરકાર સામે લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવની ચર્ચા પર બોલતા     AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઔવેસીએ દેશમાં મુસલામનોની સુરક્ષા, સમાન નાગરિક સંહિતા અને હરિયાણાના નૂહની હિંસા સહિતના અનેક મુદ્દા ઉઠાવ્યા હતા. તેમણે કહ્યુ કે દેશમાં મુસલમાનોની સામે નફરતનો માહોલ બનાવાયો છે.

ઓવૈસીએ અવિશ્વાસ પ્રસ્તાવના સમર્થનમાં બોલવા માટે 11 પોઈન્ટ રજૂ કર્યા હતા. તેમણે કહ્યું કે એક RPF જવાને ટ્રેનની અંદર લોકોની ઓળખ કરી અને તેમને મારી નાખ્યા અને કહ્યું કે જો તમારે દેશમાં રહેવું હોય તો તમારે PM મોદીને મત આપવો પડશે. આપણા દેશમાં આ બધું કેમ થઈ રહ્યું છે. લોકોને તેમના કપડા, દાઢી જોઈને મારી નાખવામાં આવે છે.

AIMIMના પ્રમુખે આરોપ લગાવ્યો હતો કે નૂહમાં મુસ્લિમોના મકાનો તોડી પાડવામાં આવ્યા હતા. દેશનું વાતાવરણ મુસ્લિમો વિરુદ્ધ બનાવવામાં આવ્યું છે. હિજાબને મુદ્દો બનાવીને મુસ્લિમ યુવતીઓને અભ્યાસથી દૂર રાખવામાં આવી હતી. ઓવૈસીએ સરકારને 1991ના પૂજા અધિનિયમ સાથે ચેડાં ન કરવા જણાવ્યું હતું

ઓવૈસીએ કહ્યું કે અમારા ગૃહમંત્રી ગઈ કાલે ભારત છોડો ના નારા લગાવી રહ્યા હતા, જો તેમને ખબર હોત કે આ કોઈ મુસ્લિમ દ્વારા આપવામાં આવ્યું છે તો તેમણે આ નારો ના લગાવ્યો હોત. આ સૂત્ર યુસુફ મહાર અલીએ આપ્યું હતું, જેનો સંદેશ ગાંધીએ દેશભરમાં આપ્યો હતો.

મણિપુર હિંસાને લઇને ઔવેસીએ એક શેર પણ કહ્યો હતો. તેમણે કહ્યું કે, कुर्सी है तुम्हारा जनाजा तो नहीं कुछ कर नहीं सकते तो उतर क्यों नहीं जाते

ઔવેસીએ કહ્યુ કે સરકારે લઘુમતીઓ માટેના બજેટમાં 40 ટકાનો ઘટાડો કર્યો છે. અનેક સ્કોલરશીપ ખતમ કરી નાંખવામાં આવી છે, જેને કારણે 1 લાખ 80 હજાર મુસલમાન બાળકો પર અસર પડી છે. , PMને પસમંદા મુસ્લિમો માટે ખૂબ પ્રેમ છે, પરંતુ તમારી કેબિનેટમાં એક પણ મુસ્લિમ મંત્રી નથી. ઇખલાખ, પેહલુ ખાન અને અંસારી સહિત મોબ લિંચિંગમાં માર્યા ગયેલા તમામ મુસ્લિમો પસમંદા હતા.

ઓવૈસીએ બિલકિસ બાનોના દોષિતોની મુક્તિનો મુદ્દો પણ ગૃહમાં ઉઠાવ્યો હતો.તેમણે પૂછ્યું કે બિલકિસ બાનો આ દેશની દીકરી છે કે નહીં? માત્ર આ સરકારે તેના ગુનેગારોને છોડ્યા છે. ચીન પર સરકારને ઘેરતા તેમણે સવાલ કર્યો કે ચીન આપણા દેશમાં ઘુસી ગયું છે અને આ સરકારના લોકો તેના પર મૌન છે.

ઔવેસીએ કહ્યુ કે,વડાપ્રધાન પોતાને વિશ્વગુરુ કહે છે, પરંતુ કુલભૂષણ જાધવ ભૂલી ગયા હતા. આ લોકો UCC પર ડ્રામા કરી રહ્યા છે. પસમાંદા મુસ્લિમોને કહે છે કે પ્રેમ છે, પરંતુ તેમની પાસે એક પણ મુસ્લિમ મંત્રી નથી. ઓવૈસીએ પૂછ્યું કે દેશ મોટો છે કે હિન્દુત્વ કે ગોલવલકરની વિચારસરણી મોટી છે? દેશમાં દુકાનદાર અને ચોકીદાર છે. આ લોકો ક્યાં સુધી આપણા મુસ્લિમો પર જુલમ કરશે? જો તમે જુલમ સામે અવાજ નહીં ઉઠાવો તો તમારી દુકાન નહીં ચાલે.

દેશમાં મુસ્લિમોની કુલ વસ્તીના 85 ટકાને પસમંદા મુસલમાનો કહેવામાં આવે છે, એટલે કે જે મુસ્લિમો દબાયેલા છે, દલિત અને પછાત મુસ્લિમો તેમાં આવે છે, જે મુસ્લિમ સમાજમાં એક અલગ સામાજિક લડાઈ લડી રહ્યા છે તેમના અનેક આંદોલનો થઇ ચૂક્યા છે.

About The Author

Related Posts

Top News

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 17-12-2025 દિવસ: બુધવાર મેષ: આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. તમે વ્યવસાયિક ક્ષેત્રો સાથે સંબંધિત લોકો સાથે સંપર્ક...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.