પસમાંદા મુસલમાનો સાથે આ તે કેવો પ્રેમ, એક પણ મંત્રી નહીં? ઔવેસીનો સવાલ

સંસદમાં વિપક્ષ તરફથી મોદી સરકાર સામે લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવની ચર્ચા પર બોલતા     AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઔવેસીએ દેશમાં મુસલામનોની સુરક્ષા, સમાન નાગરિક સંહિતા અને હરિયાણાના નૂહની હિંસા સહિતના અનેક મુદ્દા ઉઠાવ્યા હતા. તેમણે કહ્યુ કે દેશમાં મુસલમાનોની સામે નફરતનો માહોલ બનાવાયો છે.

ઓવૈસીએ અવિશ્વાસ પ્રસ્તાવના સમર્થનમાં બોલવા માટે 11 પોઈન્ટ રજૂ કર્યા હતા. તેમણે કહ્યું કે એક RPF જવાને ટ્રેનની અંદર લોકોની ઓળખ કરી અને તેમને મારી નાખ્યા અને કહ્યું કે જો તમારે દેશમાં રહેવું હોય તો તમારે PM મોદીને મત આપવો પડશે. આપણા દેશમાં આ બધું કેમ થઈ રહ્યું છે. લોકોને તેમના કપડા, દાઢી જોઈને મારી નાખવામાં આવે છે.

AIMIMના પ્રમુખે આરોપ લગાવ્યો હતો કે નૂહમાં મુસ્લિમોના મકાનો તોડી પાડવામાં આવ્યા હતા. દેશનું વાતાવરણ મુસ્લિમો વિરુદ્ધ બનાવવામાં આવ્યું છે. હિજાબને મુદ્દો બનાવીને મુસ્લિમ યુવતીઓને અભ્યાસથી દૂર રાખવામાં આવી હતી. ઓવૈસીએ સરકારને 1991ના પૂજા અધિનિયમ સાથે ચેડાં ન કરવા જણાવ્યું હતું

ઓવૈસીએ કહ્યું કે અમારા ગૃહમંત્રી ગઈ કાલે ભારત છોડો ના નારા લગાવી રહ્યા હતા, જો તેમને ખબર હોત કે આ કોઈ મુસ્લિમ દ્વારા આપવામાં આવ્યું છે તો તેમણે આ નારો ના લગાવ્યો હોત. આ સૂત્ર યુસુફ મહાર અલીએ આપ્યું હતું, જેનો સંદેશ ગાંધીએ દેશભરમાં આપ્યો હતો.

મણિપુર હિંસાને લઇને ઔવેસીએ એક શેર પણ કહ્યો હતો. તેમણે કહ્યું કે, कुर्सी है तुम्हारा जनाजा तो नहीं कुछ कर नहीं सकते तो उतर क्यों नहीं जाते

ઔવેસીએ કહ્યુ કે સરકારે લઘુમતીઓ માટેના બજેટમાં 40 ટકાનો ઘટાડો કર્યો છે. અનેક સ્કોલરશીપ ખતમ કરી નાંખવામાં આવી છે, જેને કારણે 1 લાખ 80 હજાર મુસલમાન બાળકો પર અસર પડી છે. , PMને પસમંદા મુસ્લિમો માટે ખૂબ પ્રેમ છે, પરંતુ તમારી કેબિનેટમાં એક પણ મુસ્લિમ મંત્રી નથી. ઇખલાખ, પેહલુ ખાન અને અંસારી સહિત મોબ લિંચિંગમાં માર્યા ગયેલા તમામ મુસ્લિમો પસમંદા હતા.

ઓવૈસીએ બિલકિસ બાનોના દોષિતોની મુક્તિનો મુદ્દો પણ ગૃહમાં ઉઠાવ્યો હતો.તેમણે પૂછ્યું કે બિલકિસ બાનો આ દેશની દીકરી છે કે નહીં? માત્ર આ સરકારે તેના ગુનેગારોને છોડ્યા છે. ચીન પર સરકારને ઘેરતા તેમણે સવાલ કર્યો કે ચીન આપણા દેશમાં ઘુસી ગયું છે અને આ સરકારના લોકો તેના પર મૌન છે.

ઔવેસીએ કહ્યુ કે,વડાપ્રધાન પોતાને વિશ્વગુરુ કહે છે, પરંતુ કુલભૂષણ જાધવ ભૂલી ગયા હતા. આ લોકો UCC પર ડ્રામા કરી રહ્યા છે. પસમાંદા મુસ્લિમોને કહે છે કે પ્રેમ છે, પરંતુ તેમની પાસે એક પણ મુસ્લિમ મંત્રી નથી. ઓવૈસીએ પૂછ્યું કે દેશ મોટો છે કે હિન્દુત્વ કે ગોલવલકરની વિચારસરણી મોટી છે? દેશમાં દુકાનદાર અને ચોકીદાર છે. આ લોકો ક્યાં સુધી આપણા મુસ્લિમો પર જુલમ કરશે? જો તમે જુલમ સામે અવાજ નહીં ઉઠાવો તો તમારી દુકાન નહીં ચાલે.

દેશમાં મુસ્લિમોની કુલ વસ્તીના 85 ટકાને પસમંદા મુસલમાનો કહેવામાં આવે છે, એટલે કે જે મુસ્લિમો દબાયેલા છે, દલિત અને પછાત મુસ્લિમો તેમાં આવે છે, જે મુસ્લિમ સમાજમાં એક અલગ સામાજિક લડાઈ લડી રહ્યા છે તેમના અનેક આંદોલનો થઇ ચૂક્યા છે.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.