ગુજરાત કોંગ્રેસના પ્રમુખનો તાજ કોના શિરે આવશે? આ 5 નેતા રેસમાં છે

કર્ણાટકમાં કોંગ્રેસને મળેલી જીત પછી હવે હાઇકમાન્ડ ગુજરાતમાં પરિવર્તન કરશે તેવી અટકળો શરૂ થઇ છે. એવી ચર્ચા છે કે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે રાજકીય રીતે સૌથી વધારે પડકારરૂપ ગણાતા ગુજરાતમાં પ્રદેશ પ્રમુખની નિમણુંક કરી શકે છે.

કર્ણાટકમાં મોટી જીતે કોંગ્રેસમાં નવી ઉર્જા ભરી દીધી છે. જે રીતે ભાજપના તમામ પ્રયાસો બાદ કોંગ્રેસે જીત મેળવી છે, ત્યાર બાદ પાર્ટીની અંદર એવા તમામ રાજ્યોમાં જ્યાં પાર્ટી મુખ્ય વિરોધ પક્ષ છે. ત્યાં સંગઠનને મજબૂત કરવાનો વિચાર શરૂ થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહના કારણે કોંગ્રેસ માટે સૌથી પડકારજનક રાજ્ય ગુજરાત છે.

એવી ચર્ચા છે કે પાર્ટી ટુંક સમયમાં ગુજરાત પ્રદેશ પ્રમુખને લઇને પોતાનું વલણ સ્પષ્ટ કરી શકે છે,જેથી 2024ની લોકસભાની તેયારીને  વેગ આપી શકાય. પાર્ટીએ હજુ સુધી વર્તમાન પ્રમુખ જગદીશ ઠાકોરને ચાલુ રાખવા કે હટાવી દેવા તે વિશે કશું કહ્યું નથી. એવામાં બે સંભાવનાઓ બતાવવામાં આવી રહી છે. પહેલી સંભાવના એ છે કે 2024ની લોકસભાની ચૂંટણી જગદીશ ઠાકોરને નેતૃત્વમાં લડવામાં આવે. જો એવું ન થાય તો જૂન મહિનામાં પાર્ટી કોઇ બીજા નેતાને જવાબદારી સોંપી શકે છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ પદ માટે પાંચ નેતાઓના નામ ચર્ચામાં છે. જેમાં દીપક બાબરિયા, ગુજરાત કોંગ્રેસના ઓબીસી સમુદાયના નેતા લાલજી દેસાઈના નવા નામો સાથે ત્રણ જૂના દિગ્ગજોના નામનો સમાવેશ થાય છે, જેમને તાજેતરમાં કર્ણાટકમાં ધારાસભ્ય પક્ષના નેતાની ચૂંટણી માટે નિરીક્ષક તરીકે મોકલવામાં આવ્યા હતા. જે 3 દિગ્ગજ નેતાઓના નામો રેસમાં છે તેમાં પૂર્વ વિરોધ પક્ષ નેતા પરેશ ધાનાણી, પોરબંદરના ધારાસભ્ય અને વરિષ્ઠ નેતા અજૂન મોઢવડિયા, રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલનો સમાવેશ થાય છે. સિનિયોરીટીના દ્રષ્ટિએ મોઢવડિયા સૌથી આગળ છે, પરંતુ પાટીદાર નેતાની વાત આવશે તો પરેશ ધાનાણીનું નામ આગળ ચાલી રહ્યું છે.

હવે જોવાનું એ રહે છે કે પાર્ટી કોને નવા પ્રમુખ તરીકેની જવાબદારી આપે છે. નવા ચહેરાઓમાં સામેલ દીપક બાબરિયા ગાંધી પરિવારની નજીક હોવાનું માનવામાં આવે છે. એટલું જ નહી, પરંતુ જ્યારે મધ્ય પ્રદેશમાં કમલનાથની સરકાર બની ત્યારે પ્રભારી તરીકે દિપક બાબરીયા જ હતા. તો લાલજી દેસાઇ કોંગ્રેસ સેવા દળના રાષ્ટ્રીય અધ્યક્ષ રહી ચૂક્યા છે. એટલું જ નહીં પણ ભારત જોડા યાત્રા વખતે લાલજી દેસાઇએ મુખ્ય ભૂમિકા ભજવી હતી.

ગુજરાતના પ્રભારીની જવાબદારી હાલ રાજસ્થાનના પૂર્વ આરોગ્ય મંત્રી ડો.રઘુ શર્મા પાસે છે. તેઓ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતના નજીકના માનવામાં આવે છે. આવી સ્થિતિમાં રાજસ્થાનમાં ચૂંટણી પ્રચાર વધી રહ્યો છે ત્યારે તેમને ગુજરાતની જવાબદારીમાંથી મુક્ત કરી શકાય છે. આ સ્થિતિમાં કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા નવા પ્રદેશ પ્રમુખ અને નવા પ્રભારીના નામની એક સાથે જાહેરાત કરવામાં આવી શકે છે.

ગુજરાત વિધાનસભા2022ની ચૂંટણીમાં કોંગ્રેસે 17 બેઠકો મેળવી હતી. તેણે 60 સીટો ગુમાવી છે. રાજ્યમાં પાર્ટી પાસે એક પણ લોકસભા સીટ નથી. ભાજપે સતત બે ટર્મથી તમામ 26 બેઠકો જીતી છે. પક્ષના કેટલાક નેતાઓનું કહેવું છે કે રાજ્યામાં ભાજપ સામે મુકાબલો કરવો હશે તો તેની ચિંતા હાઈકમાન્ડે અત્યારથી જ કરવી પડશે અને પ્રમુખ અને પ્રભારી અંગેની સ્થિતિ સ્પષ્ટ કરવી પડશે, ત્યારબાદ જ ચૂંટણીની તૈયારીઓ શરૂ થશે અને લોકસભાની ચૂંટણી વેગ પકડશે.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.