છત્તીસગઢમાં કોંગ્રેસે સૌથી અમીર T S સિંહ દેવને અચાનક ડેપ્યુટી CM કેમ બનાવી દીધા?

આ વર્ષના અંતમાં છત્તીસગઢમાં વિધાનસભાની ચૂંટણી છે. આના થોડા મહિના પહેલા કોંગ્રેસે એક મોટો નિર્ણય લીધો હતો. કોંગ્રેસે T S સિંહદેવને ડેપ્યુટી CM બનાવ્યા છે. સિંહ દેવને છત્તીસગઢના દિગ્ગજ નેતા માનવામાં આવે છે. સરગુજા ડિવિઝનમાં તેમની મજબૂત પકડ માનવામાં આવે છે અને સરગુજાને સત્તાની ચાવી માનવામાં આવે છે.

દિલ્હીમાં બુધવારે રાત્રે કોંગ્રેસે એક નિવેદન બહાર પાડીને કહ્યું હતું કે, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાજૂર્ન ખડગેએ સિંહ દેવની ડેપ્યુટી CMની દરખાસ્તને મંજૂરી આપી દીધી છે.છત્તીસગઢના કોંગ્રેસના ટોચના નેતાઓ  સાથે દિલ્હીમાં યોજાયેલી બેઠકમાં છત્તીસગઢમાં પાર્ટીની વ્યૂહરચના અને ચૂંટણી તૈયારીઓ અંગે ચર્ચા કર્યા પછી આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ બેઠકમાં અધ્યક્ષ ખડગે ઉપરાંત પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી, છત્તીસગઢના CM બઘેલ, રાજ્ય પાર્ટીના પ્રભારી કુમારી સેલજા અને મહાસચિવ કેસી વેણુગોપાલ હાજર હતા.

છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ અને સિંહ દેવ વચ્ચેના મતભેદો 2021માં ખુલ્લેઆમ સામે આવ્યા જ્યારે 2018ની વિધાનસભા ચૂંટણી પછી CM પદ વહેંચવામાં આવશે તેવી અટકળો ચાલી રહી હતી. 15 વર્ષ બાદ ડિસેમ્બર 2018માં કોંગ્રેસ સત્તામાં આવ્યા બાદ છત્તીસગઢના રાજકીય વર્તુળોમાં અઢી વર્ષ સુધી મુખ્યમંત્રી પદની વહેંચણીની ફોર્મ્યુલાને લઈને ચર્ચા ચાલી રહી હતી. પછી બઘેલ અને તેમના બે વરિષ્ઠ કેબિનેટ સાથીદારો  સિંહ દેવ અને તામ્રધ્વજ સાહુ  ટોચના પદ માટેના મુખ્ય દાવેદાર હતા, પરંતુ તે વખતે વાત બની નહોતી. T S સિંહે 2022માં એવું કહીને ગ્રામણી પંચાયત મંત્રી તરીકે રાજીનામું આપ્યુ હતું કે તેમને નજર અંદાજ કરવામાં આવી રહ્યા છે. જો કે અત્યારે તેઓ છત્તીસગઢના આરોગ્ય મંત્રી છે.

હવે કોંગ્રેસે અચાનક સિંહ દેવને નાયબ મુખ્યમંત્રી કેમ બનાવી દીધા? એના કારણો જોઇએ તો બીકાપુરના ધારાસભ્ય સિંહદેવ કોંગ્રેસના અગ્રણી નેતા છે. છત્તીસગઢના ઉત્તરીય ભાગ સરગુજામાં તેમની મજબૂત પકડ છે. એટલું જ નહીં, સુરગુજા રાજવી પરિવારના વંશજ સિંહદેવ પણ પાર્ટીમાં હાઈકમાન્ડના વિશ્વાસુ નેતા છે.

6 જિલ્લાના બનેલા સુરગુજા વિભાગની 14 બેઠકો પર સિંહદેવની સીધી અસર માનવામાં આવે છે. આ વિભાગને છત્તીસગઢની સત્તાની ચાવી પણ કહેવામાં આવે છે. આ જ કારણ છે કે 2018ની ચૂંટણીમાં કોંગ્રેસે આ બેઠકો પર મોટા મતોથી જીત નોંધાવી હતી, તેથી તમામ પક્ષોની નજર સુરગુજા ડિવિઝન પર છે. હવે આ વર્ષના અંતમાં જ્યારે છત્તીસગઢમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે સિંહ દેવને નજર અંદાજ કરવામાં કોંગ્રેસને જોખમ લાગી રહ્યું છે.

બીજું કારણ એ પણ છે કે સિંહ દેવે 13 જૂને અંબિકાપુરના એક સંમેલનમાં નિવેદન આપ્યુ હતું કે તેમણે ભાજપના કેન્દ્રીય મંત્રીઓ સાથે મુલાકાત કરી છે અને તેમને ભાજપમાં સામેલ થવાનો પ્રસ્તાવ મળ્યો છે. જો કે તેમણે કહ્યું હતું કે હું ભાજપમાં સામેલ થવાનો નથી. પરંતુ સિંહ દેવની આ ચીમકી કામ કરી ગઇ અને વાત વણસે તે પહેલા સિંહ દેવને ડેપ્યુટી  CM બનાવીને મામલો થાળે પાડી દેવામાં આવ્યો.

About The Author

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.