રાહુલને ચીનથી પ્રેમ કેમ છે, વારંવાર વખાણ કરે છે, BJPએ ઉઠાવ્યો સવાલ

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ લદ્દાખમાં શુક્રવારે કારગીલમાં એક જનસભાને સંબોધંન કર્યું હતું અને તેમાં ચીનનો ઉલ્લેખ કરીને સરકાર સામે નિશાન સાધ્યું હતું. રાહુલ ગાંધીએ કહ્યુ હતું કે ચીને હિંદુસ્તાનની જમીન હડપી લીધી છે, પંરતુ PM મોદીએ કહ્યુ હતું કે ચીને હિંદુસ્તાનની એક ઇંચ જમીન પણ લીધી નથી. એ અસત્ય છે. લદ્દાખનો દરેક વ્યક્તિ જાણે છે કે PM મોદી સાચું નથી બોલી રહ્યા. રાહુલ ગાંધીના આ નિવેદન પર ભાજપે પલટવાર કર્યો છે.

લદ્દાખમાં ચીન પર રાહુલ ગાંધીના ભાષણ પર ભાજપે વળતો પ્રહાર કર્યો છે અને કહ્યું છે કે રાહુલ ગાંધી ચીનના મુદ્દે ભારત સાથે કેમ ઝઘડો કરે છે. કારગીલમાં આપેલા રાહુલ ગાંધીના નિવેદન પર પ્રતિક્રિયા આપતા ભાજપના નેતા અને રાષ્ટ્રીય પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે રાહુલ ગાંધી ચીનને આટલો કેમ પ્રેમ કરે છે. શા માટે તેઓ વારંવાર ચીનના વખાણ કરતા રહે છે. તેમણે કહ્યુ કે કોંગ્રેસે હમેંશા ચીનની મદદ કરી છે. પંડિત નહેરુએ ચીનને  ચોખા આપ્યા હતા.

ભાજપના સુધાંશુ ત્રિવેદીએ કહ્યું કે ભારતીય રાજકારણમાં 53 વર્ષીય યુવાન રાહુલ ગાંધી સતત પાયાવિહોણા નિવેદનો આપી રહ્યા છે. રાહુલ ભારત, ચીન અને RSS પર આદતપૂર્વક અસંયમિત નિવેદનો આપે છે. PM મોદીના આગમન પછી ચીન કૂટનીતિમાં અલગ અને રાજદ્વારી રીતે અલગ પડી ગયું છે. સુંધાશું ત્રિવેદીએ આગળ કહ્યું કે રાહુલ ગાંધીના પરિવારે ડોકલામ દરમિયાન માત્ર ચીનની મુલાકાત જ નહોતી કરી, પરંતુ ચીનને સાડા ત્રણ હજાર ટન ચોખા પણ મોકલ્યા હતા જે તેમની સેનાને જરૂર હતી.

સુંધાશું ત્રિવેદીએ કહ્યું કે ચીન સાથે કોંગ્રેસ સરકારના કેવા સંબધ હતા તે વાત અમે આજે ક્લીયર કરવા માંગીએ છીએ. ચીન સાથેના કોંગ્રેસ પાર્ટીના કરારને સાર્વજનિક કરવામાં આવે. રાહુલ ગાંધીના પરિવારે ડોકલામ દરમિયાન ચીનના રાજદુત સાથે ભોજન કર્યું હતું.

ભાજપ નેતા ત્રિવેદીએ કહ્યુ કે રાહુલ ગાંધી RSS ને લઇને વારંવાર બોલતા રહે છે, પરંતુ પંડિત જવાહરલાલ નહેરુએ ચીન યુદ્ધ વખતે RSSના વખાણ કર્યા હતા અને 26 જાન્યુઆરીની પરેડમાં પણ સામેલ કર્યા હતા.ચીનનું વલણ ગમે તે હોય, પરંતુ અમે મસૂદ અઝહરને આતંકવાદી જાહેર કર્યો. અઝીઝ કુરેશીએ ઉશ્કેરણીજનક ભાષણ આપ્યું હતું અને કહ્યું હતું કે દોઢ કરોડ ઓછા પણ થઇ જાય તો કોઇ ગમ નથી, તો તમે શું પગલાં લીધા હતા?  સુંધાશુંએ કહ્યું કે, અઝીઝ કુરેશી જે બોલી રહ્યો છે, તે નફરતની દુકાન છે કે પ્રેમની દુકાન છે?

About The Author

Related Posts

Top News

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

મધ્ય પ્રદેશ હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે એક મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરતા કહ્યું કે, જો કોઈ મહિલા પુખ્ત હોય, તો તે...
National 
પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.