સરકાર સામે BJP સાંસદનો સવાલ- શું જયશ્રી રામ અને ભારત માતાની જય બોલવાથી કામ થશે?

લોકસભા ચૂંટણી પહેલા ઉત્તર પ્રદેશની પીલીભીત લોકસભા સીટ પરથી ભાજપના સાંસદ વરુણ ગાંધીનું કડક તેવર જોવા મળ્યું છે. પહેલેથી જ ચર્ચા થઈ રહી છે કે શું ભાજપ 2024ની ચૂંટણીમાં વરુણ ગાંધીને ટિકિટ આપશે? હવે આ સવાલ વધુ ઘેરો બન્યો છે.પોતાના સંસદીય મતવિસ્તારમાં બે દિવસના પ્રવાસે પહોંચેલા વરુણે પોતાની જ પાર્ટીના નારા, સરકારી યોજનાઓની સ્થિતિ અને ભ્રષ્ટાચાર અને બેરોજગારી અંગે સવાલો ઉઠાવ્યા છે.

તાજેતરના વરૂણ ગાંધીના તેવર પછી એવું માનવામાં આવી રહ્યું છે કે વરૂણ પોતાની લાઇન મોટી કરવાના મૂડમાં છે. વરુણ ગાંધીએ કહ્યું છે કે જે લોકો લોન ચૂકવી શકશે નહીં, તેમની સંપત્તિ જપ્ત કરવામાં આવશે. તેની મિલકતની હરાજી કરવામાં આવશે. તેણે સવાલના સ્વરમાં કહ્યું કે હવે મારે પૂછવું છે કે આનો ઉકેલ શું છે? માત્ર સૂત્રોચ્ચાર? વરુણે વધુમાં કહ્યું કે જય શ્રી રામ, ભારત માતા કી જય, આનાથી કામ થઈ જશે?

ભાજપ સાંસદ વરૂણ ગાંધીએ કહ્યું કે, હું ભારત માતાને મારી માતા માનું છું. હું હનુમાનજીનો ભક્ત છું, હું ભગવાન રામને મારા પ્રિય માનું છું. પરંતુ મારે તમને એક વાત પૂછવી છે. દરેક વ્યક્તિ આજે પીડિત છે,તે મૂળભૂત સમસ્યાઓથી પીડાય છે. તેમણે પૂછ્યું કે શું તે સૂત્રો દ્વારા ઉકેલ આવશે કે નીતિ સુધારણા દ્વારા?

વરૂણ ગાંધીએ પોતાની જ સરકારની ઉજ્જવલા યોજના પર નિશાન સાધીને કહ્યું કે આ યોજના હેઠળ 7 કરોડ લોકોને સિલિન્ડર આપવામાં આવ્યા. હવે બીજી વખત આ લોકો સિલિન્ડર ભરાવી શકતા નથી.

બેરોજગારી પર સવાલ ઉભો કરીને વરૂણે કહ્યું કે, સરકારી વિભાગોમાં 1 કરોડ પદ ખાલી છે, શા માટે આ પદ ભરવામાં નથી આવતા? તેમણે કહ્યુ કે, સરકારનું કામ બિઝનેસ કરવાનું નથી, જે લોકો ઉભા નથી થઇ શકતા તેમને મદદ કરવાનું છે.

મોંઘવારીના મુદ્દા પર પણ વરૂણ ગાંધીએ પોતાની સરકાર સામે નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે છેલ્લાં 7 વર્ષમાં લોકોના વાસ્તિવક પગારમાં વાર્ષિક માત્ર 1 ટકાનો વધારો થયો છે. એની સામે એ 7 વર્ષમાં દરેક ચીજ વસ્તુઓના ભાવ વધી ગયા છે. દુઘ, કાંદા, વેગણના ભાવો 50થી 70 ટકા વધ્યા છે.

ભાજપના સાંસદ વરુણ ગાંધીએ તેમના સંસદીય ક્ષેત્રના લોકો સાથે વાતચીત કરતા એમ પણ કહ્યું કે દેશમાં સામાન્ય માણસ માટે ન તો લોન છે કે ન તો નોકરીઓ. ભ્રષ્ટાચાર અંગે વરુણે કહ્યું હતું કે દેશના ઉદ્યોગપતિઓને હજારો કરોડ રૂપિયા સરળતાથી મળી જાય છે અને જો કોઈ સામાન્ય માણસ નાની લોન લેવા માંગે છે તો તેણે બેંકના ચક્કર કાપવા પડે છે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.