શું કોંગ્રેસમાં પાછા આવશે આઝાદ? જાણો શું છે હકીકત

કોંગ્રેસના પૂર્વ વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદની ઘર વાપસીના પ્રયાસો ઝડપી થઈ ગયા છે. સોનિયા ગાંધીની નજીકના અંબિકા સોની આઝાદના સંપર્કમાં છે. ગુલામ નબી આઝાદને પહેલા ભારત જોડો યાત્રામાં સામેલ કરવાની રણનીતિ છે. ત્યારબાદ તેમની કોંગ્રેસમાં વાપસી કરાવવામાં આવશે. તેમણે આ વર્ષે ઓગસ્ટમાં રાહુલ ગાંધીની નેતૃત્વ ક્ષમતા પર સવાલ ઉઠાવતા અને તેમને ચાટુકારોથી ઘેરાયેલા બતાવીને કોંગ્રેસ પાર્ટીની સાથે પોતાની 50 વર્ષ જુની યાત્રા પર વિરામ મુકી દીધો હતો. આઝાદે જમ્મુ-કાશ્મીરના રાજકારણમાં ઉતરવાની જાહેરાત કરતા પોતાની આઝાદ ડેમોક્રેટિક પાર્ટી બનાવી. તેમના આ નિર્ણય બાદ જમ્મુ-કાશ્મીર કોંગ્રેસમાં પણ તૂટ પડી અને ઘણા વરિષ્ઠ નેતા આઝાદની સાથે આવી ગયા.

પરંતુ, આઝાદ ડેમોક્રેટિક પાર્ટી ગઠનના 4 મહિના બાદ જ તૂટવા માંડી છે. એક પછી એક ઘણા નેતાઓએ ગુલામ નબી આઝાદનો સાથ છોડીને કોંગ્રેસમાં વાપસી કરી લીધી છે. સુત્રોના જણાવ્યા અનુસાર, આઝાદ રાજકીયરીતે હવે નબળા પડી ગયા છે અને કોંગ્રેસમાં પોતાની વાપસીને લઈને સકારાત્મક છે. બીજી તરફ કોંગ્રેસ પણ કોઈપણ પ્રકારની શરત વિના તેમની વાપસીની વાત કરી રહ્યું છે. અંબિકા સોની ગુલામ નબી આઝાદ સાથે આ અંગે વાત કરી રહ્યા છે. જોકે, હજુ સુધી કંઈ પણ આધિકારીકરીતે કહેવામાં નથી આવ્યું. કોંગ્રેસમાં આઝાદના નેતૃત્વવાળા G-23માં સામેલ રહેલા નેતા, હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર હુડ્ડા પણ તેમની સાથે વાત કરી રહ્યા છે. આ ઉપરાંત, બિહાર કોંગ્રેસના અધ્યક્ષ અને G-23 ના સભ્ય રહેલા અખિલેશ પ્રસાદ સિંહ પણ આઝાદના સંપર્કમાં છે.

નેશનલ કોન્ફ્રેન્સ પ્રમુખ ફારુક અબ્દુલ્લા અને પીડીપી અધ્યક્ષ મહબૂબા મુફ્તી, ભારત જોડો યાત્રામાં સામેલ થવાની જાહેરાત કરી ચુક્યા છે. ત્યારબાદ આઝાદ પર પણ દબાણ વધી ગયુ છે. કોંગ્રેસ સાથે બગાવત કરનારા તેમના કેટલાક અન્ય સાથી પણ ભારત જોડો યાત્રામાં સામેલ થવાની ફિરાકમાં છે. કોંગ્રેસના ઘણા વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદને સમજાવી રહ્યા છે કે તેમણે પણ ભારત જોડો યાત્રા સાથે જોડાઈને ઘર વાપસી કરી લેવી જોઈએ. સુત્રોની માનીએ તો 10 જનપથના ખાસ, રાહુલ ગાંધીના નજીકના જયરામ રમેશે પણ આઝાદને એક મેસેજ કર્યો છે. સુત્રોનું કહેવુ છે કે, ગુલામ નબી આઝાદ કોંગ્રેસમાં વાપસી માટે તૈયાર છે પરંતુ, તેઓ ઈચ્છે છે કે ગાંધી પરિવારનો કોઈ સભ્ય તેમને એક ફોન કોલ કરે, અને તેમને વાપસી માટે કહે. પરંતુ, પાર્ટી છોડતી વખતે જે પ્રકારનો અંગત હુમલો તેમણે રાહુલ ગાંધી પર કર્યો હતો, તેના કારણે ગાંધી પરિવાર આઝાદને મનાવવાના મૂડમાં નથી. આ જ પડકાર તેમની સાથે વાત કરી રહેલા નેતાઓ સામે છે.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે 26 ઓગસ્ટ, 2022ના રોજ સોનિયા ગાંધીને 5 પાનાનો ત્યાગ પત્ર મોકલીને પાર્ટી છોડી દીધી હતી. તેમણે લખ્યું હતું, ખૂબ જ દુઃખ સાથે મેં કોંગ્રેસ સાથે પોતાનો વર્ષો જુનો સંબંધ તોડવાનો નિર્ણય કર્યો. કોંગ્રેસે પાર્ટી ચલાવનારી મંડળીના સંરક્ષણમાં ઈચ્છાશક્તિ અને ક્ષમતા ગુમાવી દીધી છે. ભારત જોડો યાત્રા શરૂ કરતા પહેલા નેતૃત્વને કોંગ્રેસ જોડો યાત્રા કરવી જોઈતી હતી. કોંગ્રેસના પસંદ કરાયેલા લેફ્ટનન્ટ્સને પાર્ટી ચલાવનારી મંડળી દ્વારા તૈયાર કરવામાં આવેલી સૂચિઓ પર હસ્તાક્ષર કરવા માટે મજબૂર કરવામાં આવ્યા છે. પાર્ટીમાં મોટાપાયે છેતરપિંડી કરવા માટે નેતૃત્વ સંપૂર્ણરીતે જવાબદાર છે. કોંગ્રેસમાં નબળાઈઓ વિશે જણાવનારા 23 નેતાઓને ગાળો આપવામાં આવી, તેમને અપમાનિત અને બદનામ કરવામાં આવ્યા. કોંગ્રેસ એ પોઈન્ટ પર છે જ્યાંથી પાછી આવી શકે તેમ નથી. પાર્ટીનું નેતૃત્વ સંભાળવા માટે પ્રોક્સીનો સહારો લેવામાં આવી રહ્યો છે. તેમણે કોંગ્રેસની દુર્ગતિ માટે ડાયરેક્ટ રાહુલ ગાંધીને જવાબદાર ગણાવ્યા હતા અને તેમને અપરિપક્વ કહ્યા હતા.

About The Author

Related Posts

Top News

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.