અમદાવાદના સૌથી મોટા જમીન કૌભાંડમાં કલેક્ટરનો અહેવાલ દબાવી દેવાયો

અમદાવાદ નજીકમાં ગોકુલ ધામ સોસાયટીમાં ભાજપ સરકારમાં સૌથી મોટું FSI કૌભાંડ થયું તેમાં સરકારે શહેરી વિકાસ વિભાગના ખાસ ફરજ પરના અદિકારી નીલા મુનશીનું રાજીનામું લઈ લીઘુ છે. જેમાં અમદાવાદ કલેક્ટરે તપાસ પણ કરી હતી. તેમ છતાં ભાજપના નેતાઓ તેમાં સંડોવાયેલાં હોવાથી કલેક્ટરનો અહેવાલ દબાવી દેવામાં આવ્યો હતો. શું હતો તે અહેવાલ? જેમાં ભાજપના મોટા નેતાઓને બચાવવા માટે નીલા મુનશીનો ભોગ લેવાયો છે. શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના સંયુક્ત સચિવ સ્મિતા શાહે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની સીધી સૂચનાથી 9 મે 2018ના રોજ એક આદેશ પત્ર લખ્યો હતો. તે સ્ફોટક પત્ર અહીં રજૂ કરેલો છે. 

અમદાવાદના કલેક્ટરને તપાસ સોંપાઈ:

સમગ્ર પ્રકરણમાં ઔડાના મુખ્ય કારોબારી અધિકારીની મંજૂરી ન હોવા છતાં નિયમોથી વિરુદ્ધ 20% ગ્રાઉન્ડ કવરેજ મળવા પાત્ર થાય તેને બદલે 45% ગ્રાઉન્ડ કવરેજની મંજૂરી, મળવાપાત્ર 7.50 મીટર ઊંચાઈના બદલે 9.50 મીટર ઊંચાઈની મંજૂરી, બિલ્ટ-અપ એરીયા 40% એરીયા મળવાપાત્ર થાય તેને બદલે 45% ગ્રાઉન્ડ કવરેજ મુજબ ત્રણ માળની મંજૂરી આપીને તત્કાલિન સિનિયર નગર નિયોજક નીલાબેન મુન્શીએ ગેરકાયદેસર રીતે નિયમોથી વિરુદ્ધ વિકાસ પરવાનગી આપી હોવાનું રેકોર્ડ પર હોવાથી તત્કાલિન ઔડાના ચીફ એક્ઝીક્યુટીવ ઓથોરીટીએ ગોકુલધામ કૌભાંડોની ઇન્કવાયરી એડિશનલ કલેક્ટરને સોંપી હતી. આવી ઇન્કવાયરી ચાલતી હોવા છતાં ઔડાના અધિકારી નીલા મુન્શીને નિવૃત્તિના 10 દિવસ પહેલાં પ્રમોશન આપવામાં આવ્યું હતું.

નિવૃત્તિ પછી ત્રણ વખત નિમણૂક:

નિવૃત્તિ બાદ ત્રણ વખત એક-એક વર્ષ માટે પુનઃ નિમણૂક આપવામાં આવી હતી. પુનઃનિમણૂક નિવૃત્તી સમયના પગારના 60 ટકા લેખે રૂ. 27,660 ચૂકવવાના બદલે માસિક રૂ. 75,000 ચૂકવવામાં આવે છે. જેની વસુલાત પણ રૂપાણીની સરકારે કરી નથી. ઉપરાંત સામાન્ય વહીવટ વિભાગનો પરીપત્ર છે કે આવી પુનઃ નિમણૂકો તો જ આપવી કે ખાલી પડેલ જગ્યા બદલી, બઢતી કે પ્રતિનિયુક્તિથી ભરી શકાય તેમ ન હોય, તો જ તેમ કરી શકાય છે. પણ સરકારમાં આ જગ્યાનો હવાલો સોંપી શકાય તેવા અધિકારીઓ ઉપલબ્ધ છે.

શહેરી વિકાસ પ્રધાન કેમ મૌન? 

ઉપરોકત સમગ્ર હકીકતોની લેખિત પત્ર દ્વારા ધારાસભ્યએ તત્કાલીન શહેરી વિકાસને કરેલી હોવા છતાં કોઈ પગલાં લેવાને બદલે ભ્રષ્ટાચારીઓને પ્રોત્સાહન આપીને ભ્રષ્ટાચારામાં સંડોવાયેલા અધિકારીઓને નિવૃત્તિ બાદ ત્રીજીવાર ભાજપ સરકારે પુનઃ નિમણૂક આપીને કેવો પારદર્શક વહીવટ કરવા માગે છે? નીલા મુન્શીએ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરી સરકારને રૂપિયા 500 કરોડનું નુકસાન પહોંચાડીને ગેરકાયદેસર રીતે નિયમોથી વિરુદ્ધ આપવામાં આવેલી વિકાસ પરવાનગી તાત્કાલિક રદ કરવા, તત્કાલિન સિનિયર ટાઉન પ્લાનર નીલાબેન મુન્શી સામે ફોજદારી ગુનો નોંધી સમગ્ર કૌભાંડની તટસ્થ તપાસની માગ કરવામાં આવી હતી.

સ્મિતા શાહે શું કર્યું?

શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના સંયુક્ત સચિવ સ્મિતા શાહે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની સીધી સૂચનાથી 9 મે, 2018ના રોજ એક આદેશ પત્ર લખ્યો હતો જે અત્યંત સ્ફોટક છે. ખાસ ફરજ પરના અધિકારી અને શહેરી વિકાસ વિભાગના સંયુક્ત સચિવ લીના મુનશીએ 30 એપ્રિલ 2018ના રોજ અરજી કરીને અંગત કારણોસર નિવૃત્ત થવા માગે છે. પણ તેમને એક મહિનો આપવાના બદલે 15 દિવસમાં ખાસ કિસ્સા તરીકે તેમની નોકરીનો અંત આણવામાં આવે છે.

આમ સંયુક્ત શહેરી વિકાસ સચિવ સ્મિતા શાહે આકરી નોંધ કરીને મુખ્યમંત્રીના કાર્યાલયમાં મોકલી હતી.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.