સુરતના બિલ્ડર સંજય મોવલિયાએ રૂ. 170 કરોડ ભરી દીધા, બેંકોએ આપ્યું નો ડ્યુઝ સર્ટિ

(virang bhatt)સુરતના જાણીતા બિલ્ડર સંજય મોવલિયાએ બેંકો પાસેથી લીધેલી લોનોના રૂ. 170 કરોડ ભરી દીધા છે. બેંકે તેમને નો ડ્યુઝ સર્ટિફિકેટ આપી દીધું છે.

વર્ષ 2015માં જુદી જુદી બેંકો પાસેથી લોન લઇને જુદા જુદા પ્રોજેક્ટ્સ શરૂ કર્યા હતા. જેમાં, રાજગ્રીન એમ્યુજમેન્ટ પાર્ક તથા રાજહંસ એન્ટરટેઇનમેન્ટ સહિતની કંપનીઓનો સમાવેશ થાય છે. આ જુદી જુદી કંપનીઓએ સુરતમાં રહેઠાણના મકાનોથી લઇને વોટરપાર્ક, થિયેટરથી લઇને સરકાર સાથે પીપીપી મોડેલ હેઠળ પણ પ્રોજેક્ટ્સ શરૂ કર્યા હતા.

સૂત્રોએ જણાવ્યા અનુસાર પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા હતા પરંતુ બાંધકામ ઉદ્યોગમાં પ્રમાણમાં મંદીના માહૌલ અને પછી કોરાનામાં બે વર્ષ સુધી એમ્યુઝમેન્ટ સહિતના પાર્ક બંધ રહેવાને લીધે મોટો આર્થિક ફટકો પડ્યો હતો. ત્યારે બેંકોએ લીધેલી લોન્સની ઉઘરાણી શરૂ કરી હતી. કલેક્ટર તરફથી લોનની ઉઘરાણી માટેની કાર્યવાહી કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

સૂત્રો જણાવે છે કે હાલમાં બેંકો રૂ 5 કરોડથી વધુની એનપીએ હોય તો તરત જ તે મામલામાં પોલીસ ફરિયાદ નોંધાવી દેતી હોય છે. તે હેઠળ હાલમાં જ તેમની સામે એક સીબીઆઇ ફરિયાદ પણ નોંધાઇ હતી. જોકે, હવે તેમણે રૂ. 170 કરોડની લોનના રૂપિયા ભરી દેતા તેમને રાહત થઇ છે.

બેંક તરફથી તેમને જે નો ડ્યુઝ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે તેમાં યુનિયન બેંક ઓફ ઇન્ડિયા, બેંક ઓફ બરોડા, બેન્ક ઓફ ઇન્ડિયા અને સાઉથ ઇન્ડિયન બેંકની લોનનો સમાવેશ થાય છે.

આ ન્યૂઝને કન્ફર્મ કરવા માટે જ્યારે સંજય મોવલિયાનો સંપર્ક કરવામાં આવ્યો તે તેમણે કહ્યું કે, અમેઝિયાથી લઇને રાજહંસ સિનેમા સુધીના પ્રોજેક્ટ્સમાં જે કંઇ પણ લોન્સ હતી તે તમામ લોન્સ અમે ભરી દીધી છે. આ અંગે કલેક્ટરને જાણ કરવાની પ્રક્રિયા પણ કરી દીધી છે.


આવી નોબત આવવા અંગે મોવલિયાએ કહ્યું કે કોરોનાકાળમાં સૌથી મોટો ફટકો એન્ટરટેનમેન્ટ અને એમ્યુઝમેન્ટ સેક્ટરને પડ્યો હતો. તે દરમિયાન પણ અમારે આ પ્રોજેક્ટસના મેઇટેનન્સ અને સ્ટાફના પગાર પર મોટો ખર્ચ તો થતો જ રહ્યો હતો. જોકે, હવે અમે રૂપિયા ભરી દીધા છે.

આ અંગેની વાત બાંધકામ ઉદ્યોગમાં પ્રસરતા લોકોએ જુદી જુદી પ્રતિક્રિયાઓ આપી હતી. કેટલાકનું કહેવું હતું કે વધુ કાર્યવાહીના ડરથી તેમણે આવું કર્યું છે. જોકે, મોટાભાગના લોકોનું કહેવું હતું કે આજકાલ મોટા મોટા ઉદ્યોગકારો અને વેપારીઓ બેંકોની લાખો કરોડોની લોન્સ લઇને ભાગી જતા હોય છે. વિદેશ જતા રહીને મોજમજા કરતા હોય છે. આ કેસમાં સંજય મોવલિયાએ લોન ભરી દઇને સારૂં ઉદાહરણ પૂરું પાડ્યું છે.

About The Author

Related Posts

Top News

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

મધ્ય પ્રદેશ હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે એક મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરતા કહ્યું કે, જો કોઈ મહિલા પુખ્ત હોય, તો તે...
National 
પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.