મારા પતિના બીજી મહિલાઓ સાથે સંબંધ છે પરંતુ, હું કંઈ કરી નથી શકતી...

PC: khabarchhe.com

હું એક પરીણિત મહિલા છું. મેં મારા પતિ સાથે લવ મેરેજ કર્યા હતા. વર્ષ 2020 સુધી અમારા બંને વચ્ચે બધુ બરાબર ચાલી રહ્યું હતું. હું મારા પતિ સાથે ખૂબ જ ખુશ હતી. પરંતુ, અચાનક મને પોતાના પતિની અસલિયત અંગે જાણકારી મળી. મને જાણવા મળ્યું કે તેણે મને સંબંધની શરૂઆતથી જ છેતરી છે. હું તેના પર આંખ બંધ કરીને વિશ્વાસ કરી રહી હતી પરંતુ, તેણે મને હંમેશાં મુર્ખ બનાવી. મારો પતિ લગ્ન બાદથી જ બીજી મહિલાઓ સાથે સંબંધમાં છે. તેને ક્યારેય મને છેતરવાનો પસ્તાવો ના થયો. તેનું પહેલા પણ ઘણી છોકરીઓ સાથે અફેર રહી ચુક્યુ છે.

મેં તેના મોબાઇલમાં ઘણી છોકરીઓના મેસેજ-વીડિયો જોયા છે. એવામાં જ્યારે એકવાર મેં આ મુદ્દા પર તેનો સામનો કર્યો, તો તેણે મને જ દોષી ગણાવી દીધી. પહેલા તો મને લાગ્યું કે તેનાથી અજાણતા ભૂલ થઈ છે પરંતુ, વારંવાર તેની આવી હરકતો જોઈ મને એહસાસ થયો કે તે માત્ર મને છેતરી રહ્યો છે. મારા બે બાળકો છે. હું આ સંબંધ તોડવા નથી માંગતી પરંતુ, મને એ પણ નથી સમજાતું કે હું તેની સાથે શું કરું? હું બધુ જ જાણુ છું છતા ચૂપ છું.

મહિલાના આ જવાબ પર પ્રિડિક્શન ફોર સક્સેસના સંસ્થાપક અને રિલેશનશિપ કોચ વિશાલ ભારદ્વાજે કહ્યું કે, મને એ જોઈને ખૂબ જ દુઃખ થાય છે કે લોકો પળવારની ખુશી માટે પોતાના લગ્નને બરબાદ કરવામાં કોઈ કસર નથી છોડતા. વ્યક્તિ દગો ત્યારે જ સહન કરી શકે છે જ્યારે માફી દિલથી માંગવામાં આવે. પરંતુ, વારંવાર ચીટિંગ કરીને તમારા પતિએ એ સ્પષ્ટ કરી દીધુ છે કે તેને તમારી સાથે પ્રેમ નથી. તેમજ તેને પોતાની ભૂલનો પણ અહેસાસ નથી.

જો તમે આ લગ્ન તોડવા ના માંગતા હો તો તમે આ સંબંધને બચાવવા માટે એક અંતિમ પ્રયત્ન જરૂર કરી શકો છો. જો તમારો પાર્ટનર પોતાની ભૂલનો દોષ તમને જ આપી રહ્યો હોય તો તમારે તેની સાથે બેસીને વાત કરવાની જરૂર છે. તેને એ વાતનો એહસાસ કરાવો કે તમને અને આ સંબંધને તેમની કેટલી જરૂર છે.

એટલું જ નહીં, તમે તેની સાથે ખુલીને વાત કરો અને સમજાવો કે લગ્નમાં વફાદારી અને ઈમાનદારી કેટલી જરૂરી છે. તમે તેને એ પણ જણાવી શકો છો કે જો આ સંબંધ તૂટ્યો તો તેની અસર તમારા બંને બાળકો પર પણ પડશે. જો તમારા પ્રયત્નો છતા તમારો પતિ ના માને તો તમારે પોતાના પરિવાર સાથે વાત કરવી જોઈએ. આવુ એટલા માટે કારણ કે ક્યારેક-ક્યારેક આપણે એટલા માટે ચૂપ રહી જઈએ છીએ કે સંબંધ તૂટવા પર શું થશે? જોકે, આ અપ્રોચ ખોટો છે અને એક સમયે તમને તે મોટી મુશ્કેલીમાં પણ મુકી શકે છે.

જો તમે હાલ કામ ના કરી રહ્યા તો તમે પોતાના માટે ફાયનાન્સિયલ ઓપ્શન્સ પણ શોધી શકો છો. હું એવુ એટલા માટે કહી રહ્યો છું કારણ કે, આર્થિકરીતે સ્વતંત્ર થઈને તમે પોતાના સ્વાભિમાન માટે યોગ્ય નિર્ણય લઈ શકશો. બાળકોનો ઉછેર કરવાની જવાબદારી માતા અને પિતા બંનેની હોય છે. બાળકો પોતાના માતા-પિતાને રોલ મોડલ માને છે. તેમને સાચા સંબંધોની પરિભાષા શીખવવી એ તમારા બંનેની જવાબદારી છે. બાળકો વાતોને ફોલો નથી કરતા. તેઓ માત્ર તમારા પગલાં પર ચાલે છે. એવામાં જો તમે દુઃખી અથવા ચિંતિત રહેશો, તો તેની ખરાબ અસર તેમના પર પણ પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp