પુરુષો લાઇફ પાર્ટનર વિના નથી જીવી શકતા! રિસર્ચમાં થયો ચોંકાવનારો ખુલાસો

ખુશહાલ જીવન જીવવા માટે દરેક વ્યક્તિને એક પાર્ટનરની જરૂર હોય છે. પુરુષ હોય કે પછી મહિલા દરેક વ્યક્તિને પાર્ટનરની જરૂર હોય છે. પરંતુ, હવે સવાલ એ ઉઠે છે કે કોને સૌથી વધુ પાર્ટનરની જરૂર હોય છે. એક રિસર્ચમાં એ વાત સામે આવી છે કે, પુરુષોને સૌથી વધુ પાર્ટનરની જરૂર હોય છે. એક રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે, પુરુષ પોતાની લાઇફ પાર્ટનર વિના જીવી ના શકે. ફ્લોરિડાની સ્ટેટ યુનિવર્સિટીમાં થયેલી એક સ્ટડી જણાવે છે કે, કોઈ પુરુષ જો પોતાની મહિલા પાર્ટનરને ગુમાવી દે તો એક વર્ષની અંદર તેના મરવાની સંભાવના 70 ટકા જેટલી વધી જાય છે. આ રિસર્ચમાં એ વાત સામે આવી છે કે, જીવનસાથીને ગુમાવવાનું દુઃખ સૌથી વધુ પુરુષો પર અસર કરે છે. આ રિસર્ચ 22 માર્ચે પીએલઓએસ વન પત્રિકામાં પ્રકાશિત થઈ હતી.

AFP સમાચાર એજન્સીએ આ રિસર્ચ પર એક રિપોર્ટ પ્રકાશિત કર્યો છે જે અનુસાર, આ રિસર્ચમાં મળી આવ્યું છે કે જે લોકો પોતાના જીવનસાથીને નાની ઉંમરમાં ગુમાવી દે છે તેમની 1 વર્ષની અંદર મરવાની આશંકા વધુ થઈ જાય છે. આંકડાઓ પ્રમાણે જોઈએ તો શોધકર્તાઓને જણાયુ કે, જે પુરુષ નાની ઉંમરમાં પોતાના જીવનસાથીને ગુમાવી દે છે તેમના મૃત્યુની આશંકા 70 ટકા વધુ થઈ જાય છે. જ્યારે, મહિલાઓમાં પોતાના જીવનસાથીને ગુમાવી દીધા બાદ મૃત્યુની આશંકા 27 ટકા વધુ હોય છે.

આ રિસર્ચના સહ નિદેશક ડૉક્ટર ડૉન કેર કહે છે કે, સામાન્યરીતે એવુ એટલા માટે થાય છે કારણ કે, જેવી તમારી નજીકની કોઈ વ્યક્તિ તમારાથી વિખુટી પડી જાય છે તો તેનો પ્રભાવ તમારા રુટિન પર પણ પડે છે. તમે ડિપ્રેશનમાં ચાલ્યા જાઓ છો, ઘણીવાર દારૂનું સેવન પણ કરવાનું શરૂ કરી દો છે. આ સાથે જ તમે હંમેશાં ગુમસુમ બેઠા રહો છો અને એક્સરસાઇઝ વગેરેમાં જરા પણ ભાગ નથી લેતા. આ જ કારણ છે કે, તમારા પાર્ટનરના વિખુટા પડ્યા બાદ લોકોમાં મૃત્યુની સંભાવના વધુ થઈ જાય છે. તેમજ, જે લોકો એકબીજાને પ્રેમ કરે છે અને હંમેશાં એકબીજાની સાથે રહેવા માંગે છે, તેઓ પોતાના ભવિષ્યને લાંબુ જુએ છે અને એકબીજાની સાથે સ્વસ્થ જીવન જીવવા માટે તેને અનુસાર પોતાની લાઇફસ્ટાઇલ હેલ્ધી રાખે છે.

About The Author

Related Posts

Top News

શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારને મોટી રાહત મળી છે. દિલ્હીની એક કોર્ટે ગાંધી પરિવાર વિરુદ્ધ EDની ફરિયાદ પર ધ્યાનમાં...
Politics 
શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

SIRએ દેશભરમાં નોંધપાત્ર ચર્ચા જગાવી છે. પશ્ચિમ બંગાળમાં પણ આ અંગેના ઘણા મુદ્દાઓ સામે આવતા રહ્યા છે. આવતા વર્ષે...
National 
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

સેવન્થ-ડે સ્કૂલને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, સરકાર પોતે સ્કૂલનો વહીવટ સંભાળશે

તપાસ સમિતિએ અમદાવાદની ક્રિશ્ચિયન ટ્રસ્ટ સંચાલિત જાણીતી 'સેવન્થ-ડે સ્કૂલ'નો વિસ્તૃત અહેવાલ રાજ્ય સરકારને સુપરત કર્યો છે. જેમાં...
Gujarat 
સેવન્થ-ડે સ્કૂલને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, સરકાર પોતે સ્કૂલનો વહીવટ સંભાળશે

'3 વર્ષથી રાહુલ ગાંધી...' કોંગ્રેસના ભૂતપૂર્વ MLAએ નેતૃત્વ પરિવર્તનની માંગ કરી, પાર્ટીએ તેમને જ કાઢી મૂક્યા!

કોંગ્રેસે ભૂતપૂર્વ ધારાસભ્ય મોહમ્મદ મોકીમને પક્ષમાંથી હાંકી કાઢ્યા છે. તેમણે તાજેતરમાં પક્ષના નેતૃત્વમાં પરિવર્તનની માંગ કરી હતી અને કહ્યું હતું...
National 
'3 વર્ષથી રાહુલ ગાંધી...' કોંગ્રેસના ભૂતપૂર્વ MLAએ નેતૃત્વ પરિવર્તનની માંગ કરી, પાર્ટીએ તેમને જ કાઢી મૂક્યા!
Copyright (c) Khabarchhe All Rights Reserved.