પુરુષો લાઇફ પાર્ટનર વિના નથી જીવી શકતા! રિસર્ચમાં થયો ચોંકાવનારો ખુલાસો

ખુશહાલ જીવન જીવવા માટે દરેક વ્યક્તિને એક પાર્ટનરની જરૂર હોય છે. પુરુષ હોય કે પછી મહિલા દરેક વ્યક્તિને પાર્ટનરની જરૂર હોય છે. પરંતુ, હવે સવાલ એ ઉઠે છે કે કોને સૌથી વધુ પાર્ટનરની જરૂર હોય છે. એક રિસર્ચમાં એ વાત સામે આવી છે કે, પુરુષોને સૌથી વધુ પાર્ટનરની જરૂર હોય છે. એક રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે, પુરુષ પોતાની લાઇફ પાર્ટનર વિના જીવી ના શકે. ફ્લોરિડાની સ્ટેટ યુનિવર્સિટીમાં થયેલી એક સ્ટડી જણાવે છે કે, કોઈ પુરુષ જો પોતાની મહિલા પાર્ટનરને ગુમાવી દે તો એક વર્ષની અંદર તેના મરવાની સંભાવના 70 ટકા જેટલી વધી જાય છે. આ રિસર્ચમાં એ વાત સામે આવી છે કે, જીવનસાથીને ગુમાવવાનું દુઃખ સૌથી વધુ પુરુષો પર અસર કરે છે. આ રિસર્ચ 22 માર્ચે પીએલઓએસ વન પત્રિકામાં પ્રકાશિત થઈ હતી.

AFP સમાચાર એજન્સીએ આ રિસર્ચ પર એક રિપોર્ટ પ્રકાશિત કર્યો છે જે અનુસાર, આ રિસર્ચમાં મળી આવ્યું છે કે જે લોકો પોતાના જીવનસાથીને નાની ઉંમરમાં ગુમાવી દે છે તેમની 1 વર્ષની અંદર મરવાની આશંકા વધુ થઈ જાય છે. આંકડાઓ પ્રમાણે જોઈએ તો શોધકર્તાઓને જણાયુ કે, જે પુરુષ નાની ઉંમરમાં પોતાના જીવનસાથીને ગુમાવી દે છે તેમના મૃત્યુની આશંકા 70 ટકા વધુ થઈ જાય છે. જ્યારે, મહિલાઓમાં પોતાના જીવનસાથીને ગુમાવી દીધા બાદ મૃત્યુની આશંકા 27 ટકા વધુ હોય છે.

આ રિસર્ચના સહ નિદેશક ડૉક્ટર ડૉન કેર કહે છે કે, સામાન્યરીતે એવુ એટલા માટે થાય છે કારણ કે, જેવી તમારી નજીકની કોઈ વ્યક્તિ તમારાથી વિખુટી પડી જાય છે તો તેનો પ્રભાવ તમારા રુટિન પર પણ પડે છે. તમે ડિપ્રેશનમાં ચાલ્યા જાઓ છો, ઘણીવાર દારૂનું સેવન પણ કરવાનું શરૂ કરી દો છે. આ સાથે જ તમે હંમેશાં ગુમસુમ બેઠા રહો છો અને એક્સરસાઇઝ વગેરેમાં જરા પણ ભાગ નથી લેતા. આ જ કારણ છે કે, તમારા પાર્ટનરના વિખુટા પડ્યા બાદ લોકોમાં મૃત્યુની સંભાવના વધુ થઈ જાય છે. તેમજ, જે લોકો એકબીજાને પ્રેમ કરે છે અને હંમેશાં એકબીજાની સાથે રહેવા માંગે છે, તેઓ પોતાના ભવિષ્યને લાંબુ જુએ છે અને એકબીજાની સાથે સ્વસ્થ જીવન જીવવા માટે તેને અનુસાર પોતાની લાઇફસ્ટાઇલ હેલ્ધી રાખે છે.

About The Author

Related Posts

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.