આને કહેવાય... રબ ને બના દી જોડી; રશિયાની યુનાને વૃંદાવનમાં જીવન સાથી મળી ગયો

કહેવાય છે કે ઉપરવાળો જોડીઓ બનાવીને જ નીચે મોકલે છે, તેણે બનાવેલી જોડીને તે કોઈ પણ સંજોગોમાં, કંઈ પણ કરીને મેળવી જ દે છે. જે એકબીજાને જાણતા પણ ન હોય, તેમણે એકબીજાને ક્યારેય જોયા પણ ન હોય, તેઓ જાણતા અજાણતાં એકબીજાને મળી જ જાય છે. આવો જ એક કિસ્સો ભગવાનના ધામ વૃંદાવનમાં બન્યો છે. ભગવાને એવી જોડીને મેળવી છે કે, ભાષા, જ્ઞાન, રૂપ રંગ, દેશ, બોલી, સંસ્કૃતિ બધી રીતે ક્યાંય પણ મેળ બેસતો નથી, તો પણ વિદેશથી આવેલી યુવતીએ સ્થાનિક યુવકને પસંદ કરીને તેની સાથે લગ્ન કરી લીધા.

પતિ-પત્નીની આ જોડીની સૌથી ખાસ વાત એ છે કે, પતિ ભણેલો નથી અને રશિયન પત્ની હિન્દી નથી જાણતી, તેમ છતાં બંને સાથે રહે છે અને પ્રેમની ભાષા સમજે છે. સાથે મળીને તેઓ બંને ગાયની સેવા કરીને જીવન નિર્વાહ ચલાવે છે.

ધર્મનગરી વૃંદાવન કરોડો લોકોની આસ્થાનું પ્રતિક છે, અહીં માત્ર દેશમાંથી જ નહીં પરંતુ વિશ્વભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે. અહીં આવીને ભગવાનની સેવા કરે છે. આવી જ એક ભક્ત રશિયાથી વૃંદાવનમાં દર્શન કરવા આવી હતી, પરંતુ પછી કંઈક એવું થયું કે, તેને અહીંનું વાતાવરણ એટલું બધું ગમી ગયું કે, તે અહીં જ રોકાઈ ગઈ.

આ રશિયન છોકરી અહીં એક છોકરા સાથે પ્રેમમાં પડી ગઈ. બંને એકબીજાને એટલા પસંદ કરતા હતા કે વાત લગ્ન સુધી પહોંચી ગઈ હતી. સાત સમંદર પારથી કૃષ્ણની ભક્તિ યુનાને વૃંદાવન તરફ ખેંચી લાવી હતી. અહીં તેની મુલાકાત રાજકરણ સાથે થઇ હતી, જે 20 વર્ષથી અહીં રહેતો હતો અને વૃંદાવનમાં રહેતા તેમના ગુરુના આદેશથી ગાયોની સેવા કરતો હતો.

યુના પણ તેમની સાથે ગાય સેવામાં જોડાઈ ગઈ અને રાજકરણની સાથે ગાય સેવા કરવાનું શરૂ કર્યું. ધીમે-ધીમે સાથે સેવા કરતી વખતે બંને પ્રેમમાં પડ્યા અને બંનેએ એપ્રિલ 2023માં દિલ્હીમાં હિન્દુ રીતિ-રિવાજથી લગ્ન કર્યા. હવે તે બંને દિવસ દરમિયાન ગાયની સેવા કરે છે અને સાંજે વૃંદાવનના ઈસ્કોન મંદિર પાસે પરિસરમાં આવનારા લોકોને ધાર્મિક પુસ્તકો વેચી અને ચંદન લગાવીને પોતાનો જીવન નિર્વાહ ચલાવે છે. બંનેની જોડીને જોઈને સ્થાનિક લોકોની સાથે બહારથી આવતા ભક્તો પણ આશ્ચર્યચકિત થઈ જાય છે.

રાજકરણને કોઈ પ્રકારનું શિક્ષણ મળ્યું નથી, એટલે કે તે ભણ્યો નથી, તેથી તેને લખતા વાંચતા આવડતું નથી અને યુના તે રશિયન છે, જે હિન્દી પણ જાણતી નથી. તો પણ પ્રેમ એક એવી ભાષા છે કે, બંને એકબીજાની દરેક વાતને સમજી લે છે. અહીં બંનેની વાત કરીએ તો, બંનેની ઉંમરમાં બહુ ફરક નથી. યુનાની ઉંમર 36 વર્ષ છે, જ્યારે રાજકરણ 35 વર્ષનો છે. યુનાએ લગ્ન પછી ભારતીય સંસ્કૃતિને સંપૂર્ણપણે અપનાવી લીધી છે. તે તેના ગળામાં મંગળસૂત્ર પણ પહેરે છે અને તેના માથાના ભાગે સેંથામાં સિંદૂર પણ લગાવે છે, એટલું જ નહીં, તે તેના પગમાં પાયલ પણ પહેરે છે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.