શારીરિક સંબધો બાંધ્યા પછી મહિલાઓ પુરુષોને ફસાવે છે: હાઇ કોર્ટની ટીપ્પણી

સગીર યુવતી પર બળાત્કરાના એક કેસની અરજી પર સુનાવણી કરતી વખતે અલ્હાબાદ હાઇકોર્ટે કહ્યું કે, લાંબા સમય સુધી શારિરિક સંબંધો બાંધ્યા પછી મહિલાઓ ખોટા કેસ નોંધાવી રહી છે. આવા ખોટા કેસો કરીને મહિલાઓ ગેરલાભ ઉઠાવી રહી છે. કોર્ટે સગીરા પર બળાત્કાર કેસના આરોપીને જામીન આપી દીધા છે.

અલ્હાબાદ હાઇકોર્ટે એક મહત્ત્વની ટિપ્પણી કરતા કહ્યું કે, મહિલાઓને કાયદાનું સંરક્ષણ મળેલું છે. તેઓ પુરુષોને આસાનીથી ફસાવવામાં સફળ થઇ જાય છે. કોર્ટે કહ્યું કે અદાલતોમાં મોટી સંખ્યાઓમાં આવા કેસો આવી રહ્યા છે, જેમાં યુવતીઓ કે મહિલાઓ આરોપી સાથે લાંબા સમયથી શારિરિક સંબંધો બનાવે છે અને પછી ખોટા આરોપો મુકીને FIR નોંધાવીને ગેરલાભ  ઉઠાવે છે.

કોર્ટે કહ્યું કે આવા કેસોમાં ન્યાયિક અધિકારીઓએ સતર્ક રહેવું જોઇએ. તેઓ વાસ્તવિક હકિકતનું ધ્યાન રાખે અને પછી ચુકાદો આપે. આ ટિપ્પણી ન્યાયાધીશ સિધ્ધાર્થે વારાણસીના ઓમ નારાયણ પાંડેની જામીન અરજી પરની સુનાવણી કરતી વખતે કરી હતી. કોર્ટે કહ્યું કે હવે સમય આવી ગયો છે કે અદાલતો આવી જામીન અરજીઓ પર વિચાર કરતી વખતે સર્તક રહે. કાયદો પુરુષો પ્રત્યે પક્ષપાતી છે. FIRમાં કોઇની પણ સામે બેબુનિયાદ આરોપો લગાવવા અને આવા આરોપોમાં ફસાવવા ખુબ જ સરળ છે.

કોર્ટે કહ્યું કે સોશિયલ મીડિયો, ફિલ્મો, ટીવી શો વગેરેના માધ્યમથી જાણે પારદર્શિતાની ફેશન ચાલી રહી છે. સગીર યુવકો અને યુવતીઓ આનું સીધું અનુકરણ કરે છે. ભારતીય સામાજિક અને પારંપારિક  ધારાધોરણથી વિપરીત યુવતીના પરિવાર અને યુવતીના સન્માનની રક્ષાના નામે દુર્ભાવનાપૂર્ણ અને ખોટી ફરિયાદ નોંધાવે છે.

કોર્ટે કહ્યું કે કેટલોક સમય અથવા લાંબા સમય સુધી લીવ-ઇનમાં રહ્યા પછી યુવક કે યુવક અને યુવતી વચ્ચે કોઇ વાત વિવાદ ઉભો થઇ જાય છે. પાર્ટનરનો સ્વભાવ સમયની સાથે બીજા પાર્ટનરની સામે ખુલી જાય છે અને જ્યારે તેમને ખબર પડે છે કે તેમનો સંબંધ જીવનભર ટકી શકશે નહીં તો  પરેશાની શરૂ થઈ જાય છે.

કોર્ટે કહ્યું કે કાયદો એક ગતિશીલ ધારણાં છે અને આવા મામલાઓ પર ખૂબ જ ગંભીરતાથી પુનર્વિચાર કરવાની જરૂર છે. વારાણસીના સારનાથ પોલીસ સ્ટેશનમાં જાતીય સતામણી સહિત POCSO હેઠળ અરજદાર વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે. આરોપ છે કે તેણે લગ્નનું વચન  આપીને  સગીરા સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 17-12-2025 દિવસ: બુધવાર મેષ: આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. તમે વ્યવસાયિક ક્ષેત્રો સાથે સંબંધિત લોકો સાથે સંપર્ક...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો
Copyright (c) Khabarchhe All Rights Reserved.