ભાવનગરમાં કોરોનાનો કહેર, આ 4 ગામમાં બે મહિનામાં 225 લોકોના મોત

કોરોનાનો કહેર રાજ્યમાં વધી રહ્યો છે. તેની સાથે-સાથે મૃત્યુલોકમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે કોરોનાના કહેરથી ભાવનગર જિલ્લાના ગામડામાં મોતનો આંકડો વધ્યો છે. બે મહિનાના સમયમાં ભાવનગરના ચાર ગામડામાં 225 લોકોએ જીવ ગુમાવ્યો છે.

રિપોર્ટ અનુસાર કોરોનાની મહામારી વચ્ચે ઉમરાળા અને વલભીપુર પંથકમાં પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ઉમરાળા તાલુકાના ચોગઠ રંધોળા અને લીમડા ગામમાં કોરોના પોઝિટિવ કેસ સતત વધી રહ્યા છે. છેલ્લા બે મહિનાના સમયમાં ઉમરાળામાં 35 લોકોના મોત થયા છે. ચોગઠ ગામમાં 90, રંધોળામાં 70 અને લીમડામાં 35 લોકોના મોત થયા છે. ચારેય ગામડાઓમાં મળીને બે મહિનાના સમયમાં 225 લોકોએ જીવ ગુમાવ્યો છે.

મહત્ત્વની વાત છે કે, ચોગઠ ગામની અંદર 12 હજાર લોકોની વસ્તી છે. આ ગામમાં કોરોના એવો કહેર મચાવ્યો છે કે, સ્મશાનમાં લાકડાં બે મહિનાના સમયમાં જ ખતમ થઈ ગયા છે. એટલે કોરોનાની મહામારી વચ્ચે તાત્કાલિક લાકડા નવસારીથી મગાવવામાં આવી રહ્યા છે. પહેલા આ ગામની અંદર એક મહિનામાં એકથી બે લોકોના મોત થતા હતા પરંતુ હવે છેલ્લા બે મહિનામાં 90 લોકોના મોત થતાં હાહાકાર મચી ગયો છે. તો ચોગઠ ગામની અંદર એક જ પરિવારના માતા, દીકરો અને કાકા એમ ત્રણ લોકોના કોરોનાથી મોત થયા છે.

ભાવનગરમાં કોરોના પોઝિટિવ કેસો વધતા ઉમરાળા ખાતે એક કોવિડ સેન્ટર બનાવવામાં આવ્યું છે. આ સેન્ટરમાં 40 બેડની સુવિધા છે અને હાલ તમામ બેડ ફૂલ થઈ ગયા છે. તો બીજી તરફ ઉમરાળામાં પણ બે મહિનામાં 35 લોકોના મોત થયા છે. ઉમરાળા ગામની વસ્તી 15 હજારની છે અને 30 લોકોના મોતથી ગામમાં હચમચી ગયુ છે. ઉમરાળા ગામમાં પણ થોડા સમય પહેલા એક જ પરિવારના બે પુત્ર અને પિતા એટલે કે ત્રણ સભ્યોના મોત થયા હતા.

રંધોળામાં કોરોના પોઝિટિવ કેસ વધતા હોવાથી ગામના લોકોએ મીની લોકડાઉન જાહેર કર્યું છે અને આ ગામની હાલત એવી છે કે, ગામમાં લોકોને સારવાર મળી રહે તે માટે PHC સેન્ટર છે પરંતુ આ સેન્ટરની અંદર કામ કરવા માટે સ્ટાફ નથી. રંધોળાનું આરોગ્ય કેન્દ્ર ઉમરાળા તાલુકાનું સૌથી મોટું આરોગ્ય કેન્દ્ર મનાય છે પરંતુ હાલ એક પણ સ્ટાફ કામ કરી રહ્યો નથી અને બે મહિનામાં 70 જેટલા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

ચોગઠ ગામમાં રહેતા વિહા આદેશરા જણાવ્યું હતું કે, અમારા ગામમાં એક જ પરિવારના મા-દીકરો અને કાકાનું મોત થતાં ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. આ ઉપરાંત ગામમાં દર્દીઓની સારવાર માટે 4 બેડ ઉભા કરવામાં આવ્યા છે પરંતુ અહીં બરાબર સગવડ પણ આપવામાં આવતી નથી.

ધર્મેન્દ્ર હેજમ નામના એક વ્યક્તિએ જણાવ્યું હતું કે, કોવિડ સેન્ટરમાં દવાથી માંડીને જમવાની જવાબદારી ઉમરાળા આધ્યાત્મિક સાધના કેન્દ્ર નિભાવી રહ્યું છે. તાલુકાના 50 જેટલા ગામોને સેનિટાઈઝ કરવામાં આવ્યા છે અને ઓક્સિજનની 75 બોટલો વિનામૂલ્યે આપવામાં આવી છે.

About The Author

Related Posts

Top News

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર(RCB)ની ટીમ 16,706 કરોડમાં વેચાઈ ગઈ, જાણો કોણે ખરીદી

IPLની સૌથી હાઇ-પ્રોફાઇલ ટીમોમાંથી એક અને વર્તમાન ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) હવે નવા હાથોમાં જતી રહી...
Sports 
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર(RCB)ની ટીમ 16,706 કરોડમાં વેચાઈ ગઈ, જાણો કોણે ખરીદી

કરિયાવરમાં 20 કરોડની માંગ, SDM પતિ-પત્ની વચ્ચેનો વિવાદ પોલીસ સ્ટેશન પહોંચ્યો

ઉત્તર પ્રદેશના ચંદૌલીમાં પોસ્ટ કરાયેલા SDM પતિ-પત્ની વચ્ચેનો વિવાદ ચર્ચાનો વિષય બની ગયો છે. ચંદૌલી સદર SDM દિવ્યા ઓઝાના પિતા...
National 
કરિયાવરમાં 20 કરોડની માંગ,  SDM પતિ-પત્ની વચ્ચેનો વિવાદ પોલીસ સ્ટેશન પહોંચ્યો

IPL 2026માંથી 7 ટીમોના 11 સ્ટાર ખેલાડીઓ બહાર થઈ ગયા, એક તો ટીમનો કેપ્ટન છે

IPL 2026 શરૂ થવામાં હવે થોડા દિવસો જ બાકી છે. બધી ટીમો ટ્રોફી જીતવા માટે સખત તૈયારી કરી રહી છે...
Sports 
IPL 2026માંથી 7 ટીમોના 11 સ્ટાર ખેલાડીઓ બહાર થઈ ગયા,  એક તો ટીમનો કેપ્ટન છે

'સાવધાન! ભારત ખૂબ જ ખતરનાક છે!', ઓસ્ટ્રેલિયન યુવકના દાવાએ ઇન્ટરનેટ પર ખળભળાટ મચાવી દીધો

'થોભી જાઓ... ભારત ન જાવ, તે ખૂબ જ ખતરનાક છે!' આ વાંચીને તમને થોડું વિચિત્ર લાગશે અને...
Travel 
'સાવધાન! ભારત ખૂબ જ ખતરનાક છે!',  ઓસ્ટ્રેલિયન યુવકના દાવાએ ઇન્ટરનેટ પર ખળભળાટ મચાવી દીધો

Opinion

જયપ્રકાશ અગ્રવાલ એક એવા ઉદ્યોગપતિ છે જેમણે સુરત શહેરનું ઋણ ચૂકવવામાં કોઈ કસર છોડી નથી જયપ્રકાશ અગ્રવાલ એક એવા ઉદ્યોગપતિ છે જેમણે સુરત શહેરનું ઋણ ચૂકવવામાં કોઈ કસર છોડી નથી
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતના ટેક્સટાઇલ જગતમાં સુરતનું રચના ગ્રુપનું અગ્રણી નામ છે. જેની સ્થાપના વર્ષ 1980માં જયપ્રકાશ અગ્રવાલે કરી હતી. જયપ્રકાશ...
જયેશ દેસાઈ: હસતા મોઢે સૌનું હૈયું જીતી સફળતાની સીડી ચઢનાર વ્યક્તિત્વ
આર્કિટેક્ટ બંકિમ દવે: સુરતમાં આર્કિટેક્ચર અને ઇન્ટિરિયર ડિઝાઇનના ક્ષેત્રમાં ત્રીજી પેઢીનું મોટું નામ
ગુજરાત ભાજપના કાર્યકર્તાઓને તડકી છાંયડીમાં સાથ આપે એવા અધ્યક્ષ મળ્યા છે
ગુજરાતના યુવાનો મોઘી ગાડીઓ, વૈભવી મકાનો માટે પોતાની જમીન ખેતર ના વેચશો
Copyright (c) Khabarchhe All Rights Reserved.