માતાજીના કહેવાતા ભુવાએ જ પ્રેમિકાની હત્યા કરી હતી,1 વર્ષ પછી ભેદ ઉકેલાયો

કોઇ ફિલ્મને પણ ટક્કર મારે તેવી રિયલ લાઇફની હત્યાની એક સ્ટોરી સામે આવી છે જેને કારણે સનસનાટી મચી ગઇ છે. પોતાને માતાજી આવતા હોવાનું કહીને કાર્યક્રમોમાં ધૂણતા રહેતા સુરજ સોલંકી ર્ઉર્ફે સુરજ ભુવાજીએ જ પોતાની પ્રેમિકાનું કાસળ કાઢી નાંખ્યું હતું અને પોલીસને ગુમરાહ કરી હતી. એક વર્ષ પછી પ્રેમિકાની હત્યાનો ભેદ ઉકેલાયો છે અને પોલીસે સુરજ ભુવાજી સહિત 8ની ધરપકડ કરીને જેલ ભેગા કરી દીધા છે.

સમગ્ર ઘટનાને પગલે DCP બી.યુ જાડેજાએ જણાવતા કહ્યું કે, અત્યારે રાજ્યભરમાં ગુમ થયેલ મહિલાઓને શોધી કાઢવાની ડ્રાઈવ ચાલી રહી છે. આ અભિયાનના ભાગરૂપે અમદાવાદમાં રહેતી જૂનાગઢની ધારા કડીવાર નામની યુવતીનીપાલડી પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાઈ હતી. ધારા કડીવાર છેલ્લા એક વર્ષથી ગાયબ હતી. આ કેસની તપાસમાં સુરજ ભુવાજી, 1 મહિલા સહિત 8 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

જાણવા મળેલી વિગત મુજબ મૃતક ધારા કડીવાર સુરજ ભુવાજીના પ્રેમમાં હતી અને પ્રેમી સુરજને જ પોતાની દુનિયા માનતી હતી. પરંતુ એજ પ્રેમી હત્યાની યોજના બનાવી રહ્યો છે તે વાતની ધારાને ખબર નહોતી.

ઘટનાની વિગત એવી છે કે 20 જૂન 2022ના દિવસે ધારા આરોપી મીત શાહ અને સુરજ સોલંકી સાથે જુનાગઢથી નિકળી હતી. એ પછી ગાયબ થઇ ગઇ હતી. ધારાની હત્યાનો પહેલેથી જ પ્લાન થઇ ચૂક્યો હતો એટલે તેણીને અમદાવાદ લાવવાને બદલે ચોટીલા પાસેના વાટાવછ લઇ જવામાં આવી હતી.

વાટાવછમાં ધારાને સુરજ ભુવાજીના ભાઇ યુવરાજ સોલંકી, મુકેશ સોંલકી અને ગુંજન જોશીએ ધમકાવી હતી અને સુરજ સામેની ફરિયાદ પાછી ખેંચી લેવા માટે દબાણ કર્યું હતું, આ દરમિયાન મીત શાહે ધરાનું ગળું દબાવીને હત્યા કરી નાંખી હતી. ધારાના કપડાં અને મોબાઇલ લઇને તેની લાશ યુવરાજ સોંલકીની વાડીમાં સળગાવી દેવામાં આવી હતી. પેટ્રોલ અને ઘાસચારોની પહેલેથી વ્યવસ્થા કરી દેવામાં આવી હતી.

બધા પુરાવાઓનો નાશ કરીને હત્યારાઓ એમ માનતા હતા કે આપણી ધરપકડ નહીં થાય. એના માટે પોલીસને પણ ગેરમાર્ગે દોરવામાં આવી હતી. આરોપીઓએ ધારાના મોબાઇલ પરથી મેસેજ કર્યો હતો કે હું મારી ઇચ્છાથી સુરજને છોડીને દુર જઇ રહી છું, પોલીસની માથાકૂટમાં પડતા નહી. પાછું આરોપી મીત શાહ, સુરજ સોલંકી અને સંજય સોહેલિયાએ ધારાના ગુમ થયાની પાલડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

પરંતુ પોલીસે ઉંડાણ પૂર્વક તપાસ કરતા ખબર પડી હતી કે ધારાની હત્યાનું કાવતરુ રચવામાં આવ્યું હતું અને સુરજ સોલંકીનો જ હાથ છે એટલે 8 લોકોની ધરપકડ કરી લેવામાં આવી હતી. હત્યાની સાજિશમા સાથ આપવા માટે મીત શાહની માતાની ધરપકડ કરવામાં આવી છે.

About The Author

Related Posts

Top News

માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો, ગુસ્સામાં કંઈ કહેતા પહેલા વિચારજો

સુરતના અલથાણથી વાલીઓ અને સગીર વયના બાળકો માટે એક ચેતવણીરૂપ મામલો સામે આવ્યો છે. માતાની વાતથી માઠું લાગી આવતા એક ...
Gujarat 
માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો, ગુસ્સામાં કંઈ કહેતા પહેલા વિચારજો

મનરેગા ભૂલી જાવ, ગ્રામીણ રોજગાર પર VB–G Ram G નામનું નવું બિલ લાવી મોદી સરકાર

કેન્દ્ર સરકારે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરન્ટી અધિનિયમ (મનરેગા)ને ખતમ કરવા અને ગ્રામીણ રોજગાર માટે એક નવો કાયદો લાવવા...
National 
મનરેગા ભૂલી જાવ, ગ્રામીણ રોજગાર પર VB–G Ram G નામનું નવું બિલ લાવી મોદી સરકાર

આંતરજ્ઞાતિય સગાઈ બાદ કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર થતા કિંજલ ભડકી

એક બાજુ સામાજિક પરંપરા અને જ્ઞાતિગત રિવાજો-સંસ્કૃતિને સાચવવા માટે વિવિધ સમાજો સમાયંતરે સમાજના આગેવાનોની બેઠકો બોલાવીને સમાજમાં શિસ્તતા, સંસ્કૃતિ...
Gujarat 
આંતરજ્ઞાતિય સગાઈ બાદ કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર થતા કિંજલ ભડકી

PM મોદી અને નીતિન નબીનનો નાતો 15 વર્ષ જૂનો છે! જાણો 10 મુ્દ્દામાં આખી કહાણી    

બિહાર સરકારના મંત્રી નીતિન નબીનને માત્ર 45 વર્ષની ઉંમરમાં ભાજપના નેશનલ વર્કિંગ પ્રેસિડન્ટ તરીકે પસંદ કરાયા છે. તેઓ કદાચ ભાજપના...
National 
PM મોદી અને નીતિન નબીનનો નાતો 15 વર્ષ જૂનો છે! જાણો 10 મુ્દ્દામાં આખી કહાણી    
Copyright (c) Khabarchhe All Rights Reserved.