બિપરજોય’ વાવાઝોડાનું સૌથી વધારે જોખમ આ તારીખે ગુજરાતમાં જોવા મળશે: IMD

ભારતીય હવામાન વિભાગના ડિરેકટર જનરલ ડોકટર મૃત્યંજય મહાપાત્રએ રવિવારે સાંજે બિપરજોય ચક્રવાતને લઇને મહત્ત્વનું અપડેટ આપ્યું છે.  તેમણે કહ્યું છે કે અત્યંત તીવ્ર ચક્રવાતી વાવાઝોડું 'બિપરજોય' 15મી જૂને બપોરના સુમારે અથવા બપોર પહેલા સૌરાષ્ટ્ર અને જિલ્લા કચ્છને પાર કરે તેવી શક્યતા છે. જે દિવસે તે ગુજરાતના દરિયાકાંઠાને પાર કરે તે દિવસે લોકોએ સલામત સ્થળોએ રહેવું જોઈએ. લોકો ઘરની બહાર ન નિકળે. ડો. મહાપાત્રએ કહ્યું છે કે 15 જૂને જ્યારે વાવાઝોડું કચ્છના દરિયા કાંઠેથી પસાર થશે ત્યારે કચ્છ, જામનગર, દ્રારકા, મોરબીમાં ભારે વરસાદ પડશે. આ વિસ્તારના લોકોને પહેલેથી ચેતવણી આપવામાં આવી છે.

ભારતીય હવામાન વિભાગના ડિરેકટર જનરલ ડો. મૃત્યુંજય મહાપાત્રાએ બિપરજોય વાવાઝોડા પર અપડેટ આપતા કહ્યું છે કે આ વાવાઝોડું અત્યારે પોરબંદરથી 450 કિ.મી દુર દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં કેન્દ્રીત છે. અમારી ધારણા છે કે તે ઉત્તરની દિશા તરફ આગળ વધશે. 15મી જૂન બપોરે અથવા બપોર પહેલા બિપરજોય વાવાઝોડું કચ્છ વિસ્તારના દરિયા કિનારેથી પસાર થશે. મતલબ કે કરાંચીથી માંડવીની વચ્ચે કચ્છ જિલ્લાના દરિયાને પાર કરશે.

ડો. મહાપાત્રાએ કહ્યું કે, જ્યારે 15 જૂને બિપરજોય વાવાઝોડું દરિયાની નજીક આવશે ત્યારે તેની પવનની ઝડપ ઘટીને 125થી 135 કિ.મીની હશે જે વધીને 150 કિ.મી સુધી જઇ શકે છે. આ પવનની ગતિનો મતલબ એ થાય છે કે વેરી સિરયસલી સાયક્લોન સ્ટ્રોમ આવી રહ્યું છે.

તેમણે કહ્યું કે દરિયો અત્યારે અશાંત છે અને પવનની ગતિ 160-170 કિ.મી વચ્ચેની છે.  શિપ્સ ઓફશોર ઓપરેશન, માછીમારો અને દરિયાકાંઠે વસ્તા લોકો માટે મોટું જોખમ છે. અમે 15 જૂન સુધી દરિયા નહીં ખેડવા માટે માછીમારોને ચેતવણી આપેલી છે. 15 જૂન સુધી કોઇ પણ વ્યકિતકે માછીમારો ઉત્તર અરબ સાગર અને કેન્દ્રીય અરબ સાગરમાં ન જાય. તેમણે કહ્યું કે, જે લોકો હજુ દરિયાકાંઠા વિસ્તારમાં છે તે સલામત સ્થળે ચાલ્યા જાય,કારણ કે વાવાઝોડીની ગંભીરતા વધારે છે.

ડો. મહાપાત્રએ કહ્યું કે, જ્યારે 15 જૂને વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠા પરથી પસાર થશે ત્યારે એકસ્ટ્રીમલી હેવી રેઇન ફોલ થશે. લગભગ 20CM. જેટલો વરસાદ પડશે. ખાસ કરીને કચ્છ ડિસ્ટ્રીક્ટ, જામનગર, દ્રારકા, મોરબીને ભારે અસર થશે. જ્યારે આ વાવાઝોડું ગુજરાતના દરિયા કિનારેથી પસાર થશે ત્યારે સમુદ્ધી લહેર પણ આવે છે જે સામાન્ય કરતા 2થી 3 સેન્ટિમીટર વધારે હશે.

About The Author

Top News

શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારને મોટી રાહત મળી છે. દિલ્હીની એક કોર્ટે ગાંધી પરિવાર વિરુદ્ધ EDની ફરિયાદ પર ધ્યાનમાં...
Politics 
શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

SIRએ દેશભરમાં નોંધપાત્ર ચર્ચા જગાવી છે. પશ્ચિમ બંગાળમાં પણ આ અંગેના ઘણા મુદ્દાઓ સામે આવતા રહ્યા છે. આવતા વર્ષે...
National 
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

સેવન્થ-ડે સ્કૂલને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, સરકાર પોતે સ્કૂલનો વહીવટ સંભાળશે

તપાસ સમિતિએ અમદાવાદની ક્રિશ્ચિયન ટ્રસ્ટ સંચાલિત જાણીતી 'સેવન્થ-ડે સ્કૂલ'નો વિસ્તૃત અહેવાલ રાજ્ય સરકારને સુપરત કર્યો છે. જેમાં...
Gujarat 
સેવન્થ-ડે સ્કૂલને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, સરકાર પોતે સ્કૂલનો વહીવટ સંભાળશે

'3 વર્ષથી રાહુલ ગાંધી...' કોંગ્રેસના ભૂતપૂર્વ MLAએ નેતૃત્વ પરિવર્તનની માંગ કરી, પાર્ટીએ તેમને જ કાઢી મૂક્યા!

કોંગ્રેસે ભૂતપૂર્વ ધારાસભ્ય મોહમ્મદ મોકીમને પક્ષમાંથી હાંકી કાઢ્યા છે. તેમણે તાજેતરમાં પક્ષના નેતૃત્વમાં પરિવર્તનની માંગ કરી હતી અને કહ્યું હતું...
National 
'3 વર્ષથી રાહુલ ગાંધી...' કોંગ્રેસના ભૂતપૂર્વ MLAએ નેતૃત્વ પરિવર્તનની માંગ કરી, પાર્ટીએ તેમને જ કાઢી મૂક્યા!
Copyright (c) Khabarchhe All Rights Reserved.