ગિરનારનો મુદ્દો છોડી દેવા માટે મને 500 કરોડની ઓફર થયેલી,મહેશગીરીનો ધડાકો

ભાવનગરના પાલિતાણામાં યોજાયેલી ધર્મસભામાં જૂનાગઢ ગુરુ દત્તાત્રેય મહંત મહેશગીરીએ એક નિવેદન કરીને વિવાદનો મધપુડો છંછેડી દીધો છે.મહંતે કહ્યું હતુ કે, જૂનાગઢનો વિષય છોડી દેવા માટે મને 500 કરોડ રૂપિયાની ઓફર થયેલી. જો કે તેમણે ઓફર કોણે કરી હતી? તે વિશે કોઇ ફોડ પાડ્યો નહોતો. આ ઉપરાંત મહંત મહેશગીરીએ જૈન સમાજ પર પણ નિશાન સાધ્યું હતું.

પાલિતાણામાં મંગળવારે વૈદિક સનાતન ધર્મ ગૌરવ સમિતિ દ્રારા ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ સભામાં મહંત મહેશગીરીએ નિવેદન આપ્યું કે જૂનાગઢનો વિષય છોડી દેવા માટે મને 500 કરોડ રૂપિયાની ઓફર થયેલી હતી. તેમણે કહ્યું કે જ્યારે સનાતન જાગે છે ત્યારે પૈસા ગૌણ થઇ જાય છે. તેમનું આ નિવેદન સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યું છે.

ગુજરાતમાં છેલ્લાં કેટલાંક સમયથી અનેત વિવાદો ઉભા થઇ રહ્યા છે. સાળંગપુર મંદિરનો વિવાદ હોય કે ગિરનાર પર દત્તાત્રેયનો વિવાદ હોય, સનાતન ધર્મના સંતો મંહતો ધર્મસભા યોજીને સનાતન ધર્મની સુરક્ષા વિશે ચર્ચા કરી રહ્યા છે. પાલિતાણામાં દ્રારકાપીઠ શંકરાચાર્યની ઉપસ્થિતિમાં ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેશભરમાં અને સંતો મહંતો હાજર રહ્યા હતા.

પાલિતાણાના શેત્રુંજ્ય ડુંગર પર આવેલા નિલકંઠ મહાદેવ મંદિર અને જૈનાના વિવાદ વચ્ચે મહંત મહેશગીરીએ કહ્યું હતું કે, જૈન સમાજના લોકો હિંદુ મંદિરો પર દાવા કરી રહ્યા છે. જૈનો મહારાષ્ટ્રના લક્ષ્મી મંદિરને અને તિરુપતિ બાલાજી મંદિરને પણ જૈનાના મંદિર તરીકે ગણાવે છે. તેમણે જૂનાગઢ દત્તાત્રેય વિવાદ વિશે કહ્યું હતું કે, મૂળ વિવાદ આઝાદી કાળથી ચાલી રહ્યો છે. જેમાં હિંદુ સમાજ અને સંતો ભગવાન દત્તાત્રેયની ચરણપાદુકા તરીકે ગિરનારની ટોચ પર રહેલા સ્થાનકની પૂજા કરે છે. જ્યારે જૈન સમાજ દાવો કરે છે કે એ ચરણપાદુકા ભગવાન દત્તાત્રેયની નહીં, પરંતુ તેમના તીર્થંકંર નેમિનાથ ભગવાનની છે. આ મામલો હાઇકોર્ટમા પણ વર્ષોથી ચાલી રહ્યા છે.

તાજેતરમાં ગિરનારના દત્તાત્રેય શિખર પર વિવાદ ઉભો થયો હતો. એવો આરોપ છે કે દત્તાત્રેય ભગવાનની ચરણપાદુકા ફેંકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જો કે જૈન સમાજે એવો દાવો કર્યો હતો કે અમને દર્શન કરતા અટકાવવામાં આવ્યા હતા.

About The Author

Related Posts

Top News

દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું

અમરોહામાં પોલીસે બાંગ્લાદેશી મહિલા રીના બેગમ અને તેના પતિ રાશિદ અલીની ધરપકડ કરી. રીનાએ સોશિયલ મીડિયા પર 'બાય-બાય બાંગ્લાદેશ...
National 
દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું

રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ 12 ડિસેમ્બર, શુક્રવારના દિવસે કોંગ્રેસના તમામ સાંસદો સાથે એક બેઠકનું આયોજન કર્યું હતું. શિયાળુ...
National 
રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?
Copyright (c) Khabarchhe All Rights Reserved.