રીબડાના માજી MLA અને ક્ષત્રિય સમાજના અગ્રણી મહિપતસિંહ જાડેજાનું નિધન

સૌરાષ્ટ્રના રાજકારણનું મોટું નામ ધરાવતા અને ક્ષત્રિય સમાજના અગ્રણી એવા મહિપત સિંહ જાડેજાનું આજે સવારે નિધન થતા ક્ષત્રિય સમાજમાં શોકની લાગણી જોવા મળી હતી. ગોંડલના રીબડાના વતની એવા મહિપત સિંહ જાડેજાનું સૌરાષ્ટ્રના રાજકારણનું મોટું અને બહુચર્ચિત નામ હતું. સામાન્ય ખેડૂત પરિવારમાં જન્મેલા મહિપત સિંહ જાડેજા સૌપ્રથમ વાર અપક્ષ ધારાસભ્ય તરીકે ગોંડલથી ચૂંટાયા હતા. પોતાની રાજકીય કારકિર્દી દરમિયાન તેમણે સૌરાષ્ટ્રના ખેડૂતોના અનેક પ્રશ્નો ઉઠાવ્યા હતા. સાથે જ તેમણે ક્ષત્રિય સેનાની પણ સ્થાપના કરી હતી. મહિપતસિંહ જાડેજાSએ પોતાના નિવાસ સ્થાને અંતિમ શ્વાસ લીધા હતા. તેમના નિધનના સમાચાર સાંભળતા જ રાજ્યના ક્ષત્રિય સમાજની સાથોસાથ અન્ય સમાજના લોકોમાં પણ શોક અને દુઃખની લાગણી જોવા મળી હતી. રીબડા ખાતે તેમના નિવાસ સ્થાનેથી તેમની અંતિમ યાત્રા નીકળી હતી, જેમા સૌરાષ્ટ્ર અને ગુજરાતના ક્ષત્રિય સમાજના અનેક અગ્રણીઓ જોડાયા હતા.

તમને એ જાણીને નવાઈ લાગશે કે, ગોંડલના પૂર્વ ધારાસભ્ય એવા મહિપત સિંહ જાડેજાએ પોતાના જીવતાં જ જગતિયું કરાવ્યું હતું. સામાન્યરીતે, કોઈ વ્યક્તિના મૃત્યુ બાદ દાન-પૂર્ણ અને વિધી કાર્ય કરવામાં આવે છે પરંતુ, રીબડાના મહિપત સિંહ જાડેજાએ પોતાના જીવતા જ જગતિયું કરાવ્યું હતું. ક્ષત્રિય સમાજના અગ્રણી તેમજ ગોંડલના પૂર્વ ધારાસભ્ય તેમજ અનિરુદ્ધ સિંહ જાડેજાના પિતા મહિપત સિંહ જાડેજાએ 24 મે, 2019ના રોજ પોતાના 83માં જન્મદિવસના અવસર પર મરસિયા ગવડાવ્યા હતા. તે માટે ભવ્ય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું અને જાણીતા 12 જેટલા કવિઓએ મરસિયા ગાયા હતા. એટલું જ નહીં, વિવિધ સેવાકાર્યોમાં અગ્રેસર રહેતા મહિપત સિંહ જાડેજાએ 111 દીકરીઓને કન્યાદાન પણ આપ્યું હતું.

મહિપત સિંહ જાડેજા વિશે અનેક રસપ્રદ વાતો પ્રખ્યાત છે. ગરાસદારી ચળવળ દરમિયાન 1952માં તેમની ધરપકડ કરવામાં આવી હતી. આ ઉપરાંત, તેમને એકવાર હદપાર પણ કરવામાં આવ્યા હતા. એટલું જ નહીં, મહિપત સિંહે 1986ની સાલમાં સૌરાષ્ટ્રમાં આતંક મચાવનારી અને પોલીસની પણ ઊંઘ હરામ કરનારી ચડ્ડીબનિયાનધારી ગેંગના 16 લોકોમાંથી બેને પકડી પોલીસને હવાલે કર્યા હતા.

About The Author

Related Posts

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.