ગુજરાતના આ મંદિરમાં મુસ્લિમ કપલના નિકાહ થયા, કોમી એકતાનું ઉદાહરણ જાણો

ગુજરાતના જુનાગઢમાં એક મસ્જિદને નોટીસના મુદ્દે જ્યાં  ભારે હંગામો મચી ગયો હતો અને હિંસા ફાટી નિકળી હતી એ જ જુનાગઢમાં  કોમી એકતાનું એક ઉદાહરણ પણ સામે આવ્યું છે. એક મુસ્લિમ કપલના નિકાહ હિંદુ મંદિરમાં કરવામાં આવ્યા, કુરાન પણ વાંચવમાં આવી અને ઇસ્લામિક રીતિરિવાજ પ્રમાણે નિકાહ થયા અને મહત્ત્વની વાત એ રહી કે કોઇ બબાલ પણ ન થઇ.જુનાગઢના આ મંદિરમાં અનેક લગ્નો થઇ ચૂક્યા છે, પરંતુ મુસ્લિમ કપલના નિકાહનો પ્રસંગ પહેલીવાર બન્યો છે. નિકાહ મંદિરમાં શું કામ કરવામાં આવ્યા તેનું કારણ પણ લગ્ન કરાવાનાર સંસ્થાએ કહ્યું છે.

ગુજરાતના જુનાગઢમાં દરગાહ વિવાદમાં થયેલી હિંસા બાદ હવે કોમી એકતાને મજબૂત કરવાનો કિસ્સો સામે આવ્યો છે. એક મુસ્લિમ યુગલે મંદિરમાં નિકાહ કર્યા. આ પ્રસંગે કાઝી પણ હાજર હતા. તેમણે આખા નિકાહ સંપન્ન કરાવ્યા હતા.મુસ્લિમ દંપતીએ મંદિરની અંદર ઇસ્લામિક રીતિ-રિવાજ મુજબ નિકાહ કર્યા હતા. જૂનાગઢમાં આ નિકાહ એવા સમયે થયા છે જ્યારે શહેરના મજેવડી દરવાજા પાસે આવેલી ગેબન શાહ પીરની દરગાહનો મામલો ગરમાયેલો છે. થોડા દિવસો પહેલા અહીં હિંસા પણ થઇ હતી.

મુસ્લિમ યુગલના જુનાગઢમાં આવેલા અખંડ રામનામ સંકીતર્ન મંદીરમાં નિકાહ થયા છે. મંદિરમાં નિકાહ સમયે મુસ્લિમ અને હિંદુ સમાજના અગ્રણી લોકો હાજર રહ્યા હતા. આ મંદિરમાં 24 કલાક રામધૂન વાગે છે. અત્યાર સુધીમાં આ મંદિરમાં અનેક લગ્નો થઇ ચૂક્યા છે, પરંતુ પહેલીવાર મુસ્લિમ કપલના નિકાહ થયા. આ મંદિરમાં ગોંડલમાં રહેતા અબ્દુલ કાદિર કુરેશીએ હીનાની સાથે મંદિરમં ઇસ્લામિક રીતિ રિવાજ મુજબ નિકાહ કબુલ કર્યા અને નવી જિંદગીની શરૂઆત કરી.જુનાગઢના સત્યમ સેવા યુવક મંડળ દ્રારા બંને ધર્મોના કુલ 1800 લગ્નો કરાવાયા છે.

સત્યમ સેવા યુવક મંડળના પ્રમુખ મનસુખભાઇ વાજાએ કહ્યું કે, સાંપ્રદાયિક એકતા અને હિંદુ-મુસ્લિમ સમાજ વચ્ચે ભાઇચારો વધે એવા આશયથી મુસ્લિમ કપલના નિકાહ અખંડ રામનામ સંકીર્તન મંદિરમાં કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે અનેક હિંદુ અને મુસ્લિમ નેતાઓએ ભાગ લીધો હતો.

મંદિરમાં નિકાહ કરાવનાર મૌલાના મોહમંદ જાવેદે કહ્યુ કે દેશમાં શાંતિ અને સદભાવ બની રહે અને લોકોને એવી શીખ મળે કે હિંદુ અને મુસ્લિમ એક છે. આનું ઉદાહરણ પુરુ પાડવા માટં મંદિરમાં નિકાહ રાખવામાં આવ્યા.નવયુગલને લોકોએ ભેટસોગાદ પણ આપી હતી

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.