મંદિરે દર્શન કરવા ગયેલા દલિતને માર્યો, કહ્યુ- મહાદેવના મંદિરને ફરી રંગાવવું પડશે

દેશની આઝાદીના 75 વર્ષ થઇ ગયા અને જાતિગત ભેદભાવ એખ ગુનો હોવા છતા હજું પણ જાતિના ભેદભાવ એટલા બધા ચાલી રહ્યા છે કે એક દલિત લોકોને તેના ગામના મંદિરમાં દર્શન કરવાની સજા ભોગવવી પડે છે, તેને જોડાનો હાર પહેરવવા કે બૂટ ચાટવા જેવી ધમકી મળે છે. દલિત વરરાજાને ઘોટા પર જાન કાઢવા દેવાતી નથી. હવે અન્ય એક ઘટના સામે આવી છે જેમાં એક દલિત યુવક સાથે આ અપમાનિત અને શરમજનક કૃત્ય કચ્છ જિલ્લાના અંજાર નજીક આવેલ એક ગામમાં બન્યું છે. આ આખા મામલે અંજાર પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

અંજાર પોલીસ સ્ટેશનથી 8 કિલોમીટર દૂર આવેલા ખારા પસવારિયા ગામે પશવાડી ખારમાં મજૂરી કરી ગુજરાન ચલાવતા 32 વર્ષિય દલિત યુવક ગામના મહાદેવના મંદિરે દર્શન કરવા ગયો હતો. એ સમયે મંદિર નજીક ગામના લોકો ગાયોનો ચારો ક્યાંથી અને કેટલામાં ખરીદવો તે બાબતે ચર્ચા કરતા હતા. યુવક દર્શન કરીને ચર્ચા કરતા લોકો પાસે ગયો ત્યારે રામજી કાનાભાઈ ડાંગર નામના વ્યક્તિએ તેની પાસે આવી બધા વચ્ચે કહ્યું હતું કે ‘તું (જાતિવાચક અપશબ્દ) છે, જેથી આ મંદિરે દર્શન ન થાય અને હવે આ મંદિર રંગાવવું પડશે.’

ત્યારબાદ રાઘા સુજાભાઈ રબારીએ આવીને દલિત યુવકને કહ્યું હતું કે ‘આ (જાતિવાચક અપશબ્દ)ની હિંમત બહુ વધી ગઈ છે, આને બહાર કાઢો' તે પછી રામજી ડાંગર અને રાઘા રબારીએ યુવકના બે હાથ પકડીને મંદિરમાંથી બહાર કાઢ્યો હતો. તે સમયે શામજી ઊર્ફે પપુ વેલાભાઈ આહિર હાથમાં જોડાનો હાર લઈને આવેલો અને તેણે રામજી-રાઘાને ફરિયાદીને જોડાનો હાર પહેરાવવા કહ્યું હતું. આ વખતે પ્રભુ સોમા રબારી નામના વ્યક્તિએ દલિત યુવકને પાછળના ભાગે લાત મારી હતી.

રાઘા રબારીએ કહ્યું કે ‘રામજીના બૂટ ચાટ તો તને છોડી દઇશું, નહીં તો તને જીવથી મારી નાખશું. ત્યારબાદ રામજી, શામજી અને રાઘો દલિત યુવકને માર મારતા-મારતા મંદિરના ગેટની બહાર લઈ ગયા હતા. ઘટના બાદ યુવકે જીવના જોખમે અંજાર પોલીસ સ્ટેશને જઈ ફરિયાદ કરી હતી. ત્યારબાદ પીડિત યુવક અંજાર પોલીસ સ્ટેશને ગયો ત્યારે રામજી ડાંગર અને રાઘા રબારીએ તેને જીવથી મારી નાખવાની ધમકી આપી હતી. અંજાર પોલીસે રામજી કાનાભાઈ ડાંગર, રાઘા સુજાભાઈ રબારી, શામજી ઊર્ફે પપુ વેલાભાઈ આહીર અને પ્રભુ સોમાભાઈ રબારી વિરુધ્ધ IPCની કલમ 323, 506 (2), 114 તથા એટ્રોસિટી એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી આરોપીઓની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઘટનાની તપાસ નાયબ પોલીસ અધિક્ષક મુકેશ પી. ચૌધરીને સોંપાઈ છે.

પીડિતે એક અખબાર સાથેની ટેલિફોનિક વાતમાં જણાવ્યું હતું કે, આ ઘટના 3 મેના રોજ બની હતી. તે દિવસે શંકર ભગવાનના મંદિર પાસે ગાયોના ચારા માટે ગામ ભેગું થયું હતું. ત્યાં  મહાદેવના મંદિરમાં મેં દર્શન કર્યા અને દર્શન કરી પાછો ફરતો હતો ત્યારે રામજીભાઇ અને રાઘા ભાઇએ મને જાતિવિષયક અપશબ્દો કહ્યા કે, તું મંદિરમાં ન જઇ શકે. તું બહાર નિકળી જા, હવે અમારે મંદિર રંગાવવું પડશે. મને હાથ પકડીને બહાર કાઢતા હતા ત્યારે શામજીભાઇ આવ્યા અને કહેવા લાગ્યા કે આને જોડાનો હાર પહેરાવો. પીડિતે કહ્યું કે, મેં આ બાબતે SP અને Dy.SPને અરજી આપી હતી. જેથી ગત રાત્રે અંજાર પોલીસે ફરિયાદ દાખલ કરી છે. મારી માગ છે કે મને ન્યાય મળવો જોઇએ.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.