ગણેશોત્સવનું સ્ટેજ તોડી નાંખ્યું, કપચી નાંખી દીધી, સ્વામીનારાયણ સાધુ પર આરોપ

સ્વામિનારાયણ સંપ્રદાય અને સનાતન ધર્મ વચ્ચે છેલ્લાં કેટલાંક દિવસોથી ચાલી રહેલા વિવાદમાં રાજકોટમાં બનેલી એક ઘટનાએ બળતામાં ઘી હોમ્યું છે. રાજકોટમાં આયોજિત એક ગણેશોત્સવનો મંડપ સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુ તોડી પાડતા ભારે વિવાદ ઉભો થયો છે. ગણપતિ ઉત્સવને હવે 2 જ દિવસની વાર છે ત્યારે ગણેશ મંડપ તોડી પડાતા લોકોમાં ભારે આક્રોશ ફેલાયો છે. વાત એટલી વણસી કે પોલીસે ઘટના સ્થળે પહોંચવુ પડ્યું હતું.

જાણવા મળેલી વિગત મુજબ રાજકોટનું બાલાજી મંદિર ફરી ચર્ચામાં આવ્યું છે. રાજકોટના ભૂપેન્દ્ર રોડ પર કિરણસિંહ હાઇસ્કુલમાં ગણેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.

 એવો આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે સ્વામીનારાયણ સંપ્રદાયના વિવેક સ્વામીના માણસોએ આ સ્ટેજ તોડી નાંખ્યું છે અને એ જગ્યા પર રેતી-કપચીના ઢગ કરી દેવામાં આવ્યા છે. આ જ જગ્યા પર 12 વર્ષથી ગજાનંદ ધામ મંડળ દ્રારા ગણેશોત્સવ ઉજવવવામાં આવે છે.

ગણપતિ ઉત્સવને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. આ તરફ રાજકોટના કરણસિંહજી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં ગજાનંદ ધામ મંડળ દ્વારા છેલ્લા 12 વર્ષથી ગણેશ ઉત્સવના પંડાલ ગોઠવી આયોજન કરવામાં આવે છે. પરંપરા અનુસાર આ વર્ષે પણ આયોજન હાથ ધરાયુ હતું. મંડળનું કહેવું છે કે ભાડું પણ ભરી દેવમાં આવ્યું હતું, પરંતુ ગણેશોત્સવ નહીં કરવા માટે તેમને દબાણ કરવામાં આવ્યું હતું અને ગુરુવારે વિવિક સાગર સ્વામીના 4 માણસોએ સ્ટેડ તોડી પાડ્યું છે.

ગજાનંદ મંડળે પોલીસમાં ફરિયાદ કરી છે અને શુક્રવારે કલેકટરને આવેદનપત્ર આપવમાં આવ્યું હતું. ગણેશ મંડળને તોડી પાડવાની વાત વાયુવેગે પ્રસરી જતા લોકોમાં ભારે આકોશ ફેલાઇ રહગ્યો છે. લોકોનું કહેવું છે આ અમારી ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવાની વાત છે. લોકોના ટોળે ટોળે ભેગા થતા મોટા પાયે પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. જો કે જાણવા મળેલી વિગત મુજબ ગજાનંદ ધામ મંડળના સભ્યોએ ભેગા થઇને JCBથી રેતી-કપચી દુર કર્યા છે. બાલાજી વડતાલ મંદિર વડતાલ સ્વામિનારાયણ હસ્તક હોવાનું જાણવા મળ્યું છે.

ગુજરાતમાં સાળંગપુર ભીંતચિત્ર વિવાદ પછી સ્વામીનારાયણ સંપ્રદાય અને સનાતન ધર્મ સામ સામે છે અને એક પછી એક વિવાદો સામે આવી રહ્યા છે. સ્વામીનારાયણ સાધુઓના વિવાદીત લવારા પણ અનેક વખત સામે આવ્યા છે. ધાર્મિક વિવાદને કારણે પોલીસ પણ ટેન્શનમાં છે.

About The Author

Related Posts

Top News

વડાપ્રધાન મોદીના ઉત્તરાધિકારી કોણ? ફડણવીસે આપ્યો સ્પષ્ટ જવાબ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ઉતરાધિકારી કોણ? એ બાબતે ઘણા સમયથી ચર્ચા શરૂ થઇ છે. તાજેતરમાં રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘની વડા...
National 
વડાપ્રધાન મોદીના ઉત્તરાધિકારી કોણ? ફડણવીસે આપ્યો સ્પષ્ટ જવાબ

ચાલુ વિમાનની અંદર અમેરિકન મહિલા શ્વાસ ઘૂંટાવાથી બેભાન થઇ ત્યારે કોંગ્રેસ નેતાએ બચાવ્યો તેનો જીવોમ

શનિવારે બપોરે ગોવાથી નવી દિલ્હી જતી ઇન્ડિગો ફ્લાઇટમાં એક અમેરિકન મુસાફર અચાનક બીમાર પડી ગઈ ત્યારે અંધાધૂંધી ફેલાઈ ગઈ. કેલિફોર્નિયાની...
National 
ચાલુ વિમાનની અંદર અમેરિકન મહિલા શ્વાસ ઘૂંટાવાથી બેભાન થઇ ત્યારે કોંગ્રેસ નેતાએ બચાવ્યો તેનો જીવોમ

ઇથેનોલ ફેક્ટરી સામે વિરોધ પ્રદર્શન ઉગ્ર થયું, પંજાબ, UP અને હરિયાણાથી ખેડૂતો પહોંચ્યા, કારણ છે જમીનનું નુકસાન

રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લાના ટિબ્બી શહેરમાં આ અઠવાડિયે થયેલી હિંસક અથડામણે સમગ્ર વિસ્તારને ચર્ચામાં લાવી દીધો. સેંકડો લોકો સામે FIR દાખલ...
National 
ઇથેનોલ ફેક્ટરી સામે વિરોધ પ્રદર્શન ઉગ્ર થયું, પંજાબ, UP અને હરિયાણાથી ખેડૂતો પહોંચ્યા, કારણ છે જમીનનું નુકસાન

કોણ છે નીતિન નબીન જેમને ભાજપે બનાવ્યા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ

ભારતીય જનતા પાર્ટીએ ફરીએકવાર બધાને ચોંકાવતા નીતિન નબીનને ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ તરીકે પસંદ કર્યા છે. નીતિન નબીન વિશે ભાગ્યે...
National 
કોણ છે નીતિન નબીન જેમને ભાજપે બનાવ્યા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ
Copyright (c) Khabarchhe All Rights Reserved.