ગણેશોત્સવનું સ્ટેજ તોડી નાંખ્યું, કપચી નાંખી દીધી, સ્વામીનારાયણ સાધુ પર આરોપ

સ્વામિનારાયણ સંપ્રદાય અને સનાતન ધર્મ વચ્ચે છેલ્લાં કેટલાંક દિવસોથી ચાલી રહેલા વિવાદમાં રાજકોટમાં બનેલી એક ઘટનાએ બળતામાં ઘી હોમ્યું છે. રાજકોટમાં આયોજિત એક ગણેશોત્સવનો મંડપ સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુ તોડી પાડતા ભારે વિવાદ ઉભો થયો છે. ગણપતિ ઉત્સવને હવે 2 જ દિવસની વાર છે ત્યારે ગણેશ મંડપ તોડી પડાતા લોકોમાં ભારે આક્રોશ ફેલાયો છે. વાત એટલી વણસી કે પોલીસે ઘટના સ્થળે પહોંચવુ પડ્યું હતું.

જાણવા મળેલી વિગત મુજબ રાજકોટનું બાલાજી મંદિર ફરી ચર્ચામાં આવ્યું છે. રાજકોટના ભૂપેન્દ્ર રોડ પર કિરણસિંહ હાઇસ્કુલમાં ગણેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.

 એવો આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે સ્વામીનારાયણ સંપ્રદાયના વિવેક સ્વામીના માણસોએ આ સ્ટેજ તોડી નાંખ્યું છે અને એ જગ્યા પર રેતી-કપચીના ઢગ કરી દેવામાં આવ્યા છે. આ જ જગ્યા પર 12 વર્ષથી ગજાનંદ ધામ મંડળ દ્રારા ગણેશોત્સવ ઉજવવવામાં આવે છે.

ગણપતિ ઉત્સવને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. આ તરફ રાજકોટના કરણસિંહજી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં ગજાનંદ ધામ મંડળ દ્વારા છેલ્લા 12 વર્ષથી ગણેશ ઉત્સવના પંડાલ ગોઠવી આયોજન કરવામાં આવે છે. પરંપરા અનુસાર આ વર્ષે પણ આયોજન હાથ ધરાયુ હતું. મંડળનું કહેવું છે કે ભાડું પણ ભરી દેવમાં આવ્યું હતું, પરંતુ ગણેશોત્સવ નહીં કરવા માટે તેમને દબાણ કરવામાં આવ્યું હતું અને ગુરુવારે વિવિક સાગર સ્વામીના 4 માણસોએ સ્ટેડ તોડી પાડ્યું છે.

ગજાનંદ મંડળે પોલીસમાં ફરિયાદ કરી છે અને શુક્રવારે કલેકટરને આવેદનપત્ર આપવમાં આવ્યું હતું. ગણેશ મંડળને તોડી પાડવાની વાત વાયુવેગે પ્રસરી જતા લોકોમાં ભારે આકોશ ફેલાઇ રહગ્યો છે. લોકોનું કહેવું છે આ અમારી ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવાની વાત છે. લોકોના ટોળે ટોળે ભેગા થતા મોટા પાયે પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. જો કે જાણવા મળેલી વિગત મુજબ ગજાનંદ ધામ મંડળના સભ્યોએ ભેગા થઇને JCBથી રેતી-કપચી દુર કર્યા છે. બાલાજી વડતાલ મંદિર વડતાલ સ્વામિનારાયણ હસ્તક હોવાનું જાણવા મળ્યું છે.

ગુજરાતમાં સાળંગપુર ભીંતચિત્ર વિવાદ પછી સ્વામીનારાયણ સંપ્રદાય અને સનાતન ધર્મ સામ સામે છે અને એક પછી એક વિવાદો સામે આવી રહ્યા છે. સ્વામીનારાયણ સાધુઓના વિવાદીત લવારા પણ અનેક વખત સામે આવ્યા છે. ધાર્મિક વિવાદને કારણે પોલીસ પણ ટેન્શનમાં છે.

About The Author

Related Posts

Top News

મનરેગા ભૂલી જાવ, ગ્રામીણ રોજગાર પર VB–G Ram G નામનું નવું બિલ લાવી મોદી સરકાર

કેન્દ્ર સરકારે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરન્ટી અધિનિયમ (મનરેગા)ને ખતમ કરવા અને ગ્રામીણ રોજગાર માટે એક નવો કાયદો લાવવા...
National 
મનરેગા ભૂલી જાવ, ગ્રામીણ રોજગાર પર VB–G Ram G નામનું નવું બિલ લાવી મોદી સરકાર

આંતરજ્ઞાતિય સગાઈ બાદ કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર થતા કિંજલ ભડકી

એક બાજુ સામાજિક પરંપરા અને જ્ઞાતિગત રિવાજો-સંસ્કૃતિને સાચવવા માટે વિવિધ સમાજો સમાયંતરે સમાજના આગેવાનોની બેઠકો બોલાવીને સમાજમાં શિસ્તતા, સંસ્કૃતિ...
Gujarat 
આંતરજ્ઞાતિય સગાઈ બાદ કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર થતા કિંજલ ભડકી

PM મોદી અને નીતિન નબીનનો નાતો 15 વર્ષ જૂનો છે! જાણો 10 મુ્દ્દામાં આખી કહાણી    

બિહાર સરકારના મંત્રી નીતિન નબીનને માત્ર 45 વર્ષની ઉંમરમાં ભાજપના નેશનલ વર્કિંગ પ્રેસિડન્ટ તરીકે પસંદ કરાયા છે. તેઓ કદાચ ભાજપના...
National 
PM મોદી અને નીતિન નબીનનો નાતો 15 વર્ષ જૂનો છે! જાણો 10 મુ્દ્દામાં આખી કહાણી    

માત્ર 6 મહિના કામ, પગાર 1.3 કરોડ રૂપિયા, ભોજન-રહેવાનું ફ્રી... છતા પૂછે છે કે, 'મારે જવું જોઈએ કે...?'

સારા શિક્ષણ અને મજબૂત કુશળતા પછી, દરેક યુવાન ઉચ્ચ પગારવાળી નોકરી મેળવવાનું સપનું જોતો હોય છે. પરંતુ શું દરેક...
World 
માત્ર 6 મહિના કામ, પગાર 1.3 કરોડ રૂપિયા, ભોજન-રહેવાનું ફ્રી... છતા પૂછે છે કે, 'મારે જવું જોઈએ કે...?'
Copyright (c) Khabarchhe All Rights Reserved.