Apple કંપનીના બે સ્ટોર્સ ઇન્ડિયાના 2 સિટીમાં શરૂ થશે. જાણો તેમાં શું હોય છે ખાસ?

Appleનું પહેલું સ્ટોર ભારતમાં આગામી મહિને ખૂલી રહ્યું છે. અત્યાર સુધી કંપની ભારતમાં ઓથોરાઇઝ્ડ રિટેલર્સ અને ઓનલાઇન સ્ટોર્સ દ્વારા પોતાના પ્રોડક્ટ્સ વેચતી હતી. રિપોર્ટ્સ મુજબ, ભારતનું પહેલું Apple સ્ટોર મુંબઇમાં ખુલશે અને ત્યારબાદ દિલ્હીમાં કંપની પોતાનું ફ્લેગશીપ સ્ટોર ખોલશે. ઘણા સમયથી ભારતમાં Apple સ્ટોર ઓપન થવાના રિપોર્ટ્સ આવતા રહ્યા છે, પરંતુ હવે Appleના ફેન્સને કંપની જલદી જ ભેટ આપવાની છે.

રિપોર્ટ્સ મુજબ, મુંબઈ અને દિલ્હી બંને જ જગ્યાએ કંપનીએ Apple સ્ટોર માટે ફિટઆઉટ તૈયાર કરી લીધું છે. દાવો એવો પણ કરવામાં આવી રહ્યો છે કે મુંબઈથી પહેલા દિલ્હીમાં Apple સ્ટોરનું ફિટઆઉટ ફિનિશ કરી દેવામાં આવ્યું છે, પરંતુ પહેલું સ્ટોર મુંબઇમાં જ ખુલશે. મુંબઈ Apple સ્ટોર ભારતમાં Appleનું ફ્લેગશિપ સ્ટોર હશે. જો કે, Appleએ અત્યાર સુધી ભારતમાં નવા સ્ટોર ઓપન કરવાની સત્તાવાર જાણકારી આપી નથી. એટલે એપ્રિલમાં કયા દિવસે આ સ્ટોર ઓપન થશે, તેની કોઈ જાણકારી નથી.

Apple Insiderના રિપોર્ટ્સ મુજબ, મુંબઈનું Apple સ્ટોર 22 હજાર સ્ક્વેર ફૂટમાં ફેલાયેલું હશે. કહેવામાં આવી રહ્યું છે કે, મુંબઈનું Apple સ્ટોર Jio World Drive મોલમાં હશે. તો દિલ્હીમાં Apple સ્ટોર સિલેક્ટ સિટી મોલ સાકેતમાં ખુલશે, પરંતુ મુંબાઈવાળા Apple સ્ટોરથી ઓછો એરિયો હશે. દિલ્હી Apple સ્ટોર 10 હજાર સ્ક્વેર ફૂટમાં હશે. એ જોવાનું રસપ્રદ રહેશે કે, પહેલું Apple સ્ટોર ખોલવા માટે Tim Cook ભારત આવે છે કે નહીં. સંભવ છે કે, લોન્ચ દરમિયાન Tim Cook ઓનલાઇન વીડિયો કોલના માધ્યમથી જોડાઈ શકે છે.

Apple સ્ટોર્સમાં સામાન્ય રીતે રિટેલ સ્ટોર્સની તુલનામાં ઓછા પ્રોડક્ટ્સ હોય છે, પરંતુ મોટા ભાગના હાઇ પ્રોડક્ટ્સ અહીં મળી જશે, જે બીજી જગ્યાએ નહીં મળે. Apple સ્ટોરમાં યુઝરના એક્સપિરિયન્સ પર ખાસ ધ્યાન રાખવામાં આવે છે. દરેક ગ્રાહકની હેસલ ફ્રી એક્સપિરિયન્સ મળે તેના માટે કંપની ખાસ કરીને એવા લોકોને રાખે છે જે ગ્રાહકોને પ્રોડક્ટ બાબતે સારી રીતે બતાવી શકે. જોવામાં Apple સ્ટોર ખૂબ ગ્રાન્ડ લાગે છે. સામાન્ય રીતે બીજી સ્માર્ટફોન કંપનીઓના સ્ટોર્સ એવા હોતા નથી.

About The Author

Related Posts

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.