ચાર્જમાં મૂકેલા iPhoneને તકિયા નીચે રાખી સૂવુ ભારે પડી શકે છે, Appleએ ચેતવ્યા

Appleએ પોતાના યૂઝર્સ માટે એક ચેતવણી બહાર પાડી છે. કંપનીનું કહેવું છે કે જ્યાં ફોન ચાર્જ થઇ રહ્યો છે એજ જગ્યા પર સૂઈ જવું ખૂબ જ ખતરનાક છે. કંપનીએ લોકોને ફોન ચાર્જ કરવાની યોગ્ય રીત જણાવી છે અને સાથે જ ફોન ચાર્જ સમયે તેની સાથે જ સૂવાના નુકસાન પણ ગણાવ્યા છે. જુઓ કંપનીનું શું કહેવું છે....

Appleએ કહ્યું છે કે, રાતે સૂતા સમયે ફોનને ચાર્જ પર લગાવી બરાબર તેની બાજુમાં જ સૂઈ જવું જોઇએ નહીં. તેને લીધે આગ, ઈલેક્ટ્રિક શોક, ડેમેજ વગેરેનો ખતરો વધી જાય છે. આ પ્રકારની ઘટનાઓથી બચવા માટે લોકોએ ફોનને એ જગ્યા પર ચાર્જમાં લગાવવો જોઇએ જ્યાં વેન્ટિલેશન સારું હોય.

આ કામ જરા પણ ન કરો

જો તમારી આદત છે કે તમે તકિયા કે કંફટરની નીચે ફોન ચાર્જ કરો છો તો તમારે આ આદત બદલવાની રહેશે. આના કારણે ડિવાઈસના ગરમ થવાનો ખતરો વધી જાય છે. Appleએ ચોખ્ખી રીતે કહ્યું કે ડિવાઈસ, પાવર એડેપ્ટર કે વાયરલેસ ચાર્જરની બાજુમાં સૂવું ન જોઇએ. Appleએ કહ્યું કે iPhone, પાવર એડેપ્ટર અને વાયરલેસ ચાર્જરને હંમેશા ત્યાં જ રાખવા જોઇએ જ્યાં વેન્ટિલેશન સારું હોય. સાથે જ કંપનીનું કહેવું છે કે Appleના પ્રોડક્ટ્સ માટે સસ્તા અલ્ટરનેટિવનો ઉપયોગ ન કરવામાં આવે. કારણ કે તે ફોનને ડેમેજ કરી શકે છે. સાથે જ આઈફોનનો ઉપયોગ કરનારાઓને કંપનીના કેબલ્સનો જ ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે.

Appleનું કહેવું છે કે, આઈફોનને થર્ડ પાર્ટી કેબલ્સ અને પાવર એડપ્ટરથી ચાર્જ કરવું સંભવ છે પણ ત્યારે જ્યારે આ પ્રોડક્ટ્સ USB 2.0 કે તેના પછીના સ્ટાન્ડર્ડને પૂરા કરતા હોય. Appleની ચેતવણી ચાર્જિસ સમયે સૂવા સુધી જ સીમિત નથી. આ ઉપરાંત કંપનીએ એ પણ કહ્યું કે, ફોનને કોઇપણ રીતના લિક્વિડ કે પાણીની પાસે પણ ચાર્જિંગમાં મૂકવો જોઇએ નહીં. આનાથી ફોન ખરાબ થઇ શકે છે. ખરાબ કેબલ કે ચાર્જરનો ઉપયોગ કરવાથી કે ભેજને લીધે ચાર્જરમાં આગ લાગી શકે છે. એટલું જ નહીં કરંટ પણ લાગી શકે છે. આનાથી નુકસાન થવાની સંભાવના છે. અંતમાં Appleએ સલાહ આપી છે કે ગાઈડલાઇન્સનું પાલન કરો અને સિક્યોરિટીને પ્રાથમિકતા આપો.

About The Author

Top News

મનરેગા ભૂલી જાવ, ગ્રામીણ રોજગાર પર VB–G Ram G નામનું નવું બિલ લાવી મોદી સરકાર

કેન્દ્ર સરકારે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરન્ટી અધિનિયમ (મનરેગા)ને ખતમ કરવા અને ગ્રામીણ રોજગાર માટે એક નવો કાયદો લાવવા...
National 
મનરેગા ભૂલી જાવ, ગ્રામીણ રોજગાર પર VB–G Ram G નામનું નવું બિલ લાવી મોદી સરકાર

આંતરજ્ઞાતિય સગાઈ બાદ કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર થતા કિંજલ ભડકી

એક બાજુ સામાજિક પરંપરા અને જ્ઞાતિગત રિવાજો-સંસ્કૃતિને સાચવવા માટે વિવિધ સમાજો સમાયંતરે સમાજના આગેવાનોની બેઠકો બોલાવીને સમાજમાં શિસ્તતા, સંસ્કૃતિ...
Gujarat 
આંતરજ્ઞાતિય સગાઈ બાદ કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર થતા કિંજલ ભડકી

PM મોદી અને નીતિન નબીનનો નાતો 15 વર્ષ જૂનો છે! જાણો 10 મુ્દ્દામાં આખી કહાણી    

બિહાર સરકારના મંત્રી નીતિન નબીનને માત્ર 45 વર્ષની ઉંમરમાં ભાજપના નેશનલ વર્કિંગ પ્રેસિડન્ટ તરીકે પસંદ કરાયા છે. તેઓ કદાચ ભાજપના...
National 
PM મોદી અને નીતિન નબીનનો નાતો 15 વર્ષ જૂનો છે! જાણો 10 મુ્દ્દામાં આખી કહાણી    

માત્ર 6 મહિના કામ, પગાર 1.3 કરોડ રૂપિયા, ભોજન-રહેવાનું ફ્રી... છતા પૂછે છે કે, 'મારે જવું જોઈએ કે...?'

સારા શિક્ષણ અને મજબૂત કુશળતા પછી, દરેક યુવાન ઉચ્ચ પગારવાળી નોકરી મેળવવાનું સપનું જોતો હોય છે. પરંતુ શું દરેક...
World 
માત્ર 6 મહિના કામ, પગાર 1.3 કરોડ રૂપિયા, ભોજન-રહેવાનું ફ્રી... છતા પૂછે છે કે, 'મારે જવું જોઈએ કે...?'
Copyright (c) Khabarchhe All Rights Reserved.