સૂર્ય તરફ આવી રહ્યો છે લીલી પૂંછડીવાળો ધૂમકેતુ, ચૂક્યા તો 400 વર્ષ પછી દેખાશે

રહસ્યોથી ભરેલા અંતરીક્ષમાં 435 વર્ષ બાદ દુર્લભ સંયોગ બની રહ્યો છે. એક મહિના અગાઉ શોધવામાં આવેલો ધૂમકેતુ નિશિમુરા સૂર્યની સૌથી નજીક પહોંચવાનો છે, જેને જોવાનો ખૂબ મોટો લ્હાવો ધરતીવાસીઓને મળશે. આ લીલી પૂંછ સવારે સવારે સૂરજની આસપાસ ચમકે છે, ધૂમકેતુ નિશિમુરા કે C/2023 P1 12 એક દિવસ અગાઉ 12 સપ્ટેમ્બરના રોજ પૃથ્વીની સૌથી નજીક હતો. હવે તેજીથી સૂર્ય તરફ જઈ રહ્યો છે. 17 સપ્ટેમ્બર સુધી તે પૃથ્વીથી નજરે પડશે. ત્યારબાદ તે સૂર્યના પ્રકાશમાં ઓઝલ થઈ જશે.

પછી 4 સદી એટલે કે 400 વર્ષ બાદ જ લોકોને નજરે પડશે, જો તમે એ મિસ કર્યો તો જીવનની મહત્ત્વપૂર્ણ ખગોળીય ઘટના નહીં જોઈ શકો. આવો તો આ આર્ટિકલમાં જાણીએ શું છે નિશિમુરા? તેને જોવાનો સૌથી સારો સમય કયો છે? તેને કેવી રીતે ઓળખવામાં આવશે? અને અંતે તે લીલો કેમ છે?

ધૂમકેતુ સૌરમાંડળમાં ક્યારે દેખાશે.

ધૂમકેતુ નિશિમુરા 17 સપ્ટેમ્બર સુધી સવારે સૂર્યોદય અગાઉ નજરે પડશે. ત્યારે તે સૂર્યની સૌથી નજીકથી પસાર થશે. જોવાનો સૌથી સારો સમય સવારનો છે, પરંતુ અઠવાડિયાના અંતમાં જેમ જેમ તે સૂર્યની નજીક આવશે, તેને જોવો મુશ્કેલ થઈ જશે. 15 સપ્ટેમ્બરના રોજ ધૂમકેતુ સૂર્યની નજીક આવશે અને બુધના ઓર્બિટમાં પ્રવેશ કરી જશે. 17 સપ્ટેમ્બરના રોજ ધૂમકેતુ પૃથ્વીથી આ ઓર્બિટમાં પહોંચી જશે, જ્યાંથી તે સૂર્યના સૌથી નજીક હશે. એ સમયે તેની ગતિ 2.9 હશે અને તેને નરી આંખે સરળતાથી જોઈ શકાય છે.

ધૂમકેતુને કેવી રીતે ઓળખવામાં આવશે?

સૂર્યોદયથી લગભગ એક કલાક અગાઉ ઉત્તર-પૂર્વ તરફ જુઓ અને ધૂમકેતુ સિંહ રાશિમાં, આકાશમાં નીચે હોવો જોઈએ. દૂરબીનની મદદ પણ લઈ શકાય છે. તેના માધ્યમથી ધૂમકેતુની પૂંછનો આકાર પણ દેખાશે. જો તમે પોતાની નરી આંખોથી જોઈ રહ્યા છે, તો તે એક ધૂંધળા ટીપાં જેવો હોય શકે છે.

શું ધૂમકેતુ નિશિમુરા દુર્લભ છે?

ધૂમકેતુ નિશિમુરાનો શોધ જાપાનના ખગોલશાસ્ત્રી હિદેઓ નિશિમુરાએ 12 ઑગસ્ટના રોજ કરી હતી. NASAનું કહેવું છે કે ધૂમકેતુ નિશિમુરા ખૂબ દુર્લભ છે. સૂર્યની ચારેય તરફ તેની કક્ષા લગભગ 430 વર્ષો સુધી ચાલે છે. એવામાં તે 4 સદી બાદ જ ફરીથી નજરે પડશે. મતલબ તે હવે 25મી સદીમાં દેખાશે.

નિશિમુરા કેમ લીલો છે?

ધૂમકેતુ લીલો નજરે પડે છે કેમ કે તેના કોમા, નાભિકની આસપાસની ગેસમાં અપેક્ષાકૃત દુર્લભ પ્રકારની કાર્બન ગેસ હોય છે, જેને ડાયાટોમિક કાર્બન કહેવામાં આવે છે. જેમાં બા કાર્બન પરમાણુ એક સાથે બંધાયેલા હોય છે.

ધૂમકેતુ શું છે?

ધૂમકેતુ બરફ અને ખડકોના બૉલ છે જે બાહ્ય સૌર મંડળના એક ક્ષેત્ર ઉર્ટ વાદળથી સૂર્યની પરિક્રમા કરે છે. જ્યારે તેઓ સૂર્યની પાસે આવે છે તો તેની બરફ ગેસમાં બદલાઈ જાય છે અને પૂંછની જેમ તેનાથી વહેવા લાગે છે. આપણે તેને ક્યારેક ક્યારેક પૃથ્વીથી જોઈ શકીએ છીએ, પરંતુ આ અનુમાન લગાવવું મુશ્કેલ છે કે તે કેટલો સરળ હશે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત

સુરત. વર્લ્ડગ્રેડે ઓનટ્રેક એજ્યુકેશન અને પર્પલ પેચ લર્નિંગના સહયોગથી સુરતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટર શુક્રવારે, 12 ડિસેમ્બરના રોજ સફળતાપૂર્વક...
Gujarat 
સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત
Copyright (c) Khabarchhe All Rights Reserved.