એક માછલી ખાવી મહિનાભર દૂષિત પાણી પીવા જેટલું ખતરનાક, થયો ચોંકાવનારો ખુલાસો

માછલી ખાવાના શોખીનો તેના ફાયદા અંગે ઘણી વાતો કરે છે, જેમ કે તેમાં આવેલું પ્રોટીન અને ઓમેગા-3 ફેટી એસિડથી ભરપૂર હોવાની વાત. નોનવેજ ખાનારા લોકોના ડાયેટમાં માછલી ઘણો મોટો ભાગ હોય છે. જોકે માછલીઓ પણ હવે ઝેરીલી થઈ રહી છે. એનવાયરમેન્ટલ પ્રોટેક્શન એજન્સી અને અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને જોઈન્ટ સ્ટડીમાં જાણ્યું છે કે અમેરિકાના તળાવ અને નદીઓનું પાણી એટલું પ્રદૂષિત થઈ ગયું છે કે તેમાં રહેનારી માછલીઓ પણ ઝેરીલી થઈ રહી છે. સાયન્સ ડાયરેક્ટમાં છપાયેલી સ્ટડીમાં દાવો કરવામાં આવ્યો છે કે ફ્રેશ વોટર માછલીઓમાં 278 ગણું ફોરેવર કેમિકલ મળવા લાગ્યું છે, જે ગંભીર બીમારી ફેલાવી શકે છે.

શું છે ફોરેવર કેમિકલ

તેને પર-એન્ડ-પોલિફ્લૂરોલકિલ સબ્સટેન્સ(PFAS) કહેવાય છે. આ તે કેમિકલ છે, જે સામાન્ય રીતે નોનસ્ટીક અથવા પછી વોટર-રસિસ્ટન્ટ કપડાં, જેવા કે રેઈનકોટ, છત્રી અથવા મોબાઈલ કવરમાં હોય છે. શેમ્પુ, નેઈલ પોલિશ અને આઈ-મેકઅપમાં પણ તેની ઘણી ઓછી માત્રા હોય છે. ઘણી બધી સ્ટડીમાં તેના ખતરા અંગે સાફ વાત કરવામાં આવી છે.

શા માટે માનવામાં આવી રહ્યું છે ખતરનાક

તેની સીધી અસર ગ્રોથ અને હોર્મોન્સ પર થાય છે. તેના કારણે થાઈરોઈડ અને કોલોસ્ટ્રોલ જેવી મુશ્કેલીઓ થઈ શકે છે. એટલે સુધી કે ગર્ભવતીમાં તેના કારણે મિસકેરેજ અથવા સમય પહેલા બાળકનો જન્મ પણ થઈ શકે છે. આવા બાળકોના શરીર તથા મગજ યોગ્ય રીતે વિકસિત ન થવાની આશંકા રહે છે. વર્ષ 2017માં ઈન્ટરનેશનલ એનજ્સી ફોર રિસર્ચ ઓન કેન્સરે PFOAને સીધી રીતે હ્યુમન કાર્સિનોઝન એટલે કે તે વ્યક્તિમાં કેન્સર કરવાની આશંકા જતાવે છે. ખાસ કરીને કિડની અને ટેસ્ટીસનું કેન્સર.

હજારો ગણું કેમિકલ મળવા લાગ્યું

અમેરિકાના તળાવ-નદીમાં સતત 3 વર્ષો સુધી સ્ટડી કર્યા પછી જોવામાં આવ્યું કે પાણીમાં મળી આવનારા જીત-જંતુમાં આ કેમિકલ થોડી માત્રામાં નહીં પરંતુ 2400 ગણી વધારે માત્રામાં મળી આવ્યું છે. જો આવા સી-ફૂડને તમે મહિનામાં એક વખત પણ ખાશો તો તે એકદમ એવું જ થશે, જેમ કે તમે મહિના સુધી બેક્ટેરિયા અને જર્મ્સથી ભરેલું પાણી પી રહ્યા છો. વૈજ્ઞાનિકોએ અહીં સુધી કહ્યું છે કે વર્ષભરમાં 4 વખત પણ માછલી ખાવા પર શરીરમાં PFAS ખતરનાક સ્તર પર પહોંચી જાય છે. અમેરિકામાં એકાદ રાજ્યમાં નહીં પરંતુ 48 રાજ્યોમાં આ જ પરિણામ મળ્યું છે.

દરેક જગ્યાએ દેખાઈ રહી છે હાજરી

સૌથી ડરામણી વાત એ છે કે જે તળાવ અથવા નદી કારખાનાથી ઘણી દૂર છે, ત્યાં પણ નદીમાં ફોરેવર કેમિકલની માત્રા વધારે મળી છે. મતલબ આ કેમિકલ હવે દરેક જગ્યાએ છે. જણાવી દઈએ કે આ કેમિકલને ફોરેવર એટલા માટે કહેવામાં આવે છે કારણ કે તે ખતમ થતું નથી. આ કદાચ હજારો વર્ષો પછી ખતમ થઈ શકે છે. જેના અંગે હાલમાં વૈજ્ઞાનિકોને પણ ખબર નથી. કુલ મળીને તેને પ્લાસ્ટીક કરતા પણ વધારે ખતરનાક માનવામાં આવી રહ્યું છે. જેની પર મોટાભાગના દેશોમાં કોઈ કંટ્રોલ નથી.

વર્ષ 1940થી PFAS નો ઉપયોગ શરૂ થયો હતો. ફૂડ પેકેજિંગ અને નોન-સ્ટીકથી થઈને તેનો ઉપયોગ વધતો જ ગયો કારણ કે તે ગરમી, તેલ અને પાણીમાં ટકી જાય છે. તેનું આ ટકાઉપણું પર્યાવરણ માટે ખતરનાક સાબિત થઈ રહ્યું છે. તે માટી, પાણીથી થઈને માછલીઓ અને વાઈલ્ડ લાઈફને પણ ખતરામાં નાખી રહ્યું છે. સેન્ટર્સ ફોર ડિસીસ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શને પણ વર્ષ 2019ના એક સ્ટડીમાં કહ્યું હતું કે લગભગ 98 ટકા અમેરિકનના શરીરમાં આ રસાયણ હાજર છે. જેનું કારણ છે દૂષિત પાણી અને ખાવાનું.

તમારી આસપાસ કંઈ વસ્તુઓમાં છે આ કેમિકલ

સ્ટડી અમેરિકાની છે. આપણે ત્યાં ભલે તેની પર સ્ટડી નથી કરવામાં આવી પરંતુ કેમિકલવાળા પ્રોડક્ટ ઘણા મળી રહ્યા છે. પિઝા બોક્સ, ફૂડ રેપર, ટેક-આઉટ ડબ્બા, માઈક્રોવેવ પોપકોર્ન બેગ, બેકરી બેગ, નોનસ્ટીક પેન, કાર્પેટ, કાર સીટથી લઈને છત્રી, રેઈનકોટ અને જે પણ કપડાંના ડાઘા અને વોટર-પ્રુફ કાપજ હોવાની વાત કરે છે તે બધામાં PFAS છે.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.