નરી આંખેથી આ દિવસે પૃથ્વીથી દેખાશે શનિ ગ્રહ

ભારતના ચંદ્રયાન-3ની સફળતાએ અવકાશમાં લોકોની જિજ્ઞાસા વધારી દીધી છે. આખી દુનિયા ભારતની આ સફળતાની પ્રશંસા કરી રહી છે. આ બધાની વચ્ચે અવકાશમાં એક એવી ખગોળીય ઘટના થવાની છે. જેને દુર્લભ માનવામાં આવી રહી છે. આ મહિનાના લાસ્ટ વીકમાં શનિ ગ્રહ આપણી પૃથ્વીથી ખૂબ જ નજીક આવાનો છે. આ દરમિયાન લોકો પૃથ્વીથી કોઈપણ રીતના ઉપકરણની મદદ વિના શનિ ગ્રહને જોઇ શકો છો. નાસાએ કહ્યું કે, જો કોઈ દર્શક પાસે અંધારૂ અને ચોખ્ખુ આકાશ રહેશે તો તે દૂરબીનની મદદથી શનિના સૌથી મોટા ચંદ્ર ટાઇટનને પણ જોવામાં સક્ષમ થઇ શકે છે.

ધરતીથી ક્યારે દેખાશે શનિ ગ્રહ

નાસાએ શુક્રવારે કહ્યું કે, શનિ ગ્રહ આકાશમાં મોટો અને ચમકતો જોવા મળશે. આવું એટલા માટે થશે કારણ કે આ ગ્રહ 26-27 ઓગસ્ટના રોજ સૂર્યથી સીધી રીતે વિરોધમાં રહેશે. સૂર્યની રોશનીના કારણે શનિ ગ્રહ પહેલા અને ત્યાર પછીના અઠવાડિયામાં આકાશમાં સૌથી મોટો અને સૌથી ચમકતો દેખાશે. આ ગ્રહ ફેબ્રુઆરી 2024 સુધી જોઇ શકાશે. આ દરમિયાન કોઇપણ સરળતાથી આકાશમાં દેખાતા શનિ ગ્રહને ઓળખી શકશે.

નરી આંખે જોઇ શકાશે

નાસાનું કહેવું છે કે, શનિ પૃથ્વીથી સૌથી દૂર સ્થિત ગ્રહોમાંથી એક છે. પણ ઓગસ્ટના છેલ્લા અઠવાડિયામાં તે માનવ આંખોથી સરળતાથી જોઇ શકાશે. નાસા અનુસાર, આ સૂર્યાસ્તના સમયે દક્ષિણ-પૂર્વીય ક્ષિતિજ પર દેખાશે અને સૂર્યોદય સુધી આખી રાત કોઇપણ આખી રાત ચમકતા પીળા રંગના તારાને જોઇ શકશે. આકારમાં મોટો અને વધારે ચમકતા હોવાના કારણે શનિ ગ્રહને ઓળખી કાઢવો સરળ રહેશે.

પૃથ્વીની સૌથી નજીક આવ્યા હોવા છતાં લોકો શનિ ગ્રહના પ્રસિદ્ધ આઈસ છલ્લોને પોતાની આંખથી સીધી રીતે જોઇ શકશે નહીં. આના માટે તેમણે કોઇ અવકાશીય ઉપકરણનો ઉપયોગ કરવાનો રહેશે. તેમ છતાં આ ગ્રહ આકાશમાં મોજૂદ અન્ય તારાઓની તુલનામાં વધારે ચમકતો જોવા મળશે. નાસાએ કહ્યું કે દૂરબીનના માધ્યમથી ગ્રહને વધુ સારી રીતે જોઇ શકાશે. જેનાથી તેનો સોનેરી રંગ વધારે નિખરીને જોઇ શકાશે. આ દર્શકોમા કાનની જેમ દેખાતા છલ્લોને પણ જોવામાં મદદ કરશે.

About The Author

Related Posts

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.