ચંદ્ર બાદ ISROનું લક્ષ્ય સૂર્ય, આગામી મહિને લોન્ચ થશે આ મિશન

14 જુલાઇના રોજ ચંદ્રયાન-3 લોન્ચ થયા બાદ ISROનું ફોકસ સૂર્ય મિશન પર છે. કોરોના વાયરસના કારણે ચંદ્રયાન-3ના લૉન્ચિંગમાં મોડું થયું છે, પરંતુ હવે ISROએ પોતાના મિશનને પૂરું કરવાનું વિચારી લીધું છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, ચંદ્રયાન-3, 23 કે 24 ઑગસ્ટ સુધીમાં ચંદ્રમાની સપાટી પર પહોંચી જશે અને ISRO તેના ત્રીજા દિવસ બાદ સૂર્ય મિશન લોન્ચ કરવા પર વિચાર કરી રહ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે, ભારતનું પહેલું સૂર્ય મિશન આદિત્ય એલ-1 (Aditya L1) 26 ઑગસ્ટના રોજ લોન્ચ કરવામાં આવશે.

ઈકોનોમિક ટાઇમ્સના રિપોર્ટ મુજબ, ISRO ચીફ એસ. સોમનાથે ગુરુવારે કહ્યું કે, ‘સૂર્યની સ્ટડી કરવા માટે આદિત્ય એલ-1 મિશનની તૈયારી ચાલી રહી છે. સાથે જ અલ્ટ્રાસોલર ગ્રહો (એક્સોપ્લેનેટ)ની સ્ટડી કરવા માટે એક ઉપગ્રહ બનાવવા પર પણ ચર્ચા ચાલી રહી છે. આદિત્ય સૂર્ય-પૃથ્વી પ્રણાલી પ્રભામંડળ કક્ષાના લેગ્રેન્જ પોઈન્ટ-1 (L1)ની આસપસ્થી પસાર થશે. તેની પૃથ્વીથી દૂરી 15 લાખ કિલોમીટર છે. આ સ્થિતિથી આ યાન સૂર્યને સારી રીતે જોઈ શકશે.

આ યાનના માધ્યમથી સૂર્યની અલગ અલગ પ્રક્રિયાઓને જોઈ શકાશે. તમે એ જોઈ શકશો કે સૂર્યની ગતિવિધિઓનો અંતરીક્ષના હવામાન પર કેવો પ્રભાવ પડે છે. આદિત્ય એલ-1ને ધ્રુવીય ઉપગ્રહ પ્રક્ષેપણ યાન (PSLV) દ્વારા અંતરીક્ષમાં પ્રક્ષેપિત કરવામાં આવશે. અનુમાન છે કે, લોંચથી લઈને પોતાના ટારગેટ સુધી પહોંચવામાં તેને ઓછામાં ઓછા 4 મહિના લાગશે. ISROનું ગત મિશન ચંદ્રયાન-2 નિષ્ફળ રહ્યું હતું. પરિણામ સ્વરૂપ ચંદ્રયાન-3 મિશન પર અતિરિક્ત ફોકસ કરવામાં આવ્યું. ઇન્ડિયન સ્પેસ રિસર્સ એજન્સી (ISRO)એ ભારતના સૌથી ભારે GSLVએ ચંદ્રયાન-3ને લઈ જનારા અંતરીક્ષ યાનનું પ્રક્ષેપણ કર્યું.

ચંદ્રયાન-3ને શ્રીહરિકોટાના સતિશ ધવન સ્પેસ સેન્ટરમાં વિકસિત કરવામાં આવ્યું હતું. તે ચંદ્રમા બાબતે જાણકારી એકત્ર કરશે. ISRO આ પરિયોજનાને લઈને ખૂબ જ આશ્વસ્ત અને ઉત્સાહિત છે. તેણે કહ્યું કે, ચંદ્રયાન-3 ચંદ્રમાની સપાટી કે ચંદ્રની માટીની પરિક્રમા કરતા અને તેના પર્યાવરણનું રાસાયણિક વિશ્લેષણ કરશે. તે ચંદ્રમાના દક્ષિણી ધ્રુવ ક્ષેત્રની પરિક્રમા કરશે. જેવું જ ભારત ચંદ્રનો અભ્યાસ શરૂ કરશે, ચંદ્રયાન-3 યાનને ધરતી પર ઉતરશે અને તેને રેકોર્ડ કરશે. ભારત આ દુર્લભ કામને યોગ્ય રીતે કરનારો ચોથો દેશ બનવા જઈ રહ્યો છે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.