મેન્યુઅલ કે ઓટોમેટિક? જાણો બંનેમાંથી કઈ કાર વધારે માઇલેજ આપે છે

આજકાલ જ્યારે લોકો કાર ખરીદવા જાય છે તો તેઓ ઓટોમેટિક ટ્રાન્સમિશનવાળી કાર પર વધારે ભાર આપે છે. કારણ કે આ કારોને સ્ટેટસ સિમ્બલના રૂપમાં જોવામાં આવે છે. જેને ભારતમાં આજે પણ એક પ્રીમિયમ કાર ફીચર માનવામાં આવે છે. જો તમે નવી ગાડી ખરીદવાનો વિચાર કરી રહ્યા છો અને મૂંઝવણમાં છો કે તમારે ઓટોમેટિક કાર ખરીદવી જોઇએ કે પછી મેન્યુઅલ તો આ લેખ તમારા માટે ફાયદાકારક સાબિત થઇ શકે છે.

ઓટોમેટિક ગિયરબોક્સ વાળી કાર

મોટાભાગના મામલાઓમાં ઓટોમેટિક કાર મેન્યુઅલની તુલનામાં ઓછું ફ્યૂલ વાપરે છે. લાંબા સમયમાં મેન્યુઅલની તુલનામાં ઓટોમેટિક કાર ચલાવવી સસ્તી પડી શકે છે. ઓટોમેટિક કારોને સામાન્ય રીતે બજેટ ફ્રેન્ડલી ગાડીના રૂપમાં જોવામાં આવે છે. જોકે, મેન્યુઅલની સરખામણીમાં આ કારોની કિંમત વધારે હોય છે. આ કારોમાં ગિયર રેશિયો વધારે સારો હોય છે જો તમે ધીમી ગતિએ કાર ચલાવતા હોય તો. અમુક આધુનિક ઓટોમેટિક કારો વધારે સક્ષમ એન્જિન અને ઈલેક્ટ્રોનિક ટ્રાન્સમિશન સિસ્ટમ જેવી સુવિધાઓનો પણ દાવો કરે છે. આ બંને ફ્યૂલના વપરાશને ઓછો કરવામાં મદદ કરી શકે છે.

મેન્યુઅલ કાર ખરીદવી ફાયદાકારક કે નહીં

સારું માઇલેજ મેળવવા માટે મેન્યુઅલ કારોનો ઉપયોગ કરવાનું મુખ્ય કારણ એ છે કે તેનો ગિયર રેશિયો સેટ કરવા માટે તમારે મેન્યુઅલી પોતાનો સહારો લેવો પડે છે, જે તમને રસ્તાની પરિસ્થિતિઓ અનુસાર ગિયર ચેન્જ કરવાની પરવાનગી આપે છે. મેન્યુઅલ ગિયરબોક્સવાળી કારોમાં તમે ગાડીને ગિયરમાં નાખો છો, પગને ક્સચ પરથી હટાવો છો અને જ્યાં સુધી તમે તેને હટાવતા નથી કાર તે ગિયરમાં લોક રહે છે. પણ ઓટોમેટિક કારોમાં આવું હોતું નથી. મેન્યુઅલ કારોની કિંમત ઓટોમેટિક કારો કરતા ઓછી હોય છે. જે આ કારોને બજેટ ફ્રેન્ડલી અને વધારે માઇલેજવાળી બનાવે છે.

બંનેમાં બેસ્ટ કઈ?

જો તમારું ધ્યાન માત્ર અને માત્ર માઇલેજ પર છે તો તમે મેન્યુઅલ કાર ખરીદી શકો છો. તો બીજી બાજુ તમે ઓછો થાક અને સારો ડ્રાઈવિંગ અનુભવ લેવા માગો છો, તો તમારા માટે ઓટોમેટિક કાર બેસ્ટ વિકલ્પ સાબિત થઇ શકે છે.

About The Author

Related Posts

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.